SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પીળી પત્રિકાનું પગેરૂં શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૫ અંકઃ ૪૭ * તા. ૨૧-૧૦-૨૦૦૩ (સાબરમતી સ્મૃતિમંદિરમાં ગુરુદ્રવ્ય વપરાયાનો વિવાદ ચાલે છે. બે વરસ અગાઉ વિવિાદ શરૂ થતાં એક આચાર્યશ્રીને એક સુશ્રાવકે પૃછ્યું કે સ્વદ્રવ્ય કે સાધારણ દ્રવ્ય વાપરવાને બદલે ગુરુદ્રવ્ય - કે જે દેવદ્રવ્ય ગણાય તે-વાપરીને સ્મારક કેમ બનાવાયું ? ત્યારે તે આચાર્યશ્રીએ કહ્યું કે ‘“ધનજીભાઇ (પૈસા) લાવવા ક્યાંથી ? એ હોત તો ગુરુ દ્રવ્ય વાપરવાનો સવાલ જ ન હતો.’’ એ ‘પછી તો વિવાદ વધતો ગયો, ઉકેલ માટે સિદ્ધાંત પક્ષે ઘણા પ્રયત્ન થયા, તો સામે પક્ષે ‘“અમે જે કર્યું છે તે બરાબર જ છે, અમારે હવે આમાં કાંઇ વિચારવું જ નથી'' આવા ભાવની પકડ પણ મજબૂત બનતી ગઇ. બે વરસથી ચાલતા આ વિવાદનો ઘટનાક્રમ કયારેક અવસરે વિચારીશું. હાલ તો વિવાદના સંપૂર્ણ ઉકેલ માટે થયેલા છેલ્લા એક પ્રયત્નનો ખ્યાલ આપતો આ એક પત્ર જોઇએ. પત્ર લખનાર મુનિશ્રી નાના છે, પરંતુ સિદ્ધાંત રક્ષાની તેમની શક્તિ મોટી છે. સ્મૃતિ મંદિરમાં વપારાયેલા ગુરુ દ્રવ્યનો આંકડો ઘણો મોટો (નવ આંકડાથી વધુ) છે, તો આ મહાત્માનો પ્રભાવે ય ઓછો નથી. મહાત્માએ પોતાની પ્રેરણાથી સ્થપાયેલા એક ટ્રસ્ટના અધિકારી સુશ્રાવકોને આ માટે સૂચન કર્યું. તો તે સુશ્રાવકોએ કલ્પી ન શકાય તેવું સત્ત્વ બતાવ્યું. વપરાયેલા ગુરુ દ્રવ્યની પૂરેપૂરી રકમ પોતાના ટ્રસ્ટમાંથી સ્મૃતિમંદિરને આપવાની બિન શરતી તૈયારી તેઓએ બતાવી. (સ્મૃતિ મંદિર ટ્રસ્ટને ગુરુ દ્રવ્યના ઉપયોગના દોષમાંથી બચાવી લેવા આ રકમ આપવાની હોવાથી, તે રીતની પહોંચની અપેક્ષા આ ટ્રસ્ટ રાખે- તે સ્વાભાવિક છે. આને શરત ન ગણી શકાય) આની અનુમોદનીય ભાવના જાણીને સિદ્ધાંત નિષ્ઠ આરાધકોને શાસન જયવંતુ હોવાની પ્રતીતિ થાય એ આશયથી આ પત્ર પ્રગટ કરીએ છીએ. ખેદની વાત એ છે કે સ્મૃતિમંદિરના પ્રરેક આચાર્યશ્રીઓ તથા ટ્રસ્ટીઓ આ ભાવનાને વધાવી લઇ દોષ મુક્ત બનવા હજી ઉત્સાહિત નથી સિદ્ધાંતષ્ઠિસત્યપ્રયત્ન ‘ધનજીભાઇ’ની તકલીફને પોતાના બચાવ માટે આગળ ધરનારા હવે આ ભાવનાને વધાવી લેતા કેમ અચકાઇ રહ્યા છે - તે ચિંતનીય છે. ખોટી પકડ સિવાય બીજુ કારણ દેખાતું નથી. ‘ધનજીભાઇ’ મળે તો ય ‘મનજીભાઇ’ માંદા હોય તો તેનો ઉપાય નથી. -સંપાદક) જય WTHE FRAU બોરીપી- આદિ દ परम परमोपकारी, अमारा आधार स्तंभ शेकडो श्रमण- श्रमणी Ăાંચ સ आचार्य उगवंत મંત્ર महाराज साहेब जा परम पवित्र चरण कमलोसा तरफशी भावभरी फ़ोटरीशः चंदना! 34.7CC/ आप कृपाळु श्री ना परम पुनित प्रकृष्ट आराधिक संयम देहे सुर शामा वर्ष ती शो (૧૪૯૧)
SR No.537268
Book TitleJain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages302
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy