SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૯ અંક ૫-૬ તા. ૧૭-૯-૯૬ : .: ૧૦૧ " છે. નિવૃત્ત થયા પછી પણ જે માથું મારે તે પાપ લાગવાનું જ છે. જેમ કપડાં, ઘરની ધૂળથી જ મેલાં થાય એવું નથી, બહારની ધૂળથી પણ મેલાં થાય; તેમ પોતે નિવૃત્ત થયા પછી છોકરાના ધંધામાં માથું મારે તે છોકરાના પરિગ્રહનું પાપ તેને ચેટે અનુદનાનું પાપ ભયંકર છે “પૈસાદાર છે, સુખી છે, ભાગ્યશાળી છે” એમ બોલતાં જ એ પરિગ્રહનું પાપ કપાળે ચોંટે છે, ભલેને તેમાં પોતાને ભાગ ન હોય કે નામ ન હોય ! “કમાય છે ને સાથે ખરચે પણ છે,” એમ બોલીને અનુમોદના કરી પાપ બાંધવાની જરૂર નથી. વિકથામાં આસકત હોય તે આચાય નહિ. આચાર્ય ભગવન્ત કથા કરે તે ધર્મકથા કરે અથવા મોન રહે પણ વિકથા તે ન જ કરે. અને છતાં જે આચાર્ય ભગવન્ત ધંધાની વાત શરૂ કરે તો શ્રાવક કહે કે, “સાહેબ ! પાપમાં જ છું એમ સમજે ને! હવે છુટવાને કઈ માગ હોય તે બતાવે.' એમ કહીને ઊભે થઈને ચાલવા માંડે. જે પૂ. સાહેબજી કાયમ માટે વિકથાથી વિરકત હતા અને વાધ્યાયમાં રત હતા, તેમને ભગત શેમાં રકત હોય ? તેને એક ગાથા ગેખવાનું પણ મન ખર? છેલ્લે સુધી કેળીમાં બેસીને પણ તેઓશ્રીએ ગોખવાનું કામ કર્યું હતું એવું છે અને એવી ડોળીની રગેળી પણ કાઢે છતાં પોતે ગેખવા તૈયાર ન થાય ! ગાથા ન ગેખે તે ચેન પડે, પણ છાપું ન વાંચે તે ચેન ન પડે ! આજે તે બધાને નિયમ આપવાનું મન છે કે એક ગાથા ગેખ્યા વગર છાપું ન વાંચવું. એક વરસ માટે જ નિયમ આપી દઉ, સાજે-માં છું! આજે ધર્મક્રિયામાં ચિત્ત નથી જતું તેનું કારણ જ એ છે કે સ્વાધ્યાયનું આલંબન રાખ્યું નથી. તેથી કયાંય કિંમત રહી નથી. બજારમાં ન છોકરે ઈ છે કે ઘરમાં ન ઘરના ઈરછે. બજારમાંય ભૂત જેવા અને ઘરમાંય ભૂત જેવા, છતાં ધર્મ ન સૂઝે. જો પૂ. આચાર્ય ભગવક્તની છાયા રાખી હોત, સ્વાધ્યાયને અભ્યાસ રાખે હેત; ધર્મઢિાને મહાવરે રાખ્યા હતા તે આ અવસ્થા ન આવત. “છેલ્લી ઉંમર સુધી સાહેબજી ગોખતા” એવું બેહનારા સાધુસાધવી પણ ગોખવાનું પસંદ ન કરે, તેમને તે વાંચવામાં જ રસ પડે. જીવવિચાર ગેખે તે ક્યાં બોલવા કામ લાગે ? વાંચીને તયાર થાય તે ગ્રહસ્થને સમજવા કામ લાગે!... અને એવા સાધુસાધવી તમને પ્રભાવક લાગે !! તમારા તે બધા માપદંડ જુદા લાગે છે. સાધુસાવીને ઓળખવાની શકિત પણ તમારામાં રહી નથી. જેને વિકથા ન કરવી હોય તેને ધર્મકથા કર્યા વગર ન ચાલે. વંદિત્તાની ૪૬ મી ગાથા યાદ છે ને ? ભગવાનના શાસનને પામેલા શ્રાવકની પણ ભાવના કેવી હોય તે એ ગાથામાં જણાવ્યું છે. તમને એને અર્થે આવડે છે ને? ચિરસંચિયપાવષણું સણિઇ. “ચિર કાળથી સંચિત કરેલાં પાપનું પ્રનાશન કરનારી અને લાખો ભવેનું મંથન કરનારી એવી, શ્રી વીસ જિનેશ્વર ભગવન્તના શ્રી મુખેથી નીકળેલી કથાઓ કરવા દ્વારા મારા દિવસો પસાર થાઓ.” આ અર્થ આપણને આવડે? યાદ રહે?
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy