SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૪ : . : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે A હારિભદ્રવૃત્તિમાં, સાધુ સૂતકવાળા ઘરે ગોચરી જાય તે “શાસનલઘુત્વપ્રસંગાતુંએવા છે શબ્દથી “શાસનની હીલનાને પ્રસંગ છે એમ શા માટે જણાવ્યું છે ? ઉ ? કારણ સ્પષ્ટ છે. સ્મૃતિ આદિના આધારે ચાલનારા અન્ય ધર્મને શિષ્ટ- $ (જનોનાં ઘરમાં સૂતક આત્રિના સમયમાં દાન દેવાને નિષેધ હોય છે. છતાં જે સૂતક છે આદિના સમયમાં તેવા શિષ્ટજનનાં ઘરે સાધુ ગેચરી માટે જાય તો તેઓ ને થાય કે- 8 સર્વજ્ઞશાસનના કહેવાતા આ સાધુઓ શું લોક વ્યવહારને પણ જાણતા નથી ? ? | અમારે ત્યાં સૂતક આદિના સમયમાં દાન આપવામાં આવતું નથી એ વાત સામાન્ય છે તે ભિક્ષુક પણ જાણે છે, તો સર્વજ્ઞ શાસનના સાધુ થઈને આ શ્રમણે ભિક્ષા માટે અમારે [ ઘેર આવી ગયા? આ તે કેવું સર્વજ્ઞશાસન ઈત્યાદિ પ્રકારે શાસનની લઘુતા થાય છે. આ કે આમાંથી ક્યાંય જેનેથી સાધુને સૂતકમાં ન વહોરાવાય’ એવું” નીકળતું નથી, D૦ : તમે સૂતકવાળાના ઘર પૂછી પૂછીને તે ઘરના માલિકે ખપે એમ નથી. } કે સુવાવડ છે” એમ સ્પષ્ટ કહે છતાં તે ઘરથી જ ગોચરીના પાત્રો કેમ ભરો છો? સૂતક- | ગૃહમાંથી ગોચરી લાવવાના કારણે તમે શાસનની હીલના કરી રહ્યા નથી ? ' ઉ૦ : જેનેતરને ત્યાં આજના કાળમાં મોટાભાગે ગોચરી વહોરવા જવાનું ! | બનતું નથી. છતાં તેવા પ્રસંગમાં જ્યારે તેમને ત્યાં વહોરવા જઈએ છીએ ત્યારે જ છે. સૂતથી માંડીને બધી મઢાઓને ધ્યાનમાં રાખીને જ વર્તન કરીએ છીએ તેથી ઉપર છે જણાવ્યા મુજબ શાસનની હીલના થાય તેવા વિચારો તેઓને પેઢા થવાનું નિમિત્ત છે અમે આપતા જ નથી. જેના ઘરમાંય, જે તે શ્રાવક એમ કહે કે “અમારે ત્યાં સૂતક છે છે છે માટે અમારી ગોચારી ખપે તેમ નથી તે અમે ત્યાં જવાનો આગ્રહ રાખતા નથી. $ સાધુધર્મની મર્યાદા પ્રમાણે એ આગ્રહ રખાય નહિ. પણ તે શ્રાવક એમ પૂછે કે છે અમારે ત્યાં અમુક રીતનું સૂતક છે તે અમારાથી આપને ગોચરી વહોરાવાય?? તો 8 અમે તે શ્રાવકને સ ય જરૂર બતાવીએ કે “ઉચિત શુદ્ધિ (સ્પર્શાહિ નહિ થવા દેવા છે વગેરેની) સચવાતી હોય તે સુપાત્રઢાનને નિષેધ નથી.” આ સમજાવ્યા પછી ય, જે તે છે શ્રાવક પૂરા ભાવથી વિનંતિ કરે તે જ અમે તેના ઘરની ગોચરી વહોરીએ છીએ.. ? આમ છતાં ય અમે “સૂતકવાળાનાં ઘર પૂછી પૂછીને હઠપૂર્વક તેવા ઘરોમાં વહોરવા ? માટે ઘૂસી જતા હેઈએ આવા આક્ષેપ કઈ કરે તેથી અમને કેઈ દોષ નથી. આક્ષેપ છે કરનારાને મૃષાવાઢ અભ્યાખ્યાન વગેરે દેષ લાગે તે તેણે વિચારવાનું છે. પ્ર૦ કે તમારી આટલી વાત જાણ્યા પછી સમજાય છે કે “સૂતકમ સાધુને ન છે વહોરાવાય’ એવો જૈનાચાર નથી. શ્રાવક સૂતકમાં સાધુને વહોરાવી શકે પરંતુ શાસ્ત્ર
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy