SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વિનયી ગુણવંતી વૈરાગી’ શ્રી જૈનશાસન (અઠવાડીક સુવિશાલગચ્છના અધિનાયક વાત્સલ્ય મહોદધિ પ્રાન્તમૂર્તિ પ.પૂ.આ.શ્રી.વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજા સદેહે વિદ્યમાન નથી પણ ગુણદેહે તો ભક્તજનોના હૈયામાં સદૈવ વિદ્યમાન છે. જેમનો વિનય ગુણ ‘ગુરુ શ્રી ગૌતમસ્વામિજી’ ના વિનય ગુણની યાદી અપાવે તેવો હતો. તેથી જ પોતાના તારક ગુરુદેવના હૈયામાં તો વસ્યા હતા પણ પોતાના શ્વાસોશ્વાસમાં હ્રદયના ધબકારામાં અને લોહીના વહેણમાં તેઓએ ગુરુને વસાવ્યા હતા. તેમના માટે ગુરૂ માત્ર સ્થૂલદેહે જ સ્વર્ગસ્થ હતા પણ સૂક્ષ્મ દેહે તો સદૈવ હયાત હતા. તેથી જ તો તેઓશ્રીએ તે તારકની ગુમૂર્તિ પ્રતિષ્ઠા સમયે પૂ.ગુરૂદેવના વારસાને યથાર્થ જાળવ્યો અને અક્ષરદેહે ચિરંજીવી વિદ્યમાન બનાવ્યો. | પ્રભાવ છે. જ્ઞાનિઓએ, મહાપુરૂષોએ વડિલોના સાચા માર્ગને યથાર્થ જાળવે-સાચવે તેને સાચો ‘વારસદાર’ અને ‘માર્ગસ્થ’ કહ્યો. જ્યારે આજના બની બેઠેલા અને ભક્તોમાં પ્રચારી થયેલા કહેવાતા વારસદારો ‘વફાદાર’ની કોર્ટમાં આવે કે ન આવે તે તો જ્ઞાનીઓ જાણે કાં સમય જણાવે. પણ આ કહેવાતા સંચાલકો માત્ર ‘ગુરુમંદિરો'માં ગુરુને પૂરી દેવા માગે છે જેથી તેમના નામે ચરાય એટલું ચરી લેવાય. જાણે આ જૈન શાસન કે માર્ગસ્થ સમુદાય એટલે બોડી બામણીનું ખેતર ન હોય ! જેનો ભક્ત વર્ગ મોટો તે ‘મોટો’ તે દુનિયાનો ન્યાય હશે પણ જૈનશાસનનો નથી. પણ આજે આવા ‘સગવડપંથી’ ‘સિદ્ધાંતપ્રેમીઓ’ એ બાજુ દેવદ્રવ્યના રક્ષણ માટે ન્યાયાલયનો ઘંટ વગાડે અને પોતાને ન ફાવે ત્યાં દેવદ્રવ્યનો ‘મૃત્યુ ઘંટ’ વગાડીબેધારી નીતિ અખત્યાર કરી આજના રીઢા રાજકારણીઓની રીતરસમો અપનાવી તેમને પણ શરમાવે * વર્ષ:૧૫ અંક ઃ ૨૧ * તા. ૨૫-૩-૨૦૦૩ તેવા કાર્યો કરી જાણે અમે જ ‘સાચા ભગત’ બીજા બધા તો માત્ર ઇર્ષ્યાલુ, અદેખાઇથી અમારું સારું જોઇ શકતા નથી માટે કાગનો વાઘ બનાવી બૂમરાણ માની મનાવી રહ્યા તેવા ચિતરી રહ્યા છે. ખરેખર જો તેઓ પ્રામાણિક હોય તો પોતાને ફાવે તે ‘પત્રો' પ્રચારે અને આવા મહાપુરૂષના મહામૂલ્ય સાચા ‘માર્ગદર્શન’ માં શંકા કરે તેવાને કોનો ‘ભગત’ મનાય તે જાણકારો સમજી શકે છે. માત્ર ચોક્કસ વર્ગના વિરોધના કારણે સાચી વાત જાણવા-સમજવા છતાં પણ મની પાવર્સ અને મસલ્સ પાવર્સના બળે તેઓની વાત ન માની તે ન જ માની. અને તે બધા પાછા બણગા માન-સન્માન-પ્ર સિદ્ધિનો ગુણભક્તિના, ગુરુ વિનયના અને વિનયી ગુણવંતી વૈરાગી મોહ આત્માને એવી અન્નાન ગુરુના સમર્પણ ભાવના ફુંકે છે. ખરેખર આ જ કલિકાલનો -જે.કે.શાહ-અમદાવાદ મદિરાનું પાન કરા કે જેથી સાચી વાસ્તવિક સ્થિતિનું મયણા તો એકલી હોવા છતાં પણ સદ્ધાંતની વાતમાં મક્કમ રહી તો આજે તો સિદ્ધાંત પ્રેમીઓ ઘણા છે તેમને જરાપણ હિંમત હારવાની નથી કે મૂંઝાવાનું નથી. કારણ જે મહાપુરૂષથી મક્કમતાને વર્યા છે તે મહાપુરૂષ ક્યારે પણ કોટિપતિ ભક્તોના ‘ભગત’ બન્યા ન હત . તેઓની જે ખુમારી હતી તે જ આપણો આદર્શ છે, તેમનું માર્ગદર્શન અને તારક શ્રી જિનાજ્ઞાનું બળ આપણું અભ કવચ છે માટે શા માટે ગભરાવું ? ૧૧૯૯ ભાન તો ન થાય પણ તે ભાન કરાવનારા ‘વિરોધી’ લાગે. બાકી જેમને પોતાના પરમતારક ગુરુ પ્રત્યે હૈયાનું વફાદારી છે, ગુરુના માર્ગે ચાલવું છે તે પોતાના તારકગુરુ: બદનામ થાય, ગુરુનું નામ બગડે તેમાં હાથા બને ખરા ? .ઓને તો પોતાના તારકગુરુનું નામ ‘રોશન’ થાય તેમાં જે આનંદ હોય તે આવા તકવાદી, સ્વાર્થીઓને ન હોય. પા! આટલી ય સદ્બુદ્ધિ ગુરુઓને કેબીનમાં (ગુરુમંદિરોમાં) કેદ કરનારામાં આવે તો ય સારું છે ? તે બધાને સુધારવા આ વાત નથી પણ આપણી જાત બચે, યોગ્ય-અર્થી જીવો પણ પોતાની જાતને બચાવે તે આશયથી દેવદ્રવ્યના રક્ષણ પ્રસંગે પ્રાસંગિક વાત જણાવી છે. | બાકી છેલ્લા ૨૫ વર્ષનો ઇયિહાસ પણ જો નજર સામે . હોય અને દેવદ્રવ્યના ભયંકર નુકશાન કરનારાના, દેવદ્રવ્યના નાશમાં જાણે-અજાણે હાથા-સહાયક બનનારના કેવા કેવા વિપાકો આવ્યા છે તે સૌની આંખ સામે છે.
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy