________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રાણી બેન્નુર (જી. હાવેરી) કર્ણાટક - અત્રે પૂ. આ. શ્રી વિજય અશોકરત્ન સૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજય અમરસેન સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં નૂતન ભવ્ય શિખરબંધી મંદિરનું શિલા સ્થાપન બીજા જેઠ સુદ ૧૨ શુક્રવાર તા. ૨૫-૬-૯૯ના ઠાઠથી થયું.
૧૦:૪
પેઠ વડગાવ (જી. કોલ્હાપુર) અત્રે પૂ. આ. શ્રી વિજયમુક્તિ પ્રભસૂરીશ્વરજીના શિષ્ય વર્ધમાન તપ આરાધક પૂ. મુ. શ્રી ધર્મ રક્ષિત વિજયજી મ. ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પુણ્ય રક્ષિત વિ યજી મ. પૂ. મુ. શ્રી આત્મ રક્ષિત વિજયજી મ.નો ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદ ૨ બુધવાર તા. ૧૪-૯-૯૯ ના ઉત્સાહથી સુસ્વાગત થયો છે.
કોલ્હાપુર-લક્ષ્મપુરી-અત્રે પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્ર સૂરીશ્વરજી મ.ના શિષ્ય પ્રવચનકાર પૂ. મુ. શ્રી ભવ્યચંદ્ર વિજયજી મ. તથા તેઓશ્રીના શિષ્ય બાલ મુનિરાજશ્રી સિદ્ધસેન વિજયજી મ. નો ચાતુર્માસ પ્રવેશ દ્વિ. જેઠ વદ ૧૨ શનિવાર તા.૧૦-૭-૯૯ના ઉલ્લાસ પૂર્વક થયો છે દ૨૨ો ૬ ૯ ૩૦ વાગ્યે પ્રવચન રવિવારે જુદા જુદા વિષય ઉપર જાહેર પ્રવચન તથા સામુદાયિક અનુષ્ઠાન ગોઠવાયા છે.
અમદાવાદ પ્રશમ -૨૩ દશા પોરવાડ સોસાયટી મધ્યે સમગ્ર રાજનગર આરાધક સંઘ તથા માણેકલાલ મોહનલાલ ઝવેરી પરિવાર તરફથી ધર્મતિર્થ પ્રભાવક પૂ. આ. શ્રી વિજય મેમાનંદ સૂરીશ્વરજી મ. આદિ ઠાણા દશનો ચાતર્માસ પ્રવેશ અષાઢ સુદ ૬ તા. ૧૮-૭-૯૯નાં ભવ્યાતે ભવ્ય રીતે થયો. પૂ. મુ. શ્રી ભવ્ય દર્શનવિજયજી મ.નો અષાઢ સુદ ૭ ના પંચમાંગ શ્રી ભગવત, સૂત્રના જોગમાં પ્રવેશ થશે તથા બીજા પણ સાધુ સાધ્વીજી મહારાજોને વિવિધ જોગમાં પ્રવેશ કરાવાશે
મોંબાસા – કેશવલાલ પ્રેમચંદ વેરશી માલદેના પુત્રવધુ શ્રીમતી પુનમબેન સતીષકુમા૨ માલદેએ સળંગ ૧૦૮ આંબેલ સુખરૂપ કરતાં ખૂબ શાતા છે અને તેની ઉજવણી રૂપે તેમના તરફથી રવિવાર તા: ૪-૭-૯૯ના ઉપાશ્રય હોલમાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન રાખેલ હતું તેમનું પારણુ તા. ૫-)-૯૯ના રોજ શાતા પૂર્વક થયું છે પૂજન ઠાઠથી અને ઉલ્લાસપૂર્વક ભણાવ્યું હતું.
પાદરા - અત્રે પૂ. મુ.શ્રી મુકિતધન વિ. મ., પૂ. મુ. શ્રી પુણ્યધન વિ. મ. નો ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદ-૬ રવિવાર તા.૧૮-૭-૯૯ના સસ્વાગત થયો.
રામણીયા (રાજ.) અત્રે પૂ. આ. શ્રી દર્શનરત્ન સૂરીશ્વરજી મ. નો ચાતુર્માસ ઠાઠમાઠથી અષાઢ સુદ-૬ના થયો ચાતુર્માસ માટે બહારગામથી પધાર્યા આમંત્રણ આપ્યું છે.
ભાંગવાડી (મુંબઈ) અત્રે પૂ. આ. શ્રી વિજય ગુણયશ સૂ. મ., પૂ. આ. શ્રી વિજય કીર્ત્તિયશ સૂ. મ. ની નિશ્રામાં નૂતન જિનમંદિરમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથજી આદિ જિન બિંબોની પ્રતિષ્ઠ દ્વિ.જેઠ સુદ ૧૧ના ધામધૂમથી થઈ છે.