SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ રર જૈનહિતેચ્છુ. અને શાંત થવું. તેણે ચક્ષુથી વિવિધરૂપ આકૃતિઓ જોવાને લાભી ન થવું તેણે દેશવિદેશની વાતેથી કાન દૂર રાખવા; તેણે મિષ્ટાન્નની લાલસા ન રાખવી. તેણે જગતમાં કોઈ ચીજની ઈચ્છા ન રાખવી; જ્યારે તે રોગગ્રસ્ત થાય ત્યારે તે ભિક્ષુએ દીલગીર ન થવું; ભયથી તેણે કંપવું નહિ; તેણે ધ્યાની થવું પણ પરછિદ્ર જેવાં નહિ; તેણે આલસુ થવું નહિ; તેણે વધારે ઉંઘવું નહિ; તેણે સ્વનિન અને શુકનને ભાવ સમજાવે નહિ; તેમજ જ્યોતિષ જેવું નહિ; વળી તેણે પક્ષીઓના નાદને અર્થ કરે નહિ; બહુબોલા શ્રમણ પાસેથી ઘણી વાતો સાંભળીને તેણે ક્રોધી ન થવું; તેમજ અપ્રિય શબ્દ બેલવા નહિ. કારણ કે સજજનો તિરસ્કાર કરતા નથી. તુતક સૂા. જેવી રીતે તેની રૂપામાં રહેલી અપવિત્ર ચીજો દૂર કરે છે તેવી રીતે સુજ્ઞ પુરૂષે આત્મામાં રહેલી અશુદ્ધિ એક પછી એક ધીમે ધીમે દુર કરવી. લેઢામાંથી ઉત્પન્ન થનારી અશુદ્ધિ, જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે, તેને નાશ કરે છે. તે જ રીતે ધર્મનું ઉલ્લંઘન કરનારા મનુષ્યનાં કાર્યો (પાપ) તેને અસદ્ ભાગે લઈ જાય છે. બીજાના દોષ જેવા સહેલ છે, પણ પોતાના દેશ જેવા મુશ્કેલ છે. મનુષ્ય પરના દેષ ફતાની માફક ઝાટકી નાખે છે; પણ રમનારથી પેટે પાસે સંતાડનાર ઠગની માફક પિતાના દોષ ઢાંકે છે. જે મનુષ્ય બીજાના દેષ પ્રતિ દષ્ટિ રાખે છે, અને સહેજસાજ વાતમાં માઠું લગાડે છે તેના વિકારો વૃદ્ધિ પામશે, અને તે પોતાના વિકારોને વિનાશ કરી શકશે નહિ. દુષ્ટ કર્મ કરનારા તેમજ નીચ પુરૂષને મિત્ર બનાવવા નહિ. સદગુણી તેમજ ઉત્તમ મનુષ્યોને મિત્રની મદદ આપવી. કુવા ખોદનારા જળ વહેવરાવે છે, ધનુષ્યધારીઓ તીરને સધું બનાવે છે, સુતારો લાકડાના કકડાને વાળે છે, તેમજ સુજ્ઞ પુરૂષે પિતાની જાતને બનાવે છે. જેવી રીતે અભેધ ખડક પવનથી કંપતું નથી તેવી જ રીતે સુજ્ઞ પુરૂષ નિંદા કે પ્રસંશાને પ્રસંગ પ્રાપ્ત થતાં નીતિ માર્ગથી ચૂકતા નથી. સજજને સર્વ સંયોગોમાં સાવધાન રહે છે, વિયતમિની લાલસાથી
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy