SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે પિતાનું અનુશાસન ચલાવવા નહિ. પરંતુ મુખ્યત્વે તે પોતાના પ્રથમ તીર્થંકર નામકર્મના ઉદયના કારણે કર્યું છે. એવી વ્યવસ્થાને સાધુ ભગવંતોએ પણ કરવી જ જોઈએ અથવા સાચવવી જોઈએ—એવું પ્રભુએ ફરમાવ્યું ન હોવાથી સાધુભગત એ છે છે એ કામ કરવું જોઈએ નહિ. શતશિલ્પકમ વગેરેની વ્યવસ્થા અહિંસ છે – એમ જ વિ શાસ્ત્રોમાં કહ્યું નથી. માટે એને અહિંસક કહેનારાએ પોતાના નામે વાત કરવી, જિ છે શાસ્ત્રને નામે નહિ. જૈન મુનિઓની વિશ્વશ્રેષ્ઠતા, તેઓ સર્વ શ્રી વીતરાગપરમાત્માની પરમછે તારક આજ્ઞા મુજબ રાગ દ્વેષ અને મહિને આધીન બન્યા વિના સમ્યજ્ઞાન દર્શન છે. અને ચારિત્રની સાધના કરે છે–માટે છે. તેઓ પેલી સુવ્યવસ્થાનું રક્ષણ કરે છે દિ માટે નહિ. - શ્રી શ્રાદ્ધવિધિ ગ્રંથમાં અપાશે પણ હિંસાની વિરતિ કઈ રીતે શક્ય છે-તે છે છે દર્શાવ્યું છે. અનિવાર્ય હિંસાથી જીવન કઈ રીતે જિવાય-એ માટે એ ગ્રંથ નથી. શ્રી , આ ઋષળદેવ ભગવાનના શાસનમાં એ કઈ ગ્રંથ રચાયો હતું કે નહિ તેની ખબર નથી. પરંતુ અનિવાર્ય હિંસાથી જીવન કઈ રીતે જિવાવ એ સમજાવન રે એક પણ છે ગ્રંથ કેઈ પણ સુવિહિત સાધુએ રચ્યો નથી–એ ચોકકસ છે. શ્રી ઋષભદેવ ભગવાનના આ જ શાસનમાં એવો ગ્રંથ હોવાની કલ્પના કરનારને જણાવવાનું કે એ ગ્રન્થા જે કેઈએ છે એ રચ્યો હશે તેણે તે શ્રી પુંડરીકસ્વામી વગેરે ગણધરભગવતની સલાહ મુજબ ૨ો નહિ જ હોય. પોતાની ઈચ્છા મુજબ ઇંચેલા તેવા ગ્રન્થને તે વખતે સુવિહિત એ છે છે પ્રમાણભૂત કર્યો નહિ જ હોય. એવા ગ્રન્થ રચનારાને તેમની યોગ્યતા મુજબ પ્રભુને ? છે જે ઉચિત લાગ્યું હશે તે બધું જ કર્યું હશે. તેની ચિંતા આપણે કરવાની જરૂર નથી. હું સાધુજીવનની મર્યાઢા સમજાતી ન હોય તો તેને કેઈ સુવિહિત ગીતાર્થ ગુરૂ- ૨ છે ભગવંત પાસે સમજી લેવી જોઈએ, નયના નામે વાત કરતાં પહેલાં નયસાપેક્ષ વિચાર એ કર્યો હોત તે સૂવિરુદ્ધ લખવા–બોલવાનો અવસર જ આવત નહિ. અને એ ધ્યાનમાં રાખવું કે ઉચિત-અનુચિત; અનિવાર્ય–નિવાર્ય, અમર્યા- ર રે મર્યાદિત, વિહિત–અવિહિત, નિષિદ્ધ-અનિષિદ્ધ. અને હિંસા-અહિંસા વગેરેને વિચાર છે શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ કરવો જોઈએ. “રાજા ઋષભે રચેલી જ સુવ્યવસ્થા સાધુભગવોએ ચલાલવી જોઈએ”– એમ શ્રી વીતરાગ પરમાત્માએ ફરમાવ્યું ન હોવાથી સાધુ ભગવતે તેવા પ્રયત્નથી દૂર રહે છે અને તેમણે દૂર જ છે રે રહેવું જોઈએ. સૂમ બુદ્ધિને ઉપગ આરાધના માટે કરી આપણે સૌ માર્ગસ્થ બની છે જ રહીએ એ જ એક શુભાભિલાષા. –આ. વિ. ચન્દ્રગુપ્તસૂરિ. (ક્રમશ:)
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy