SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૩૪ શ્રી જૈન શાસન [અઠવાડિક] - શરીરના અંગે કપાઈ કપાઈને ધરતી ઉપર પડવા લાગતા આખરે તાંત્રિકે જેમના યોગ બળના પ્રભાવથી ફફડે જઈને સાવીને મુક્ત કર્યા, અને પોતાના અંત સમયે પોતાના શબમાંથી કપાળને ચૂરેચૂરા કરી નાંખવાનું પોતાના શિષ્ય પાસેથી વચન માગનારા (તાંત્રિક આ મડદામાંથી કપાળને કાઢી લઈને પછી જેન શાસનને ઉપદ્રવ કરવાને હતે. માટે જેન શાસનની રક્ષા માટે ) આવું વચન માગનારા યંગ લબ્ધિના સ્વામી પૂ. આ. છેશ્રી જીવસૂરીશ્વરજી મહારાજનું જીવન હું શું આલેખી શકવાને હતા ? (૧૦) સવ શાસ્ત્રાર્થોના પારંગત, પ્રચંડ પ્રતિભાના ધણી સિધસેન દિવાકર જેવા અજેય બ્રાહ્મણ પંડિતને જેમણે પહેલાં ગોવાળીયાઓની સભા માં અને અંતે વિદ્વાનોની * સભામાં કારમી રીતે પરાભવ પમાડી જેનધમી બનાવી જેમણે દીક્ષા વખતે કુમુદચંદ્ર એવા નામથી સિધસેન દિવાકરને અલંકૃત કર્યા અને આચાર્યપદે સ્થાપીને સિધસેન દિવાકર સૂરિના નામથી વિભૂષિત કર્યા એવા વૃદ્ધવાદિ સુરીશ્વરજી મ.ના ચરણમાં કેશિત વંદના (૧૨) બૌધ્ધ દ્વારા થયેલા પોતાના સગા ભાણેજ હસ અને પરમહંસના મતને બદલે લેવા જેમણે બધાની સામે વાદને સંગ્રામ સંઘર્ષ વહેર્યો અને હારનારને ખદખદી ઉઠેલા તેલના કડાયામાં કૂદી પડવાની શસ્ત રાખીને જેમણે ૧૪૪૪ બ ને એકલે હાથે વાદમાં પરાસ્ત કર્યો અને તેલના ખદખદતા લારા જેવા કડાયામાં કૂદી પડવા બ ધોને આદેશ કર્યો હતે પણ પોતાના ગુરૂદેવને આ સમાચાર મળતાં તેમણે તાત્કાલિક પિતાના જે શિષ્યને પ્રતિબંધ પમાડવા અને આવા વૈરની વસૂલાતવાળા હિચરારા કામથી પાછા હટાવવા ગુણસેન અને અગ્નિશમની એક પક્ષીય વૈરના કારણે સર્જાયેલી નવ-નવ ભવની પરંપરાને જણાવતી ત્રણ ગાથા મોકલી અને તે ગાથા વાંચતા જ પ્રતિબંધ પામેલા જેમણે હારી ચુકેલા બધાને ખદખદતા તેલમાં કુદી પડતા અટકાવી લધા હતા. અને આખરે મનથી કરેલી આ હિંસાના પ્રાયશ્ચિત રૂપે જેમણે અંબાદેવીના કહેવાથી ૧૪૪૪ ગ્રંથની રચના કરવાનું શરૂ કરેલું અને આખરે ૧૪૪૦ ગ્રંથ રચાયા પછી છેલ્લે સંસાર દાવાની “આમૂલાલધૂલિ બહુલ પરિમલા લીઢ બેલાલિમાલા' આ પદ લખતા લખતા જેણે પોતાના પ્રાણ તયા હતા એવા યુગ પુરૂષ પૂ. હરિભદ્રસૂરી. મહારાજાના જીવનનું વર્ણન કરવાની મારામાં કોઈ જ તાકાત તે શું લાયકાત પણ નથી. ' (૧૩) જેમની ધારણ શક્તિની પરીક્ષા કરવા સરસ્વતી દેવીએ જેમ કે મિ (સ્વદિષ્ટ શું?) એમ પૂછતા “વલા' () આ જવાબ મળે અને પછી છ મહિને. પાછું “કેમ સહ? (શેની સાથે) આમ પૂછતા જેમણે “ગુડતેન” (ગોળ-ઘી સાથે) આ જવાબ આપે એવા નચક મહાગ્રંથ રચયિત પૂ. મતલવારીરી. ના ચરણોમાં મારા કેટિ કેટિ વંદના.. - (ક્રમશઃ)
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy