SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ - ( પ્રકીર્ણક ધર્મોપદેશ પ્રવચન - સાડત્રીશમું ૧૮૨ (શ્રી જિનાજ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિસ્ત કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ક્ષમાપના - અવ૦) नाणं चरित्त हीणं, लिंगग्गहणं च दंसणविहीणं । संजमहीणं च तवं, ગણાતા પણ એવા કેટલા હશે જે પેઢા ઉપર બેસીને અનીતિ-અન્યાયાદિ ન કરતા હોય ! તે ય મઝેથી અનીતિ-અન્યાયાદિ કરે ? કોઈ તેને પૂછે છે કે - ‘તમે ધર્મી થઈને આ શું કરો છો ? ' તો તે કહે છે કે – ‘‘ અમે ધર્મી છીએ એટલે ગધેડી પકડી...ગુનો કર્યો...પૈસા કમાવવા તો બધું કરવું પડે.’’ આવું જે બોલે તે ધર્મી કહેવાય કે ધર્મી કહેવાય ? સમકિતી હોય કે મિથ્યાદ્રષ્ટિ હોય ? હજી જો તે એમ કહે કે‘મારો પાપનો ઉદય જોરદાર છે માટે મારાથી અનીતિ આદિ થઈ જાય છે પણ તે કરી શકાય જ નહિ. અન તે આદિ કરું તે મારી ભૂલ છે. લોભ મને બહુ સતાવે છે.’ તો તેનો હજી બચાવ થાય. તેને સમજ પણ કહેવાય. પણ ॰ એમ જ કહે કે અધર્મ તો તેને કેવો કહેવાય ? આવી છાપ લોકોમાં ઊભી - ‘‘ધંધામાં તો બધું ચાલે. ઉપાશ્રયમાં ધર્મ, પેઢી ઉપર કરે તો તે જ્ઞાની કહેવાય કે અજ્ઞાની કહેવાય ? આવા જીવો મૂંગા હોત તો સારું હતું કે બીજાને તો ઉન્માર્ગે · · લઈ જાત. હવે એ વાત સમજાવે છે કે – ચારિત્રહીનું જ્ઞાન નકામું છે. તે પોતાને ય નુકશાન કરે અને બીજા અનેકનું ય નુકશાન કરે. જેટલાં સાચું-ખોટું સમજતા હોય તેને એટલું જ તો થવું જોઈએ કે- ‘મારાથી ખોટું તો થાય જ નહિ. ખાટું ન થઈ જાય તેની કાળજી રાખે, કદાચ ખોટું કરવું પડે તો,ભાતે હૈયે કરે, પોતાનો પાપનો ઉદય માનીને કરે અને તેનાથી સારું શક્તિ મુજબ કર્યા વિના રહેવાય જ નહિ.' આટલો પણ સમજણ જેનામાં ન હોય તો તેનું જ્ઞાન નુકશાન કરનાર જ થાય, તેનું ફળ કાંઈ ન મળે, જોનારને ય નુકશાન કરે. ાહી ડાહી વાતો કરનારા બહુ સમજદાર જોઈએ. મઝેથી નીતિ કરનારા |જ્ઞાની કહેવાય ખરા ? આજે વધારેમાં વધારે રાપ ભણેલા જ કરે છે. જે ભણેલો મઝેથી વધારે પાપ કરે તે ભ ગેલો કહેવાય ? આજે તો ભણતર જ ખોટું મળ્યું છે. ભણેલાને મા ખોટું છે તેમ સમજાય અને કંપારી ન આવે તો તે ભણેલો કહેવાય ? |આજના શિક્ષણની જે નિંદા થાય છે તે આ જ કારણે. આજે તો મઝેથી ગોઠવી ગોઠવીને એવી રીતે પાપ કરે ) જેનું વર્ણન ન થાય ! આજે વકીલો વધારેમાં વધારે ખોટું બોલે છે તે માટે આ ભણતર ખોટું કહેવાય છે તો તે ખોટું છે ? રાચુ સમજનારો પણ મઝેથી ખોટું કરે ? ‘ખોટું પણ કરાય’ તેમ તે બોલે ? આવું બોલે તેનું જ્ઞાન કેવું કહેવાય ? નકામું જ કહેવાયને ? પોતાને નુકશાન કરે અને બીજાને ય નુકશાન કરે તેવા ભણેલા | તમે બધા સમજુ અને સુશ્રાવક તરીકે ઓળખાવ છો અને એવી રીતે જીવો છો કે બીજાને શ્રાવકધર્મની નિંદા કરવાનું મન થાય છે કે – શ્રાવકોય આવા હશે ! સારો શ્રાવક ખોટાં કામ કરે તો તે ધર્મની નિંદા કરાવનારો છે. આ વાત સ્મજાય તો ધર્મી અન્યાય કરે ? આજે ધર્મના આરાધક શ્રી જૈન શાસ 1 (અઠવાડિક) જ- પૂ. આ. શ્રી વિ. રા ચન્દ્ર સૂ. મ. સા. ૨૦૪૩, શ્રાવણ વદિ-૪ બુધવાર તા.૧૨-૮-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન' ઉપાશ્રય, મુંબઈ ૪૦૦૦૦. जो चरइ निरत्थयं तस्स || અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી તે મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજા મોક્ષમાર્ગના ઉપાયોનું વર્ણન સમજાવી રહ્યાં છે. મોક્ષના હેતુથી ધર્મનો આરાધક બનેલો જીવ કેવો હોય કેવી રીતે ધર્મ કરે તે વાત સમજાવી રહ્યા છે. જેનામાં સમ્યજ્ઞાન પેદા થઈ જાય છે તે તો સમ્યક્ચારિત્રની જા ઝંખના કરે છે. તે તો માને છે કે સમ્યક્ચારિત્રને પામ્યા વિના મારું જ્ઞાન મુક્તિમાં પહોંચાડવા સમર્થ બનતું નથી. જેમ જેમ તેનામાં સમજ વધતી જાય છે તેમ તેમ તે સમ્યક્ચારિત્રનો વધુને વધુ રસિયો બનતો જાય છે. નિકાચિત કર્મનો ઉદય હોય તો જ તે સમ્યક્ચારિત્રને પામી શકતો નથી. જ્ઞાનિઓ ભારપૂર્વક ફરમાવે છે કે – જે જીવ સમ્યક્ચારિત્રને ન પામે ગમે તેટલો જ્ઞાની હોય તો પણ તેનો કદી મોક્ષ થતો નથી. માટે કહે છે કે ચારિત્ર હીનનું જ્ઞાન નકામું છે. જે જીવ જેટલું સમજે તેટલું પાપ છોડે નહિ, સમજે તેટલો ધર્મ કરે નહિ તો તે જ્ઞાની કહેવાય ખરો ? જાણી-બૂઝીને જૂઠ બોલે, ખોટાં કામ કરે તેને સમજદાર કહેવાય ? સમજદાર કોઈપણ પાપ જાણી-બૂઝીને સમજીને મઝેથી કરે ? કદાચ તેને કોઈ પાપ કરવું પડે તો રોતે રોતે કરે કે આનંદથી કરે ? સમજદાર ને માથે જોખમદારી ઘણી છે. સમજદાર પણ ધર્મ નથી કરતા તો | તેમને જોઈ જોઈને બીજા ઘણા જીવો પણ ધર્મ મૂકી દે છે. ધર્મી તરીકેની નામનાને પામેલો સમજવા છતાં ય મઝેથી અધર્મ કરે તો તે અનેકને ઉન્માર્ગે જોડનારો છે. તેને જોઈને બીજા જે ઉન્માર્ગે જાય તેનું પાપ પાપ તેને લાગે.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy