SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા બુદ્ધ, ૧૭ એકાગ્રતાથી અને જ્ઞાનથી સુર પુરૂષે હૃદયમાં ખુંચતું (પીડા કરતું) તીર ખેંચી કાઢવું જોઈએ. ઉત્થાન સૂર એકાગ્રતાથી મનુષ્ય (સંસાર રૂપી) સમુદ્રમાંથી ઉગરે છે; અને શ્રદ્ધાથી નદીમાંથી ઉગરે છે એકાગ્રતાથી દુઃખ દૂર થાય છે; અને જ્ઞાનથી મનુષ્ય પવિત્ર થાય છે. મનુષ્ય શુભ કાર્ય પ્રતિ પ્રવૃત્તિ કરવા જોઈએ. અને પોતાના વિચાર અશુભમાંથી દૂર રાખવા જોઈએ. જે મનુષ્ય ખરી વસ્તુ આનંદથી કરે છે તે તેનું મન અશુભમાં પણ આનંદ મેળવે છે. ધમ્મપદ ઉઠ, બેઠો થા; નિદ્રામાં (આળસમાં) શો લાભ છે? આળસ તે અપવિત્રતા છે. પ્રમાદ તે પણ અપવિત્રતા છે. એકાગ્રતાથી અને જ્ઞાનથી શકશંકુનું ઉમૂલન કર. ઉત્થાન સત્ત, सर्व जीवतां प्राणि प्रति दया धर्म, भूतदया धर्म. તે કહ્યું કે તારી જાતિને છાજે તેવી, અને કીર્તિવંત ફલ લાવી આપે તેવી આહુતિ ધર્મને સારૂ આપવાને તૈયાર થા. પણ હું કહું છું કે, બીજાને દુ:ખ આપીને મળતા ફળની મને ઇચ્છા નથી. ભવિષ્યમાં મળનારા ફળની ઈચ્છાથી એક નિરપરાધી પ્રાણનો ભોગ આપવો, તે જે ફલ શાશ્વત હોય તે પણ, દયા હૃદયના સજ્જનને વાતે અયોગ્ય કાર્ય જ કહેવાય. અને જે તે ફળ અનિત્ય હોય તે તેવા કાર્ય વિષે તે કહેવું જ શું? * અને જે કે ખરે ધર્મ આત્મસંયમ, નૈતિક વ્યવહાર અને વિકારના અભાવરૂપ વર્તનના તદન જુદા નિયમમાં સમાયેલું ન તે પણ જ્યાં શ્રેષ્ઠ બદલો પાણિવધ કરવાથી મળે તેમ દર્શાવવામાં આવે છે તેવા યજ્ઞ નિયમને અનુસરવું તે યોગ્ય ગણાય નહિ બીજાને દુઃખ દેવાથી, દુનિયામાને દુનિયામાં જ મળતા સુખન, સુ. પુરૂષ અને સહૃદય પુરૂષ ધિક્કારે છે; તે પછી આપણુથી અદશ્ય અને બીજી દુનિયામાં જે તે મળવાનું હોય તો કેટલું વધારે ધિક્કારને પાત્ર થાય? જે મનુષ્ય એકસો વર્ષ સુધી મહિને મહિને હજાર યજ્ઞ કરે છે, તે, જે મનુષ્ય પ્રાણી
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy