SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ શ્રી જૈન શાસન ઘટમાળોથી વ્યકિતનો સંસાર તો જરૂરથી પ્રકમ્મિત બની ઉઠે છે. સંસારના એકેકા સાધનો પર પુનર્જન્મ અને પૂર્વજન્મની આ ઘટમાળાનો ભયાવહ ડબેસલાકપણે અંકીત બની ગયો છે. ભય એથી જ તો આખોય સંસાર કાંતો પૂર્વજન્મની ડી પોકારતો જોઈ શકાશે. કાંતો પુનર્જન્મની તંગદિલીમાં ભડ્લ બળી મરતો જોઈ શકાશે. જન્મથી પ્રારંભીને વ્યકિતના દેહાન્ત સુધીમાં સીમિત બનેલો આ ભવનો સંસાર પણ પૂર્ણતઃ સ્થિર, સુદૃઢ અને શાલીન નથી બની શકતો. કારણકે પૂર્વજન્મ અને પુનર્જન્મના સતત ધૂણી રહેલા ડાકલાઓ તેને થર્ થા કંપાવતા રહે છે. ન વ્યકિત હજી તો જન્મ પામી ન પામી, તેની વયોવૃદ્ધિ થઇ ન થઈ, તેનાં સ્વપ્નોની ચાદર વિસ્તરી વિસ્તરી, પૂર્વજન્મોના પાપોની પસ્તાળ ત્યાંજ તેના અભાગણા શિરે ઝીંકાઈ જાય છે. અને તે જીવનના પ્રારંભ સાથે જ સંકટો, સમસ્યાઓ અને સંઘર્ષોની ત્રિવિધ અગ્નિમાં સેકાવા માંડે છે. આ છે જીવનની વિષમતા અને વક્રતા... માનવ ભલે પોતાના જીવનને જાજરમાન બનાવવા ઝઝૂમતો હોય; પણ તેનું જીવન જાજરમાન નીજ બનતું; ઉપરથી અડાબીડની ઝાડીઓ જેવું જલીમ બનીને તે માનવને ભારે હતાશાની ભેટ ધરે છે. તો જીવતરના ઉદય સાથેજ સળગી ઉઠેલી સમસ્યાઓ અને તોળાતા રહેલા સંકટો બસ ! આપણા પોતાનાજ પૂર્વજન્મના દુષ્કર્મોનું પ્રતિબિંબ પૂરું પાડે છે. વળી, પૂર્વકૃત પાપોથી જાગી ઉઠેલા અનિષ્ટોને વેરવિખેર કરવા માટે કટિબધ્ધ બન્યો માનવ હજી, વિજેતા બન્યો ન બન્યો, ત્યાંજ પુનર્જન્મના વાદળા તેના શિરે ઘેરાવા લાગે છે. આથીજ કહેવું રહ્યું કે આ જન્મ પૂર્વજન્મ સમેત પુનર્જન્મની પીડાઓનું પ્રતિબિમ્બ. એ સિવાય કશું જ નહિ. આ જીવનમાં કાંતો પૂર્વજન્મના પાપો ડોકિયું કરતા રહેશે કાંતો પુનર્જન્મની તૈયારીઓ આજીવનનેં ગુંગળાવતી રહેશે. પૂર્વકૃત પાપોનો પ્રતિકાર અને પુનર્જન્મ કેમેય ન વાટ્યો જાય તેવો પડકાર, બસ ! આ બેની અસહ્ય (અઠવાડિક) ૧ વર્ષ ૧૨ અંક ૩૯/૪૦ તા. ૬- ;-૨૦૦૦ પીડામાં આજીવન સેકાતું રહે છે. અન્તે શ ક સન્તપ્ત હ્દયે સમાપ્ત બને છે. જીવનની આ અસહ્ય પીડા અને જીવનના આ અજેયભયોને નાબૂદ કરવા માટે ન તો આપણને સ્વજનો સહકાર પૂરો પાડી શકે છે કે ન તો આપણ ને આપણી સંપત્તિ શકિત પૂરી પાડી શકે છે. આપણે જેમની પર ગર્વનો શ્વાસ ૯ઈ શકીએ છીએ અને આપણે જેઓ પ્રતિ સદાય પ્રેના પીયૂષ વહાવતા રહીએ છીએ; તે સ્વજનનો શું ? તે કંપદા શું ? અરે તે શરીર પણ શું ? આપણા દર્દમાં ભાગીદાર બનવા તે પૈકીના એકેય તૈયાર નથી. આથી જ તો વિરક્તાત્મ શ્રી વિદુરજીએ પૂરી મહાભારતનું મૂળ બની રહેનારા જાત્યન્ત જ્યેષ્ઠભ્રાતા શ્રી ધૃતરાષ્ટ્રના પોઢેલા આત્માને ઢંઢોળત ઉપરોકત શ્લોક લલકાર્યો. (૧) પિતૃ - માતૃ - સન્નપુત્રા હતા: હે મહાન્ધ ! તારા માત – તાત, મિત્રો – પુત્રો અને કઈ સ્વનો હણાઈ ગયા. હજી આ જીવન પરની હેરત નથી ઓછી થતી. (૨) વિગતંવર: હે મૂર્ખમતે ! જે 'હ પર તું અટ્ટાહાસ્ય વેરી શકતો તો, તે માદકલી કાયા પણ આજે સૂકા બની રહેલા પાન જેવી થઇ રહી છે. હવે તારી પાસે તારો દેહ પણ નથી રહ્યો... અન્ય તો શું ? (૩) આત્મા = નવા પ્રપ્તઃ હે રાત્મન્ ! જીવનભર તે સંસાર ખેડયો. જે સંસાર! ભીષણ સંગ્રામમાં લડતાં રહી આજે તારો આત્મા રાવ જર્જર બની ગયો. હા ! પાપ ! પણ તારી ગુમાની નથી હટતી. .. (૪) પરશેદ મુપાક્ષસે : અરે મહાસકત ! હવે તો તું પોતે પરભવના દ્વાર ભણી ઢસડાઈ રહ્યો . શકિત, સ્વજનો તો ગયા. શરીર પણ ગયુ. હવે તાર અસ્તિત્વ પણ અસ્તાચલ તરફ ઝૂકી રહ્યું છે. મૂઢ ! જાગ ! જાગ નીતિચતુર અને વિદ્વાન વિરકત ત્મા શ્રી વિદુરજીની ઉપરોકત ગર્જના શું આપણા ચૈત્યને પણ નહિ કરડી ખાય ? સાચ્ચેજ જીવનમાં અને જન્મમાં, પાપ અને પીડા છલોછલ ભર્યા છે. હતાશાનો ત્યાં કોઈ સુમાર નથી.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy