SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ - ૮૨૨ 1 શ્રી જૈન શાસન [અઠવાડિક મહારાજને શિક્ષાપાઠશકિત-સંપન્ન આત્માઓએ ધમની રક્ષા માટે, માન-પાનની, લોક સારા કહે કે બેટાં તેની પરવા કર્યા વિના, * સાચું કહા વિના રહેવું નહિ મહારાજ જે સિદ્ધાંત છત્યા, જે સાચી વાત કરી સત્યને જાળવ્યું તે મુજબ જ ચાલે તે જ તેમને સારો શિષ્ય છે. ઉજવણી પણ જેની તેની ન થાય પણ કથાને લાયકની જ સ્વર્ગતિથિ ઉજવાય. - સાચી વાત જાહેર કરતાં અગ્યને કલેશ થાય અને ગ્યને લાભ થાય તે તે કલેશની કિંમત ન અંકાશ. - આજે એક એવા મહાપુરુષોને સ્વર્ગવાસ દિવસ છે જે મહાપુરુષને આ શાસન ઉપર મોટામાં માટે ઉપકાર વર્તમાન કાળમાં છે. ૫ પૂ. આ. શ્રી વિજ્યાનંદ સૂરીશ્વરજી મહારાજ જેઓ શ્રી આત્મારામજી મહારાજના નામથી પ્રસિદધ છે. તે મહાપુરુષ જેને કુળમાં જગ્યા ન હતા જેનેતર કુળમાં જન્મેલાં હતાં. તેમના પિતાનું નામ ગણેશમલજી હતું. અને માતાનું નામ રૂપાદેવી હતું. તેમના પિતાની સ્થિતિ સંગ તે રંગ લાગે તેવી હતી. તે વખતમાં ત્યાં એક ઈતર મતના કાર્મગુરુ વિચરતા હતા જેમને આ બાળકને જોઈને કલ્પના કરી કે આ માટે રાજા થાય તે બાળક છે. તેથી તેમના પિતા ગણેશમલજી પાસે માંગણી કરી કે, આ બાળક મને સેપી દે, માંગે તે પૈસા આપું. ત્યારે તેમના બાપે ઘસીને ના પાડી તેથી તેમના બાપને ઘણાં કષ્ટ વેઠવાં પડયાં અને છેવટે એવા ગુનામાં પકડાયા કે જેલમાં જવાને વખત આવ્યું. ત્યારે પિતાના સ્થાનકવાસી મિત્રને કહ્યું કે આ બાળકને સંપુ છું. તું સાચવજે. હું આવું કે ન આવું કાંઈ કહેવાય નહિ. આ રીતે તેને સ્થાનકવાસી સંપ્રદાયના પરિચયમાં આવ્યા તેના પરિણામે ધર્મના સંસ્કાર જાગૃત થયા અને પરિણામે સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી.. - જે આત્માએ આત્માને ઉદ્ધાર કરવા માંગતા હોય છે તેઓ હંમેશા સત્યને સમજવાની કેશિશ કરતા હોય છે, તે જે જે ધર્મમાં કે સંપ્રદાયમાં હોય છે તે તે ધર્મના કે સંપ્રદાયનાં શાસ્ત્રો ભણતા હોય છે. જેને દેવ ગુરુ કે ધર્મને ઓળખવાની ઈચ્છા નથી તે છે કદિ પણ ધમને પામતા નથી, આજની ખુબી એ છે કે સારી સામગ્રી મળવા છતાં તેની કિંમત સમજતી નથી, તેના પર શ્રદ્ધા થતી નથી, આજના હોંશિયારમાં હોંશિયારને દેવ-ગુરુ-ધર્મને ઓળખવાની ઈચ્છા જ નથી. સારામાં સારા દેવ-ગુરૂ અને ધર્મને માનનારને પણ ખુમારી નથી કે મને જોઈએ તેવા દેવ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy