SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૭૮૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) દિ (પાત્રમાંથી પડેલી ગોચરીના બિંદુ કે કણથી ખેંચાઈને કીડીએ આવે અને આપણાથી ૨ છે ચાલે ત્યારે તે ટોળે વળેલી કીડીઓના એક સાથે મત થઈ જાય. આથી પાત્રમાંથી એક છે કણ કે બિંદુ પડી ન જવાની પૂરતી કાળજી મુનિવરો રાખતા હોય છે. અને પડી ગયેલ છે જ હોય તે તેને જાળવીને લઈ લે છે કે લૂછી નાંખે છે.) ૨ અહીં પણ પડેલા કડવી તુંબડીના શાકના એક બિંદુની અપૂર્વ સુગંધથી ઝડપથી ૨ કીડીએ ખેંચાઈને આવવા લાગી અને તે રસને ચાખવા લાગી. રસને ચાખવા જતાં એ આ જ તે કીડીએ પોતાના પ્રાણ તજવા લાગી. મરી રહેલી કીડીઓને જોતાં અત્યંત સંવેગ ન પામેલા મુનિવરે વિચાર્યું કે – “જે શાકનું એક જ બિંદુ આટલી બધી કીડીઓને હણી નાંખતુ હોય તે આ છે છે બધુ શાક જયાં પરઠવાશે તે ભૂમિ ઉપર તે કેટલાંયે જ પિતાના પ્રાણ તજી દેશે. છે તેથી કર પ્રાણીના પ્રાણને વિનાશ વેરાય તે કરતા તે એકલા મારા પ્રાણુનો નાશ વધુ શ્રેષ્ઠ છે. આમ વિચારીને રોમાંચ સહિત તે મુનિવરે (આખરે તે જ શાકથી ૨ પારણું કર્યું.) તે જ શાક વાપર્યું. સિદ્ધ ભગવંત પ્રત્યક્ષ પોતાના અપરાધની આલોચના છે છે કરીને આખરે સમાધિથી યુક્ત તે મુનિવર કાળધર્મ પામી સ્વાર્થ સિદ્ધ બિમાનમાં દેવ છે જ બન્યા. બીજી તરફ ધરૂચિ અણગારને ઈંડિલ ભૂમિથી વસતિમાં પાછા ફરતાં ઘણે ઉં ૬ વિલંબ થવાથી ચિંતિત બનેલ ઘૉષાચાર્યજી એ બીજા મુનિવરેને તેમની તપાસ છે કરવા મોકલ્યા. તે મુનિને પ્રાણ રહિત જોઇને તેના રજોહરણાઝિક ગ્રહણ કરીને ગુરૂ ભગવંતને સમર્પિત કર્યા. અને આચાર્ય ભગવંતે સૂકમ જ્ઞાનના ઉપયોગથે તે અણ- ૬ આ ગારના કડવી તુંબડીના ભક્ષણથી થયેલા મરણને તથા નાગશ્રીન તે વહોરવવા વખત- ૨ ૨ ના વૃતાંતને જાણીને સર્વ મુનિવરેને કહયે. લોકેમાં ધીરે ધીરે આ વાત ફેલાતા કે- ૨ છે પણ રીતે નાગશ્રીને વૃત્તાંત સેમવાદિના જાણવામાં આવ્યો. તે બ્રાહ્મણે એ અત્યંત જ આ રોષ સાથે નાગશ્રીને કાઢી મૂકી. લોકેથી ધિકકારાતી તે બધે ભટક્તી રહી. આખરે શરીરમાં છે. ખાંસી, શ્વાસ, જવર, કોઢાદિ જેવા ભયાનક સોળ-સેળ રોગો ઉત્પન્ન થયા. આથી તેણે આ રિ જનમમાં જ ભયાનક નરકની વ્યથા વેઠવી પડી. ભૂખ અને તરસથી પીઠાતી, ભીખ છે માંગતા તથા પાણી માંગતા પણ ડગલેને પગલે લોકે વડે ધૂત્કારાતી દુઃખી ખી થઈને જ ભમતી તે આખરે મૃત્યુ પામીને છઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને માછલી થઈ પાછી સાતમી નરકે પાછી માછલી પાછી ફરી સાતમી નરકે એમ દરેક નરકમાં બબ્બે વાર છે ઉત્પન્ન થઈ. નરકમાંથી નીકળીને પૃવિકાય આદિમાં અસંખ્યવાર ઉત્પન્ન થઈ.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy