SearchBrowseAboutContactDonate
Page Preview
Page 897
Loading...
Download File
Download File
Page Text
________________ පපපපපපපපපාපපපපපපපපපපපප ૬ શ્રી સમેત શિખર મહાતીર્થ , ઇતિહાસ જાણે અને તીર્થ રક્ષા માટે જાગૃત બનો " (પ્રકરણ-૩) පපපපපපපපපපපපපපපපපපපපප. સમેતશિખરજી મહાતીર્થની રક્ષા માટે અદાલતી મહાજગ સમેતશિખરજી તીર્થની રક્ષા માટે આપણા વડવાઓએ છેક ૧૮૬૪ની સાલથી રાજાએ સામે, બ્રિટિશ સામે, બિહાર સરકાર સામે અને દિગંબર સંપ્રદાય સામે અનેક શાનૂની યુદ્ધ લડવાં પડયાં છે અને પરિણામે આ તીર્થની હિફાજત થઈ શકી છે આ તીર્થ ઉપર શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયને પરંપરાગત અંકુશ કાયમી રહે તે માટે હઝરીબાગની જિલ્લા અદાલતથી લઈ હાઈ કેટ, સુપ્રીમ કોર્ટ અને લંડનની પ્રિવી કાઉન્સિલ સુધી અનેક કેસે આપણે લડયા છીએ. આ તમામ કેસે દ્વારા એક વાત નિર્વિવાદ સાબિત થઈ ચૂકી છે કે આ તીર્થના વહીવટ, અંકુશ, કબજા અને સંચાલનના એકમેવ અધિકાર હતાંબાના હાથમાં જ છે. આ તમામ અંતરાયે વટાવી દીધા પછી પણ લાલુ પ્રસાદ યાદવની સરકાર જે એકતરફી, પક્ષપાતી, ગેરકાયદે અને ગેરબંધારણીય વટહુકમ બહાર પાડી સમેતશિખરજીને વહીવટ શેઠ આણંદજી કલ્યાણ ની પેઢીના હાથમાંથી ઝુંટવી લઈ સરકારી અધિકારીના હાથમાં આપીને છેવટે દિગંબરના હાથમાં સોંપવા માગે છે, તેને પ્રતિકાર કરવા અને ધાર્મિક સ્વાતંત્ર્યના અવિકા ની રક્ષા કરવા હજી વધુ લાંબા કાનૂની યુદ્ધની તેયારી આપણે રાખવી પડશે. સમેતશિખરજી મહાતીર્થની પવિત્રતાની રક્ષા માટે વેતાંબરએ ભૂ-પૂર્વ રજવાડાંઓ, બ્રિટિશ સલ્તનત અને રાજય સરકાર સામે પણ વારંવાર સંઘર્ષ છેડ પડે છે. બ્રિટિશ કાળમાં પારસનાથ પહાડની માલિકી પાલગંજના રાજા સુખરામ સિંહના નામે ચડાવી દેવામાં આવી હતી. ચેપમેન નામના ભારતના સર્વપ્રથમ બ્રિટિશ મુલકી અધિકારીએ કેપ્ટન બ્રાઉનનું શાસન ખતમ થતાં પાલગંજના રાજાની જમીનદારીની સનદ પૂનર્જીવિત કરી, તેમને અન્યાયી રીતે સમેતશિખરજીના માલિક ઠરાવી દીધા. પાલગંજના રાજવીઓ દ્વારા ૮૦ વર્ષ સુધી તે સમેત શિખરજીને વહીવટ બરાબર ચાલ્યા, પણ ઈ.સ. ૧૮૫માં રાજાએ આ પવિત્ર પહાડ પર એક મિલિટરી સેનેટેરિયમ બનાવવાનો નિર્ણય કર્યો, જેને કારણે વેતાંબરો દુભાયા. ઈ.સ. ૧૮૬૦માં બંગાળના લેફટનન્ટ ગવર્નર સર પીટર ચાટે સેનેટેરિયમ માટે યોગ્ય સ્થળ શોધવા , સમેતશિખરજીની સુલાકાત લીધી ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ જેનેએ ત્યાં હાજર રહી આ ચેજનાને વિરોધ કર્યો. આ કારણે સેનેટેરિયમનું સ્થળ પશ્ચિમની
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy