________________
૩૩૨ ૪ ના
* શ્રી જૈન શાસન (અઠવાડિક) ગુરૂવંદનભાષ્ય માં શ્રી જૈન શાસનમાં પાંચ વંદનિક અને પાંચ અવંદનિકનું વર્ણન આવે છે. મહામહે પાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે “શ્રી ગુરૂ વિનિશ્ચય ગ્રન્થમાં સુગુરૂ અને કુગુરૂનું વિસ્તારથી વર્ણન કરેલ છે. તે જ મહાપુરૂષે શ્રી સીમંધર સ્વામિ ભગવાનને વિનંતી રૂપ સવાસે (૨૫) ગાથાના સ્તવનની પહેલી ઢાળમાં
અર્થની દેશના જે દીએ, એળવે ધર્મના ગ્રંથ રે, પરમ પદને પ્રગટ ચેર તે, તેહથી કિમ વહે પંથે રે ? સ્વામિ..૬ વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરૂ મદપુર રે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર. ૨. સ્વાસિ ...૭ કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બેલ રે, જિનવચન અન્યથા દાખવે, આજ તે વાજતે ઢાલ ૨. સ્વામિ...૮ કઇ નિજ દોષને ગોપવા, કેઈ મત કંઇ રે, ધર્મની દેશના પાલટે, સત્ય, ભાષે નહિ મં ૨.” સવામિ..૯
- વળી “શ્રી વિશેષાવશ્યક ભાય” તથા “શ્રી પ્રવચન સારોદ્ધાર આદિ અનેક ગ્રન્થમાં સુગુરૂ ગુરૂનું કવરૂપ વર્ણવામાં આવ્યું છે.
નામે લોએ સવસાણં' પદને અર્થ “શ્રી આવશ્યક સૂત્ર માં જે રીતના કરવામાં આવેલ છે તે પુનઃ પુન: મનન કરવા યોગ્ય છે.
( શ્રી જૈન શાસનમાં “વેષ પૂજનીય–નમસ્કરણીય છે પણ જ્યાં વંદન કરવું હોય તે ઓળખીને કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. સુદેવ-સુગુરૂ અને અવની પરીક્ષા કરીને માનવાને વિધિ શાસ્ત્રમાં બતાવેલ છે.
શાસ્ત્રોમાં ઉપાસક એવા શ્રાવકેને ભગવાનના શાસનમાર્ગના સુજાણ, “પરમાર્થને પામેલા લબ્ધટ્ટા” “ગહિયટ્ટા' આદિ વિશેષણથી નવાજવામાં આવ્યા છે.
ટુંકમાં કહેવાને સાર એક જ છે કે- ચાર પ્રકારને શ્રી સંધ ભગવાન શ્રી જિનેશ્વરની પરમતારક આજ્ઞાથી યુકત- જોડાયેલ જોઈએ. સુવિહિત શિરોમણિ, શાસકાર પરમર્ષિ પ. પૂ. આ. શ્રી વિ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “શ્રી સંધ પ્રકરણ ગ્રન્થમાં “આજુત્તો સઘ.' કહે છે. પચ્ચીશમાં તીર્થકર સ્વરૂપ શ્રી સંઘ પણ તે જ કહેવાય જેના માથે ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માની પરમ તારક આજ્ઞાને અંકુશ હેય. જે શ્રી સંઘ વૈરાગ્યને પિષક હય, વેરાગ્યની ભાવનાઓને પેદા કરવામાં સહાયક હોય અને વિષય-કષાય રૂપ આખા સંસારને શેષક હેય. .
તમે સૌને તમારા ઘર-પેઢી અને દુનિયાના પદાર્થોના નુકશાનમાં, તે બધાનું