SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ નહિતછુ. જે હમારે ખરેખર જ સગુણ થવા ઇરછા હોય તે પ્રથમ તો હમે કયા સદ્દગુણે ખીલવવા માગો છો, હે હમારા મન સાથે વિચાર કરે. કારણ કે એકવાર મન સાથે ચોકસ નિશ્ચય કરી કામ કરનાર માણસ જરૂર અંતે વિજય મેળવે છે. તે ગુણો ચેકસ ર્યા પછી, હેના પર પ્રીતિ રાખતા થાઓ, એ ગુણ ધરાવનાર કોઈ પુરૂષને દેખી હૃદયમાં આનંદ પામે પ્રમોદ પામો, સર ર્જ્યોર્જ ઇલીયટ યથાર્થ કહે છે કે “The first con dition of goodness is to have something to Love,' =21 થવાને પ્રથમનું પગલું પ્રેમ છે-ગુણ પ્રત્યેને અનુરાગ છે-ગુણાનુરાગ છે. જહાં હમને કઈ ગુણ ઉપર અનુરાગ થયો, એટલે જરૂર તે ગુણ ધરાવનાર પુરૂષ પર પણ અનુરાગ થશે, અને આ રીતે તે ગુણિ પુરૂષનાં સંબંધમાં આવતાં તે ગુણ ખીલવવાનું કામ ઘણું સુગમ થશે. માટે ગુણ ખીલવવા માટે પ્રથમનું કહે કે છેલ્લું પગથિયું કહે-જે કહો તે ગુણાનુરાગ છે. આ પ્રમાણે તે ગુણ ઉપર પ્રીતિ રાખી તે ગુણ જેઓએ પોતાના જીવનમાં પ્રકટ કર્યો હોય તેવા કોઈ મહાપુરૂષ અથવા મહાપુનાં ચરિત્ર વાંચો અને હાલમાં તે ગુણ જહેમના જીવનમાં થોડે યા ઘણે અંશે પ્રકટ” દેખાતે. હોય તેવા સજજનોને સમાગમ કરો. પુસ્તકો કરતાં પણ જીવતા મનુષ્યનું ચરિત્ર વધારે સ્થાયી અસર કરે છે. પુસ્તકો બુદ્ધિને અસર કરે, પણ જીવતા મનુષ્યનું ચરિત્ર હૃદયને અસર કરે છે, અને ઘણું જૂજ વખતમાં આપણે હેને અનુસરતાં શિખીએ છીએ. કારણ કે હૃદય એ સર્વ સંચાઓને ગતિમાં મૂકનાર મુખ્ય ચાવી છે. મનુષ્યના જીવનની ઉન્નત કે અવનત દશાને આધાર હૃદયપર રહેલો છે. હૃદયને ઉત્તમ પોષણ આપનાર સસમાગમ જેવું બીજું એક પણ પ્રબળ સાધન નથી. માટે જે સગુણ ખીલવવાની હમારી ખરી રૂચિ હોય તે સજજનેને શોધે (ખરી જીજ્ઞાસાવાળાને તે વહેલા કે મેડા મળ્યા વિના રહેતા જ નથી )–અને હેમના સહવાસમાં રહે. હજારો ચરિત્રે વાંચતાં જે અસર ન થાય તેવી અસર સપુરૂષની પાઘડીની સોબતથી થઈ શકે છે. આ બાબતને માટે એટલાં બધાં દાન્ત છે કે હમે ગમે તે પુસ્તક ભે, અને તે આ બાબતને સિદ્ધ કરશે. આ સાથે એક ત્રીજી અને અગત્યની “કુંચી એ છે કે હમે જે સણ ખીલવવા માગતા હે, હેનું ધ્યાન કરો. આ ધ્યાનને વાસ્તે પ્રાતઃકાળને વખત બહુ એનુકૂળ છે. હારે મન અને મગજ રાત્રિના આરામ પછી હવારમાં સ્વસ્થ અને તાજ હોય હારે ધ્યાન બરાબર થઈ શકે. સદ્ગણનું
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy