________________
હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા મુજબ,
શાસન અને સિદ્ધાંત રક્ષા તથા પ્રચારનું પત્ર
જળ થાજો
(અઠવાડિક)
તંત્રીઓ પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢવાણ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ પાનાચંદ પદમશી ગુઢકા | (રાજકોટ)
(થાનગઢ)
- વર્ષ ૯] ૨૦૫૨
આસો સુદ ૩ મંગળવાર
તા. ૧૫-૧૦-૯૬ [અંક ૯ + ૧૦
)
ભગવાનના શ્રી સંઘનો સાચો સેવક કોણ?
- પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. આ મનુષ્યજન્મમાં શક્તિ હોય તેને સાધુ થવું જોઈએ. તેવી શક્તિ ન હોય તે વહેલામાં વહેલો સાધુધર્મ પમાય તે મ ટે શ્રાવકપણું પાળે અને આજ્ઞામુજબ જીવે તો મુક્તિ મળે અને શાશ્વત સુખમાં મહાલતા થવાય. આ દુનિયામાં સુખમાં કશું નથી, તે તો પાપરૂપ છે. આ દુનિયાનું સુખ મળે પુણ્યથી પણ તે મેળવવાની ઈચ્છા થાય તે પાપવી. તે ભોગવાય પુણ્યથી પણ ભોગવવાનું મન થાય તે પાપથી. તે સુખ મજેથી ભોગવે તે દુર્ગતિમાં જ જાય; સંસાર માં રખડવું પડે. આ સમજનારાએ આજ્ઞાથી વિરુદ્ધ કાંઈ ન થઈ જાય તેની પૂરી કાળજી રાખવી જોઈએ
ભૂલ થતી હોય, ભૂલ થઈ ગઈ હોય તો તે ભૂલ કબૂલ કરી લેવી જોઈએ અને તેમાં સુધારો કરી લેવો જોઈએ. ‘૨થા આરાની વાતો આ પાંચમા આરામાં ન ચાલે” એવું બોલનારા ઘણા છે. ભગવાનનું શાસન હજી સાડા બઠાર વર્ષ સુધી ચાલવાનું છે. છેલ્લે શાસનમાં એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા રહેશે ત્યાં સુધી શાસન રહેવાનું છે. પણ આપણે જીવતા હોઈએ તો શાસનની વિરાધના અટકાવવાસમજાવવા માટે પુરુષાર્થ ન કરીએ તો અમે પણ પાપના ભાગી બનીએ ! બાકી મરજી મુજબ વર્તશે તો નુકશાન તેમને થશે. તમને બધાને ખબર છે કે ૨૦૪૪ નું જે સંમેલન થયું અને તેમાં જે ઠરાવો કર્યા તે આજે મોટે ભાગે કોઈ માનતું નથી. જુના લોકો કહે છે કે જે રીતે ચાલ્યું આવે છે. (દેવદ્રવ્યાદિની જે વ્યવસ્થા પ્રાચીન ચાલ છે) તેમાં ફેરફાર નહિ થાય. ભૂલ તો એવી થઈ છે જેનું વર્ણન ન થાય. ૨૦૪૪નું સંમેલન કેમ થયું તે ખબર છે? કલિકુંડતીર્થમાં આ. શ્રી ભદ્રંકરસૂરિજી ગયેલા ત્યારે તેમનું સારું સામૈયું કરાયું તે વખતે તે આચાર્યશ્રી 1 વિચાર આવ્યો અને બોલ્યા કે “અમે શ્રાવકોનું શું ભલું કર્યું કે અમારું આવું સારું સામૈયું કર્યું?)
(વર્ષ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
': ૧૬૧