SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છુ. શા માટે આજે અને અહીંજ સુખી ન થવું ? જૂદા જૂદા ધર્મના ગુરૂઓ કહે છે કે “સુખ તે મરણ પછી જ મળશે; મરણ પછી સુખ મેળવવા માટે હમણું દુઃખ ભોગવવા તૈયાર થાઓ ! ” પરતુ “ ગુરૂઓના ગુરૂ – દેના દેવ-ધર્મના નાયક એવા શ્રી મહાવીર તે કહે છે: “આ દુનીઓમાં અને આજે જ સુખી થઈ શકાયએકાંત સુખી થઈ શકાય.” | એકાન્ત સુખી મુનિ વિતરાગી ” એ શબ્દો શું મહાવીરના નથી ? છે, તે તે શબ્દો શું આ જન્મને ઉદ્દેશીને બેલાયેલા નથી? અલબત. - રાગ અને હેને પ્રતિપક્ષી દેષ ધિક્કાર એ બે, બે બાજુની ખાઈઓ છે; અને તે બે વચ્ચે એક સીધે ર સડક છે, જેનું નામ “સ્વભાવ” અથવા “ નિજરૂપતા ” છે. જે માણસ તે વચલી સડક પર ચાલે છે તે એકાંત સુખા છે—જેને કઈ પણ જાતનું દુઃખ પણ શકતું નથી એટલે બધો તે સુખી છે. જ્યારે સર્વ પ્રભુ એમજ ફરમાવે છે કે આ દુનીઆમાં રહેલ છવ હમણાં જ સુખી થઈ શકે છે, તે પછી સુખને વાય આપનાર ધર્મગુરૂઓની વાતને આપણે શા માટે આટલું બધું મહત્વ આપવું જોઈએ ? ના; સુખ આજે જ-હમણાં જ અહીં જ મળી શકે છે અને તે “શાત મન ” ના રૂપમાં મળે છે. “શાન્ત મન”ચીજ છે તે આપણે હમણાં જ જોઇશું. " માણસો દુઃખ પામે છે હેનું કારણ એ છે કે, કાં તે તેઓ સુસ્ત * મન–પ્રમાદી મન ધરાવે છે, અગર તે તેઓ તેફાની મન ધરાવે છે. એ બે વચ્ચેનો સોનેરી મધ્ય રસ્તો” હેમનાથી અજાણ્યો હોય છે. કે જે રસ્તાનું નામ શાન્ત મન છે. ' હમે પ્રમાદી થતા ના. મન જે પ્રમાદી બન્યું તે એને અનેક ઉધાઈએ (દુર્ગુણે) હટી જશે અને હેને પ્રતાપે અંતે શરીર પણ ખવાઈ જશે. પ્રમાદી માણસને ને આનંદને કદી દસ્તી થઈ શકતી નથી. હમે હમારા મનને તોફાની પણ બનવા ન દેશો. આડા અવળા
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy