SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) લાખના માલિક હોય તેણે તેટલા દીવા પ્રગટાવવાના. એક શેઠ ૯૮ લાખના માલિક હતા તે રેજે ૯૮ દિવા પ્રગટાવતા હતા. રાજાને ખબર પડતાં બે લાખ રૂપિયા તેના ઘરે મોકલાવી કહેવડાવ્યું કે-રોજે ૯૮-૯૮ દિવા પ્રગટાવવાની મહેનત કરવાની તમારે જરૂર નથી, હવે પછીથી એક કેટિવજ જ ફરકાવ જે. રેયત બે લાખ લેવાની ના પાડે છે. રાજા ૯૮ દિવા પ્રગટાવવાની ના પાડે છે. આખરે વિજય રાજને થયો. કેટિ. દવજ લહેરાવા લાગ્યું. શિયાળા ટાણે શેરડીની કાંતળીમાંથી છૂટી પડેલી રસધાર જોઈને કર નાખવાને વિચાર કરતાં જ બીજી વખત એજ શેરડીમાંથી રસધાર ન'તી છૂટી. અને કરને વિચાર પાછો ખેંચતા જ રસધાર વછૂટી ગયેલી આવું તમે નિશાળમાં ભણતાં ભણતાં કયાં નથી સાંભળ્યું? પણ આ ટાણે રાજાશાહી નથી. લેકશાહી છે ઈ પાછુ હું ય સાલે ભૂલ-કણે ભૂલી ગયે, “સમાનતાની વાતે હધેય ઠેકાણે ને હાલે ઈ પદારથ જ્ઞાન પણ મને થયુ. પાછે હું તે દા'ડે જસ્મીન- કુની ફોરમમાં ફસાઈ ગયે તે, ને અહીં અટાણે પાછો ઈન્કમટેક્ષની બેધારી નીતિમાં અટવાઈ ગયે હે ભદ્રંભદ્ર! તું પાછે તારા રસ્તે ચડ. પોતાના ગુણ ના ગાવા ઈ જેમ મહાન પુરૂષનું લકર (લક ણ) છે તેમ પારકાના દેશે ના બોલવા ઈ પણ મહાન પુરૂષનું જ લસણ છે. હાં તે સાંભળે ! જો મહાજને કાન દઈને જરા મને સાંભળે, મારે અઢળક વાર પ્રશંસા કસ્વા લાયક ગુણ એ જ કે-આખી પિળના કેઈ જ સભ્ય (બાળકે, બાળકીઓ, યુવકે, યુવતીઓ, પુરૂષ, પુરૂષણીઓ, વૃધે, વૃદ્ધાઓ જ કઈ પણ સભ્ય અરે ! એટલું જ નહિ પળના કુતરાઓ, કુતરીએ ગલુડીયાએ ગાયે, બિલાડીઓ, ઉંદર. ડાઓ, વગેરે વગેરે)ની સાથે આટલા વરસ થયા છતાં હું ઝગડા જ નથી. મારામાં ઝગડવાની શકિત જ નહિ માટે હોં. સત્યની સુરક્ષા માટે એકલે હાથે ઝઝુમતા જવાં. મને જોઈને મારા શરીરમાં જેમ ભરાઈ જાય, મારા ખૂનમાં ખુન્નસ ખળ ખળ વહેવા માંડે, અરે! રૂંવાટાનું તે પૂછવું જ શું? બંદૂક લઈને ખડા થઈ ગયેલા સાનિકેની જેમ જ એક સામટા ઊભા થઈ જાય, કદમ ઉઠાવું ત્યાં તે પગ પણ ધ્રુજી ઉઠે. (અને આવી પણ ઘણાટી સાંભળીને મારે કબજીયાતને રેગ નેસ્તનાબુદ થઈ જતે) અણધાર્યું જ થઈ આવેલ લોટેશ્વર મહાદેવનું સંસ્મરણ મારા કદમની દિશા જ બદલી નાંખે. જાણે મને કહેતા હોય કે-“હે ભદ્ર! સત્ય સાટે શહીદ થવાની તારે જરૂર નહિ, પાછો ફર. તારી પવિત્ર કારકીર્દિની ગૌરવગાથા કલંકથી ખરડાઈ જશે. નામના મેળવવા કરતાં બદનામી લાગી ના જાય તેની જ તું સતત ચિંતા કર.” અને મારા અંતરાત્માના આ પોકારથી બદનામી થવાના ડરથી ખરેખર કંઠ સુધી ઈચ્છા છતાં સત્ય સાટે શહાદત પામવા સાહસ ન કરતે. બોલે બદનામી ભીરૂ ભદ્રંભદ્ર કી જય...
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy