SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૪ : તા : શ્રી જૈન શાસન. [અઠવાડિક] - છે અને સદગતિમાં જવું છે તે સુખ માટે નહિ પરંતુ ત્યાં શ્રી વીતરાગદેવનો ધર્મ મળે, છે તેની સાધના કરી વહેલો મેક્ષે પહોંચી જાઉં. આ વિચાર આસ્તિકને રવાભાવિક હોય. છે મેક્ષને માને, પરલકને માને તેની આસ્તિક્તા કેવી હોય તે સમજાય છે ! આપણે બધાને મિક્ષ જોઈએ છે? મેક્ષ ક્યારે મળે ? પૂરેપૂરો ધર્મ થાય તે. { પૂરેપૂરો ધર્મ ક્યારે થાય ? યથાખ્યાત ચારિત્ર આવે છે. તેવું ચારિત્ર ન આવે તો છે મિક્ષ ન મળે. આજે આપણે અહીંથી સીધા મેક્ષે જઈ શકીએ તેમ નથી. કેમકે, આજે પહેલું સંઘયણ નથી, પાંચમે આરે છે, યથાખ્યાત ચારિત્ર પામી શકાય તેમ નથી તે ન છે. અહીંથી ક્યાં જવું છે તે નકકી કર્યું છે? ' આપણે તામલી તાપસની વાત કરી આવ્યા. તે જૈનેતર વૃદ્ધસ્થ દે, મહાશ્રીમંત છે. તેની આબરૂ કેવી છે તે ખબર છે ? તે જે ગામમાં વસે છે તે ગામના લેકે ? માનતા કે આ અમારો આધારભૂત છે, મેઢીભૂત છે. કેઈને પણ જરૂર પડે અને તેને આ ઘેર જાય તો તેનું દુઃખ દૂર કરે છે. આવા મહાશ્રીમંતને પણ એક રાત્રિના ચિંતા થઈ ? કે મેં ભૂતકાળમાં ધર્મ કરેલો માટે આ બધી સુખસામગ્રી મલી છે. જે અહીં ધર્મ ન કરું તે ક્યાં જાઉં?” તમને આવી ચિંતા થાય છે ? તેના કરતા તમને સારી સામગ્રી ૧ મલી છે. શ્રી અરિહંત પરમાત્મા જેવા દેવ મળ્યા છે, નિર્ગથ ગુરૂ મળો છે, સર્વ છે ત્યાગમય ધર્મ મળે છે, “આ સંસાર ભયંકર છે માટે છોડવા જેવો છે. મોક્ષ સારો છે માટે મેળવવા જેવો છે” આ વાત રોજ સાંભળવા મળે છે. તો પરલોક ની ચિંતા થાય છે છે? આ સંસારમાં, સંસારના સુખમાં મઝા આવે છે તે મારું શું થશે તે ચિંતા થાય છે છે થાય છે ? આ પૈસો મેળવવા જૂઠ બોલું છું, હું લખું છું, અનીતિ આઢિ કરું છું તે તેનું ફળ યાઢ આવે છે ? પાપ કરવા છતાં ય તેનું ફળ યાટ ન અાવે તો તેને છે ધમી કહેવાય ? તમે જ્યાં બેઠા છો તે ખરાબ જગ્યા છે તે છોડવાનું મન ન થાય, જે સુખ અનેક પાપ કરાવનારું છે તે સુખ અધિકને અધિક મેળવવાનું મન થાય ! તો તે ધર્મ કરનારે કે કહેવાય ? જૈન તે મહા આસ્તિક છે. તેની આસ્તિકતા ઊંચી છે. તેને તે મેક્ષ વિના છે બીજું કશું જોઈતું નથી. તે માટે રોજ શ્રી જિનપૂજાઢિ જિનભકિત કરે, આરંભાદિની આ ક્રિયા કરવી પડે માટે કરે પણ દુખપૂર્વક કરે, જેમ બને તેમ આરંભાઢિ પાછા કરવાની આ ઈછાવાળો હોય. આજીવિકાનું સાધન હોય તો તે વેપારાદિ કરે નહિ. ઉત્સર્ગ માગે ૧ શ્રાવક. અલ્પારંભી અને અ૫૫રિગ્રહી હોય. શ્રી પુણીયા શ્રાવકની વાત તો અનેકવાર સાંભળી છે. જે કાળમાં સૌનેયા ઉછળતા હતા તે કાળમાં તેની પાસે બે આના જેવી
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy