SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ • શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્ર : શાસ્રામાં ગ્રહણ સમયે અમુક સમય સુધી સ્વાધ્યાય કરવાના તા નિષેધ કર્યા જ છે ને ? જે ગ્રહણમાં સ્વાધ્યાય ન થઈ શકતા હાય તેા દેરાસરમાં જિનપૂજા પણ શી રીતે થઈ શકે ? ૬૫૮ : ઉ॰ : જિનપૂજા કરવા અંગેના નિયમ અને સ્વાધ્યાય કરવા અગેના નિયમા શાસ્ત્રકારએ અગ અલગ બતાવ્યા છે તેથી તે બંનેની ભેળસેળ કરીને નવે. ખાટા નિયમ બનાવાય નહિ. ત્રણ ચામાસીના અઢી અઢી દિવસ અને મે શાશ્વતી અદૃાઇએમાં સુઇ પાંચમની અપેારથી વદ બીજના સૂચય સુધીના સમય દરમ્યાન વિશિષ્ટ શ્રુતાના સ્વાધ્યાય કરવાનો નિષેધ હાય છે, પણ આ જ દિવસેામાં જિનપૂજા વગેરે ભકિત તા વિશિષ્ટ પ્રકારે કરવાનું વિધાન છે. તેમી અસજ્ઝાય અને જિનપૂજાના વિધાનને ક્શા જ સંબંધ નથી. આથી ‘અસ્વાધ્યાય છે' એમ કહીને જિનપૂજના નિષેધ કરવામાં આવે તે સ્પષ્ટ રીતે જિનભક્તિમાં અંતરાય કરવાનું પાપ બંધાય. માટે વિવેકી આત્માઓએ જિનભક્તિમાં અંતરાય કરનારી અવિવેકી સૂચનાના અમલ કરવા નહિ. પ્ર૦ : ગ્રહણ સમયે જિનાલય બંધ રાખવાનું કાય. શાસ્રીય રીતે ચેાગ્યુ નથીએ વાત તા સમજી ગયા. પરંતુ શાસ્ત્રમાં લેાકવિરુદ્ધના ત્યાગ કરવાની વાત પણ સ્પષ્ટ જ લખી છે ને? લેાકેા ગ્રહણ સમયે પેાતાના મંદિરા બંધ રાખતા હાર તે તેની વિરુદ્ધમાં જઇને આપણે જિનમદિરા ખુલ્લાં રાખીએ તા લેવિરુદ્ કાર્ય કરવાના દોષ ન લાગે ? ઉ : ગ્રહણ સમયે અન્ય ધી ઓ પેાતાના મન્દિરા બધ રાખતા હેાવાની વાત બેટી છે. અન્ય ધર્મીઓ તેા ગ્રહણ દરમ્યાન દેવપૂજાનુ વધુ મહત્ત્વ માને છે. કદાચ આ જ કારણે ગ્રહણ સમયે આપણાં દેરાસરા બંધ રાખવાનું શરૂ થયું હતું. (આપણા દેરાસરામાં પૂજારીએ જૈનેતર હેાય છે. ગ્રહણ દરમ્યાન તેમના ધર્માંકૃત્યા કરવા તેએ જતા રહે તેથી દેરાસર સાચવવાની તક્લીફ્ પડતાં દેરાસરા બ`ધ રખાતા થયા હશે.) એકંદરે ગ્રહણ સમયે મદિરા બંધ રાખવાના દ્વાકાચાર જ ન હેાયતા મંઢિરા ખુલ્લાં રાખવામાં લાવિરૂદ્ધ શુ થતું જ નથી. બીજી વાત એ પણ વિચારવાની જરૂર છે કે મઢા બંધ રાખવાની જેમ જ, અનેાના આચાર મુજબ ગ્રહણ સંબંધ. દાન-સ્રાન વગેરે કાર્યો કરવાના કડક આદેશ ગ્રહણવાદી આચાર્યાં કેમ નથી આપતા? મદિરા બંધ ન રાખે તેા લાવિરૂધ્ધના દોષ સમજનારા, ગ્રહણ સંબંધી દાન ન આપે, ગ્રહણુ સંબંધી આાન ન કરે તે બાબતમાં લેાવિરૂધ્ધના દોષ કેમ ગણતા નથી ? ગ્રહણ વિષચક લૌકિક માન્યતાએ અડધી માનવી, અડધી છેાડી દેવી વગેરે વિટંબના માં મૂકાવા
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy