SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ય T UTU પ્રકીર્ણક ધર્મોપદેશ શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૬ * અંકઃ ૧૩ * તા. ૧૦-૨-૨૦૦૪ | | તો તેના અનંતાનુબંધી મંદ પડયા, મિથ્યાત્ત્વ મંદ પડયું. તે જો થોડો Ćઘમ કરે તો સમકિત પણ પામે. આવા ભગવાન, આવું તારક શાસન, આવી સુંદર ધર્મ સામગ્રીવાળો મનુષ્યભવ મળ્યા પછી પણ ઘરમાં રહેવું પડે, વેપારાદિ કરવા પડે, સંસારની બધી પ્રવૃત્તિ કરવી પડે તે ખરાબ પણ ન લાગે, પણ સારું લાગે તો તે બધા અનંતાનુબંધી કષાયના ઉદયવાળા કહેવાય ! આજે તો ઘણાને ધર્મનો ટાઇમ પણ નથી અને તેનું દુઃખ પણ નથી ! તેમાં પાછી બહાદૂરી માને છે - તો તે બધાના અનંતાનુબંધી પણ જોરદાર કહેવાય અને મિથ્યાત્વ પણ નહિ-માટે સાંભળ્યું ન સાભળ્યું કરો છો ને ? તેવા લોકો રોજ સાંભળે પણ સમજે કશું નહિ. તમને કદિ વિચાર આવે ખરો કે - “આ સંસાર રહેવા જેવો નથી. મોક્ષ જ મેળવવા લાયક છે, માટે સાધુ જ થવા જેવું છે. તેવી શક્તિ આવે માટે ભગવાનની પૂજા-ભક્તિ, સાધુની સેવા અને ધર્મની આરાધના કરવાની છે’’. આમ તમારા મનમાં આવે છે કે રિવાજ મુજબ કરો છો ? આજે તો પૂજા-ભક્તિ વગેરે રિવાજ મુજબની થઇ શકે છે. | | | ગાઢ કહેવાય તમારી શી હાલત છે ? આત્મ ના મોટામાં મોટા આ બે જ શત્રુ છે. તે સાચી સમજ પેદા • થવા દે. હૈયાથી કદી ન બોલવા દે કે - “અરિહંતો મહદેવો, જાવજજીવં સુસાહૂણો ગુરુણો, જિણ પત્રતં તદં, ઇહ સમત્તે મએ ગહિઅં.’’ ઘણી વાર તમારી બાઇઓ-સ્રીઓ, પોતાના પતિને કહે છે કે, રોજ સાંભળો છો, શું શીખી આવ્યા ? આવાને આવા રહ્યા. રસોઇમાં ભૂલ થાય તો થાળી | પછાડે અને ગુસ્સો તો એવો કરે વર્ણન ન થાય. આવું તમારું વર્તન જોઇ ઘણા કહે છે કે, તમે જાવ છો તેના કરતા અમે નથી જા તો ય સારા છીએ, જો આવું હોય તો તે કોની ફજેતી કહેવાય ? તમારી ય ખરી અને ભેગી અમારી ય ખરીને ? રોજ સાંભળે તે આવા હોય ? સમજે નહિ તે ચાલે ? રોજ સાંભળનારને ‘આ સંસાર છોડવા જેવો, મોક્ષ મેળવવા જેવો ને સાધુ થવા જેવું' તેમ લાગે છે કે નહિ ? | | કોઇ બોલાવે અને બોલી જાય તે જુદી વાત. પણ પોતે શું બોલ્યો તે સમજે નહિ. ઘણા કોઇનું બોલાવેલું બોલી જાય પણ શું બોલું તે ખબર ન હોય. પછી હૈયાને અડે શી રીતે ? ‘શ્રી અરિહંત પરમાત્મા એ જ મારા દેવ છે’- આમ બોલે અને અવસર આવે કોઇપણ દેવની પૂજા કરો ને ‘· સુસાધુ એ જ મારા ગુરુ એમ બોલો અને ગમે તેવાની પાસે જાય, આંખ ફરક પણ કઢાવી લાવોને ? તમે આ સમજો નહિ તો તમારામાં સમકિત પામવાની યોગ્યતા આવવાની નથી. પહેલે ગુણઠાણે રહેલાને સમકિત પામવાની ઇચ્છા થાય, જેનામાં વાસ્તવિક ગુણઠાણું ન હોય તો તેને ઇચ્છા પણ ન થાય. આ પાંચમાં આરામાં શ્રાવકના કુળમાં જન્મેલા, સમકિત પામ્યા વિના કોણ મરે ? સંસાર છોડવા જેવો લાગે તે. ‘આ મનુષ્યભવમાં સમકિત પામ્યા વિના તો મરવું જ નથી' આવું કેટલાના મનમાં હશે ? સાધુપણાનો ઉલ્લાસ ન જન્મે પણ સમ્યક્ત્વ તો પામવું જ જોઇએ, તેના વિનાની ધર્મકરણીની કોઇ કિંમત નથી, નકામી કહી છે. છાર પર લીંપણ જેવી અને આકાશમાં ચીતરામણ જેવી કહી છે. આવું બધું સાંભળ્યા પછી સમ્યક્ત્વ શું છે તે જાણવાનું મન થાય છે ? તે પામવાના ઉપાય કયા તે ય જાણવાનું મન થયું છે ? અનાદિ યથા પ્રવૃત્તિકરણમાં તો જીવો આવે છે ને જાય છે. પણ શુધ્ધયથાપ્રવૃત્તિ કરણે આવેલો જીવ સમકિત પામવાની યોગ્યતાવાળો છે. કરણ એટલે મનના અધ્યવસાય-પરિણામ વિશેષ. શુદ્ધયથાપ્રવૃતિ | તમને આ સંસાર છોડવા જેવો, મોક્ષ જ મેળવવા લાયક અને તે માટે સાધુ જ થવા જેવું છે તેમ લાગ્યું છે ? આવું જૈનકુળ અને જૈનજાતિમાં લાગવું સહેલું છે. માટે જૈન કુલ અને જૈન જાતિમાં મનુષ્યભવ મળે તે મહાપુણ્ય શાલી કહેવાય. તમે કેવા છો ? તમને આ ઘર મૂકવા લાયક છે તેમ સાંભળવા મળ્યું નથી ને ? સાધુઓ કહે પણ તેમનું કહેલ કરીએ તો સંસાર ચાલે ૪૩૨૦૫ VIARI Fete, HTTPS TUE
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy