________________
૫૫૪
શ્રી જૈનશાસન (અઠવાડિક)
ઉ– સંસારના સઘળાં ય સુખે, સુખાભાસ રૂપ જ છે, મુખે મીઠાં મધુર અને રમ્ય છે પણ પરિણામે તે દુઃખદાયી જ છે. વળી તે બઘાં સુખે દુ:ખ મિશ્રીત, અપૂર્ણ અને અપકાલીન છે. તેની ઈચ્છા પણ પાપ જ છે.
જ્યારે મેક્ષનું સુખ એ જ સાચું અને વાસ્તવિક છે, વળી દુખના કલેશ વિનાનું, પરિપૂર્ણ અને કાયમ માટે રહેવાવાળું છે. માટે એક માત્ર મોક્ષને પામવાની ઈચ્છાથી જ ધર્મ કરવાનું છે. જેનું પરિણામ દુઃખદાયી અને વિડંબણા શપ હોય તેવા સાંસારિક સુખ માટે ધર્મ કરાય–એવું પ્રતિપાદન કેઈ પણ સુસ કરે નહિ. કરે તે તે આપ આપ પોતાની જાતે જ બાલિશતામાં ખપે છે. માટે આત્મકલ્યાણ ઈચ્છુક મુમુક્ષ જને મેક્ષને માટે જ ધર્મ કરે છે કરવાનું કહે પણ છે.
પ્ર- ૧૬૯ ત્રીજા લક્ષણનું સ્વરૂપ સમજાવે,
ઉ- નિર્વેદ તે ત્રીજું લક્ષણ છે. નારક તિર્યંચ વગેરે સાંસારિક દુખેથી નિર્વિણતા એટલે કે કંટાળે, તે નિવેદ છે. દુઃખથી અતિગહન આ સંસારરૂપી ચારક -જેલખાનામાં અતિભારે કર્મ રૂપી કેટવાલ વડે ભિન્ન ભિન્ન પ્રકારે વિડમના પામતાં, તેનાથી બચાવનાર એક માત્ર ધર્મને જ જાણે અર્થાતુ ભગવાન શ્રી જિનેશ્વર દેવને ધર્મ જ આ સંસારથી તારનારે છે એમ બરાબર સમજી નારકી અને કેદખાના જેવા સંસારથી કંટાળીને તેમાંથી ભાગી છૂટવાની જે ઈચ્છા તેનું નામ નિવૈદ છે. એટલે કે ટૂંકમાં, સંસારથી ભાગી છૂટવાની જે ઈચછા તેનું નામ નિવેદ છે.
પ્ર- ૧૭૦ મતાંતરે બીજું-ત્રીજું લક્ષણ જણ.
ઉ– મતાંતરે-કેટલેક ભવભરૂ સંવિગ્ન આચાર્ય ભગવંતાદિના મતે “સંસારથી ભાગી છૂટવાની જે ઈચ્છા” તેનું નામ સંવેગ છે અને “સંસારનાં સુખમાને દુઃખરૂપ જાણી મોક્ષ સુખને જ ઈચ્છે તેનું નામ નિર્વેદ છે-એમ કહ્યું છે.
પ્ર- ૧૭૧ ચેથાં લક્ષણનું સ્વરૂપ જણાવે.
ઉ– દુખી જીવના દુઃખને દૂર કરવાની જે ઈચ્છા તેનું નામ અનુકંપા કહી છે. તે અનુકંપામાં પોતાની શકિતને જરા પણ ગેપવે નહિ અર્થાત્ શકિત પ્રમાણે અનુકંપા કરે, તે પણ નિષ્પક્ષ પણે. પક્ષપાતપણાથી તે પોતાના પુત્રદિના દુઃખને દૂર કરવાની ઇચ્છા તે વાઘ આદિમાં પણ હોય છે.
પ્ર- ૧૭ર અનુકંપાના કેટલાં ભેદ છે? કયા ક્યા સમજાવે,
ઉ– અનુકંપાના દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા એમ બે ભેદ છે. તેમાં દુઃખી જીતે વિષે જે દયા કરવી તે દ્રવ્ય અનુકંપા છે અને ધર્મથી રહિત છની