SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન |અઠવાડિક]. શાસનને વિરછેદ એ શબ્દમાં પણ ધર્મ વ્યવસ્થા તંત્રનો વિચ્છેદ એ અર્થ છે. તત્ત્વજ્ઞાન અને આચાર રૂપ ધર્મ પણ શાસન સંસ્થા દ્વારા લોકોને પ્રાપ્ત થઈ છે શકે છે. અને એ દ્વારા જ તેની આરાધના સુલભ થાય છે. શ્રી મરૂદેવા માતા અતીર્થ સિદ્ધ થયા તેનો અર્થ પણ એજ કે તે આ તીર્થની છે એટલે કે શાસનની સ્થાપના થયા પહેલાં મેક્ષ માર્ગમાં ગયા. શ્રી ઋષભદેવ પ્રભુ પણ શરૂઆતમાં નમો તિથલ્સ કહીને સમવસરણ માં બિરાજમાન થયા, ત્યારે તેમણે હજુ શાસન સ્થાપ્યું પણ નહોતું છતાં શાસન એ પ્રવાહથી અનંતકાલીન છે, અને તેથી તેમણે તે શાસનને નમસ્કાર કર્યો હોવાનું માનવું રહ્યું. પૂર્વના આ ઘણું ભમાં શાસનને આશ્રય લઈને તેઓ તીર્થંકર પ્રભુ બન્યા છે, અને માટે તે શાસનને નમસ્કાર કરવામાં આવે છે. કેમકે શાસનના આશ્રય વિના જીવોને મોટે ભાગે ! ધર્મની પ્રાપ્ત થતી નઈ. મંદિર, પ્રતિમા, સાધુ મહારાજ, શાસન ઉપદેશ વિગેરે પણ છે શકય હોય તે જ સંભવે. પ્રથમ ધર્મ પ્રાપ્તિ પણ શાસનના આશ્રયે જ થાય. . માટે તે એક જ જગતમાં મહાકલ્યાણકર અજોડ કેપવૃક્ષ સમાન હોવાથી મુખ્ય- છે પણે તેને મસ્કાર થાય છે. થાપિ પૂર્વાચાર્ય મહારાજાઓએ પણ ઘણે ઠેકાણે શાસન, પ્રવચન, તીર્થ ૧. શબ્દોના અર્થ શી શાસ્ત્ર વિગેરે કરેલા છે, અને તેથી “નમો તિથ્થસ” શબ્દનો ! અર્થ શ્રી સંધનમસ્કાર એ કરેલો છે. પરંતુ ત્યાં તીર્થ અને સંઘનો અભેટ કરીને એ આ ર્યોનું સંભવે છે, કેમકે શાસનના સંચાલનની સર્વ જવાબદારી શ્રી સખી છે. | મ્યુનિસીપાલીટીના ચેરમેન હુકમ તે મ્યુનિપાલીટીની સંસ્થાનો જે હુકમ હોય છે, પછી ભલે તે ઘરમેન કલાક પછી બદલાઈ જાય. પરંતુ તેનો હુકમ મુ. સંસ્થા ૧ કાયમ રાખે છે. તેથી સંસ્થા અને તેના સંચાલકનો અભેદ્ર કરીને ચાલતે વ્યવહાર 1 તે પ્રસિધ્ધ જ છે. આ ઉપરથી શાસન, પ્રવચન તીર્થ, ધર્મ તીર્થ એ સંસ્થારૂપ જુદું છે અને તે | શાશ્વત ધર્મ, સંઘ, શાસ, મિલ્કતો વિગેરે જુદ્ધાં છે એમ સ્પષ્ટ સમજાય છે. છતાં એકબીજા જુદા સંબંધથી જોડાયેલાં હોવાથી તયભેઢથી અને ઉપચારથી પરપર મળેલા છે અભેદરૂપ પણ હોય છે. ૧. શ્રી તીર્થંકર પ્રભુ ધર્મના-શાસનના સ્થાપક તરીકે સ્વતંત્ર વ્યકિત છે.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy