SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૮ ; : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રીમંત પુત્ર રત્નોની પરીક્ષાને અભ્યાસ કરવામાં બાર-બાર વર્ષો પસાર કર્યા અને રતનપરીક્ષક તરીકે કુશલતા-આજની ભાષામાં માસ્ટરી–પ્રાપ્ત કરી. તેને થયું કે ચિંતામણિ છે. 8 રત્ન એ જ શ્રેષ્ઠ છે બીજા રત્નો તેની આગળ પત્થર જેવા છે. ચિંતામણિ રત્નને જે છે પ્રાપ્ત કરવા ઘણે ઠેકાણે ભમે છે. જેવું તેને ચિંતામણી ૨નનું અથી ૫ ગુ જાગ્યું છે તેવું જ મોક્ષનું અને સદ્દધર્મનું અથીપણું જાગે તે મુકિત તે આ રહી ! પણ દિન છે કહાં.... આ રીતે ફરતે ફેરતો તે એક જંગલમાંથી પસાર થઈ રહ્યો છે. ઘેટા-બકરા છે ચરાવનારા એક ભરવાડના હાથમાં ચિંતામણું રત્ન જોયું. - ' તેની પાસેથી લઈ બરાબર નિરીક્ષણનાં કરતાં લાગ્યું કે આ ચિંતામણિ રત્ન જ છે છે તેથી પેલા ભરવાડને કહે કે, આ પથરો મને આપીશ તે મારા ઘરમાં છોકરાઓને એ છે રમવા કામ આવશે. એક માત્ર પરિગ્રહને પ્રેમ આત્માને કે જૂડો બનાવે છે. કેવી છે અધમ કક્ષાએ લઈ જાય છે. એક જૂઠાણું સે જુઠાણાને બોલાવે તે સૌના અનુભવમાં છે. પરિગ્રહ સંજ્ઞાને આધીન થયેલામાં સારો દાન ગુણ કે સાચી ઉઢારતા પણ આવવી ? તે આકાશપુષ્પની જેમ અસંભવિત વાત છે. તેથી જેને મને તે પથર ની સાચી છે ઓળખ પણ નથી કે કશી કિંમત નથી તે રબારી પણ પરિચયુ સંજ્ઞાને દશ પડી તે જ શ્રેષ્ઠીપુત્રને કહે કે, “આવા પથરા તે અહીં ઘણા બધા પડ્યા છે તે તું કેમ તે જ નથી ? તેના જવાબમાં તે વણિક પુત્ર કહે કે “મારે ઘરે જવાની ઘણી જ ઉતાવળ છે છે મારે તે સમયને અભાવ છે. જોતું આપીશ તો તું બીજે પણ લt શકીશ.” છે એક જૂઠાણું બીજા જૂઠને ખેંચી લાવે. પરિગ્રહને વશ પટેલે તે રબારી તેને તે આ ચિંતામણિ રત્ન આપે તે નથી. ૨. આપણે આટલો જ પ્રાસંગિક વિચાર કરવો છે કે પરિગ્રહને વશ પડેલાની છે શું હાલત કેવી કયામણ બને ને, કેવી કેવી હીનતાને ધારણ કરે છે, કોની કોની ગુલામી કરે છે. આત્મગુણ સમધ્ધિથી શહેનશાહને પણ શહેનશાહ એવો આત્મા, આત્મ ૬ સ્વરૂપને ભૂલી, દુનિયાની સામગ્રીમાં જ ઇતિશ્રી માનનાર તે સામગ્રી માટે કેવું છે ગુલામીખત લખી આપે છે તે દરેકના અનુભવમાં છે. પરિગ્રહ સંજ્ઞા ભૂંડી લાગે તે જ આત્માનું કલ્યાણ થાય બાકી બધા પાપોની જ જનેતા આ સંજ્ઞા છે. તેના કારણે જ જગતમાં કે ઉકાપાત મા છે, કે વો અનર્થ ૨ ફેલાઈ રહ્યો છે તેનું વર્ણન થાય તેમ નથી. છેક ધર્માચાર્યના પદ ઉપર પ્રતિષ્ઠિત જ પણ આમાંથી બાકાત નથી રહી શક્યા તે દુઃખ છે. જેને આત્મ કલ્યાણ સાધવું હશે તે જ આ પાપથી બચી શકશે. સૌ વાચકે ૨ શાંતિથી આ વાત વિચારી, આત્મા સાથે અડાડી પરિગ્રહ સંજ્ઞાને તેડવા પ્રયત્નશીલ બને તે જ શુભયાચના સહ વિરમું છું.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy