SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મહાભા બુદ્ધ, બેલતા નથી, સુખમાં હોય અથવા દિલગીરીમાં હોય તે પણ જુલાઈ જતા નથી તેમજ ઉત્સાહભંગ થતા નથી. ધભ્યપદ (ગૌતમ બુદ્ધના છેલ્લા વ્યાખ્યાનમાં નીચલો ફકરે માલુમ પડે છે. તે ફકરો “Work out your salvation” આ વાક્યનું વધારે સ્પષ્ટીકરણ છે.) હે આનન્દ ! જે મનુષ્ય હમણાં અથવા મારા મરણ પછી પિતાની જાતને જ દીપ અને આશ્રય રૂ૫ થશે, બીજાના આશ્રય વાતે આધાર રાખશે નહિ પણ સત્યને દીપ તથા આશ્રય રૂ૫ દઢ રીતે ગણીને પિતાને પંડસિવાય બીજા કોઈ ઉપર આશ્રય વાસ્તે આધાર રાખશે નહિ તે ભિક્ષુ' જ, ઉચ્ચમાં ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરશે. પણ તેને વાતે તેઓએ શીખવાની અભિલાષા બતાવવી જોઈએ. મનુષ્ય કરેલા શુભ અને અશુભ કાર્યોમાંનું કોઈ પણ અનુપયોગી નથી; કારણ કે તે સઘળાને કોઈક પ્રકારનાં ફળ આવે છે. આપણું શુભ અને અશુભ કાર્યો છાયાની પેઠે આપણને અનુસરે છે. Fo-sho-higo-tas-king. વ્યોમમાં, યુદ્રના મધ્ય ભાગે, પર્વતના ખડકમાં, સકળ જગતમાં એવું એક પણ સ્થાન નથી કે જ્યાં જવાથી મનુષ્ય પોતાના કાર્યના ફળથી મુક્ત થઈ શકે. જેના હાથમાં ઘા વાગે નથી તેને ઝેરને સ્પર્શ અસર કરી શક્ત નથી; તે જ રીતે અશુભ કાર્ય નહિ કરનારને વાસ્તે કાંઈ પણ અશુભ નથી. જે કોઈ અજ્ઞાની મનુષ્ય નિર્દોષ, પવિત્ર અને નિરપરાધી મનુષ્યને દુઃખ દે તે તે દુઃખ, વાયુની સામે નાખેલા ધુલના પરમાણુની માફક, તે અજ્ઞાની મનુષ્ય ઉપર જ આવી પડે છે. ધમપદ આપણા કાર્યને નાશ નથી; તેને નિઃસંશય બદલે મળે છે. કાલીય સૂત,
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy