SearchBrowseAboutContactDonate
Page Preview
Page 974
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] છે ઉ– બધા જ ખરાબ. “વિણ ખાધે વિણ ભેગવે ફેગટ કર્મ બંધાય. જે જીવ છે કરી કાંઈ ન શકે પણ કરવાના વિચારમાં જ એવાં કર્મ બાંધે જેનું વર્ણન. ન થાય. આ આવા જીવો શ્રાવક પણ બને નહિ, સમક્તિ પણ પામે નહિ. સમક્તિ પામવા માટે આ છે ને દુનિયાના સુખને ભૂંડું માનવું જ પઠશે, દુઃખને સારું માનવું પડશે. તે ૨ ખ ઉપર છે જે રાગ થાય છે તેને બદલે તેના ઉપર દ્વેષ કરે પડશે અને દુઃખ ઉપર કે દ્વેષ થાય છે 1 છે તેના ઉપર સદ્દભાવ કરવો પડશે. પાપ કરીએ તે દુખ આવે જ તે દુ ખ ઉપર જ છે ગુસ્સો કરીએ તે આપણા જેવો બેવકૂફ બીજો કેણ છે? મારે તમને બધાને સ શ વિચાર T કરતા તે કરવા જ છે. માણસને જીવતા આવડે, માણસ માણસ બની જાય તો તે મરીને સારી છે છે ગતિમાં જ જાય દુર્ગતિમાં ન જવું હોય અને સારી ગતિમાં જવું હોય તે તે આપણા 4 | હાથની વાત છે. તમારે સદગતિમાં જવું છે તે પરિગ્રહ ગમે છે ? સભાઃ આપને જવાબ આપીએ તે પાંજરામાં રહેલા ગુનેગારની જેમ આપે છે ઉલટતપાસ કરે છે. ઉ– તમે પેટે જવાબ ન આપે, મને પણ ઠગો નહિ અને તમારી જાતને છે પણ ઠગે નહિ માટે ઉલટ તપાસ કરવી પડે છે. ભગવાન કહી ગયા છે કે મહારંભ અને મહાપરિગ્રહ જેને ગમે, સારા લાગે તે છે બધા મોટે ભાગે નરકગામી જીવ છે શાએ કહ્યું છે કે– ઉત્સર્ગ માગે શ્રાવક અપારંભી અને અલ્પપરિગ્રહી હોય. તેને મહાપરિગ્રહી થવાનું મન જ ન હોય. જેમ જેમ પૈસા છે વધે અને મેહ વધતું જાય છે તે માને કે દુર્ગતિમાં જવાની તૈયારી થઈ રહી છે. 8 તમને બધાને આનંજ કામદેવાદિના પરિગ્રહની વાત યાદ છે પણ તેમના વ્રતની વાત છે યાત્ર નથી. તે બધા જેન કુળમાં જન્મ્યા ન હતા. તે બધા પહેલેથી મહાશ્રી તે હતા. પણ ભગવાનની એક જ દેશના સાંભળી અને ભર સભામાં ઊભા થઈને કહ્યું છે કે-“હે ભગવાન ! આપનું નિર્ગસ્થપણું એ જ અર્થ છે. એ જ પરમાર્થ છે બાકી બધું ખોટું છે. પણ તે લેવાની અમારી શક્તિ નથી માટે અમને શ્રાવકપણું આપો.” તેમણે જે ત્રતનિયમો લીધા તે તમારૂં ગજુ છે? તમારી તતની નોંધ જુએ તે થાય કે આવા ભીખારીને વ્રત કેમ આપ્યા હશે? ઘેર આવીને પોતાની સ્ત્રીઓ ને વાત કરી કે આજે ભગવાન મળ્યા, ભગવાનની દેશના સાંભળી, તે ગમી ગઈ અને આવાં આવાં વ્રત લીધાં, ને તો તેમની સ્ત્રીઓય ભગવાન પાસે જઈને શ્રાવિકાપણું લઈ આવી. તમારા ઘરની શી ? હાલત છે? તમારા ઘરના દરેક સભ્યો ધર્મ સાંભળી શકે તેવી વ્યવસ્થા કરે છે? જેને દુર્ગતિમાં ન જવું હોય તેને પૈસે કેવું લાગે? તે આરંભથી ગભરાય છે ! ન ગભરાય? તેની પાસે આજીવિકા જેટલા પૈસા હોય તે વધારે મેળવવાનું મન થાય?
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy