SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ અંક ૭ લા. ૩-૧૦-૯૫ : અર્થાત્ ફિલષ્ટ કમબંધનું કારણ, ભવની પરંપરાને વધારનારે સંવેગશુન્ય અને મેટાઋષિ, કામભેગાદિની વૃદ્ધિ સ્વરૂપ જે અધ્યવસાય તેને નિયાણા તરીકે કહ્યું છે. નિયાણાનું આ લક્ષણ આ પ્રાર્થનામાં ઘટી શકતું નથી માટે આ પ્રાર્થના એ નિયાનું સ્વરૂપ નથી. છતાં પણ જે કદાગ્રહીઓ આ પ્રાર્થનાને પણ જે નિયાણ તરીકે જ કહેવા માગતા હોય તે “અરેબેહિલામં સમાવિવર મુત્તમ દેતુ' ઇત્યાદિને પણ નિયાણ તરીકે માનવાને પ્રસંગ આવશે. અને એવું માનશે તે પ્રત્યક્ષ આગમને વિરોધ આવશે. માટે આ પ્રાર્થના એ નિયાણ સવરૂપ નથી. તે સુજ્ઞજનો સારી રીતના સમજી શકે છે. ' ' - આ રંગની પૂરિસમાપ્તિ કરતાં અંય મંગલને કહે છે. નમો નમિ અનમિઆણું પરમગુરુવીઅરાગાણું નામ સેસનમુક્કારારિ– હાણું. જયઉ સવણુસાસણું. પરમસબેહીએ, સુહિણે ભવતુછવા, સુહિણે ભવતું જીવા, મુહિણે ભવતુ છવા. ઈતિ પાપડિઘાય-ગુણબી જાહાણસુરં સન્મત્ત [] દેવ-દેવેન્દ્રો, માન માનવેન્દ્રોથી પણ નમસ્કાર કરાયેલા એવા પરમગુરૂ શ્રી તીર્થંકર પરમાત્માને નમસ્કાર થાઓ. નમસ્કાર કરવા યોગ્ય ગુણવિક એવા શ્રી આચાર્ય ભગવતે, શ્રી ઉપાધ્યાય ભગવંતે, શ્રી સાધુ ભગવંતને પણ નમસ્કાર થાઓ. સર્વજ્ઞ એવા શ્રી જિનેશ્વરનું શાસન અન્ય કુતીથીઓના નાશ વડે જગતમાં જયવંતુ વર્તે શ્રેષ્ઠ ધિરન એટલે કે સમ્યક્ત્વરનના લાભ વડે અને મિથ્યાત્વ દેષની નિવૃત્તિ થવાથી જગતના સઘળાય છો સુખી થાઓ... સુખી થાઓ... સુખી થાઓ.. . આ પ્રમાણે પાપના પ્રતિઘાત-નાશ વડે એટલે અકુશલ-અશુભ અનુબંધવાળા આશ્રવના વિનાશ વડે ગુણીજનું આદાન-ધારણ કરનારું આ “પાપપ્રતિઘાત અને ધર્મ ગુણ બીજાધાન' નામનું પ્રથમ સૂત્ર સમાપ્ત થયું. ૨-સાધુધર્મ પરિભાવના સૂગ - જમીનમાં બીજ વાવવા માટે સૌ પ્રથમ ભૂમિશુધિ કરવી પડે છે. તે કર્યા પછી બીજ વાવવામાં આવે, તેને 5 વર્ષાદિ સહકારી કારની પ્રાપ્તિ થયા પછી તેની યેગ્ય માવજત કરવામાં આવે તે તે બીજ ફળદાયી બને છે. તેવી રીતે પ્રથમ “પાપ પ્રતિઘાત ગુણ બીજધાન” સૂત્રમાં ધર્મના બીજનું સાધન કર્યું. આત્મશુદ્ધિ કર્યા બાદ તે ધર્મબીજ વવાયા બાદ તથા ભવ્યવાદિકના વિચિત્રપણાને લીધે તે તે કાલાદિ નિમિત્તના
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy