SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૬ : અંક ૪૨ : તા. ૧૪-૬-૯૪ : ૧૦૦૭ દિગંબર હમેશાં સરકાર સમક્ષ એવી ફરિયાદ કરતા કહે છે કે કવેતાંબર વહીવટદારે આ તીર્થમાં કંઇ સમારકામ કરાવતા નથી અને યાત્રિકોને સવલતે આપતા નથી. બીજી બાજુ વેતાંબર સંઘ જ્યારે જયારે સમારકામની અને સુવિધાઓ આપવાની યોજનાઓ બનાવે છે, ત્યારે દિગંબરે તેને વિરોધ કર્યા કરે છે. ૧૯૭૦ની સાલમાં જળી પડવાને કારણે અનંતનાથ ભગવાનની ટૂંક ઉપર આવેલા પગલાંઓને નુકશાન થયું. તાંબર પેઢીએ તા. ૨૫-૧-૧૯૭૧ના રોજ આ તેડફેડના સમારકામ માટે ગિરિડિહની અદાલતમાં અરજી કરી ત્યારે પણ દિગંબરેએ તેની સામે વાંધાઓ ઉઠાવ્યા. ૧૯૮૮ની સાલમાં સમેતશિખરજી તીર્થમાં અમુક પગથિયાઓનું સમારકામ કરાવવાની જરૂર છે, એવો અભિપ્રાય દિગંબરના ત્યારના આગેવાન શ્રેયાંસપ્રસાદ જેને આપતાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ તા. ૩૦-૬-૧૯૮૮ના રોજ કેટની પરવાનગી માંગી. આ સામે પણ દિગંબરોએ તા. ૨૨-૭-૧૯૮૯ના રોજ કેર્ટમાં એક રિઈન્ડર દાખલ કરી પગથિયાંઓના સમારકામનો વિરોધ કર્યો. અદાલતે આ વિરોધને ધ્યાનમાં લઈ શ્વેતાંબરેને સમારકામની મંજૂરી ન આપી. આ કારણે પેઢી તરફથી આજ દિન સુધી પગથિયાંઓનું સમારકામ થઈ શકતું નથી. યાત્રિકોને પડતી આ પારાવાર હાડમારીઓ માટે આ રીતે દિગંબરની વિનસંતેષની નીતિરીતિઓ જ. જવાબદાર છે. દિગંબરના ચાવવાના અને બતાવવાના દાંત અલગ હોય છે. ગિરેડિહની કેર્ટમાં કેસ નંબર ૧૦-૬૭ ને ચુકાદો તા. ૩ માર્ચ, ૧૯૯૦ના રેજ આવ્યું, એટલે શ્વેતાંબરેએ તરત જ પર્વત ઉપર પગથિયાં બનાવવાનું કામ હાથ ધર્યું. આ વખતે પણ દિગંબરો હાઈકોર્ટમાં ગયા અને તાંબરે સામે અદાલતના તિરકારની અરજી કરવા માટે તેમણે માગણી કરી બાંધકામને અટકાવવા પ્રયાસ કર્યો જે સફળ થયે છે. ઈસ. ૧૯૯૦ની સાલમાં ગિરિડિહની અદાલતમાં જે ચુકાદો આબે, તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે સમેતશિખરજી તીર્થને વહીવટ, અંકુશ અને કબજાના તમામ અધિકારે માત્ર આણંદજી કલ્યાણજી પેઢીના હાથમાં છે અને તેમની મંજૂરી વગર પહાડ પર કઈ પણ સ્થળે બાંધામ થઈ શકે નહિ, અદાલતે સ્પષ્ટ ફરમાવ્યું કે દિગંબર ને માત્ર પૂજા કરવાને જ અધિકાર છે, પણ તેઓ આ અધિકારને બરાપર ભેગા કરી શકે તે માટે પહાડની ટોચ ઉપર તેમને ધર્મશાળાની વાજબી રીતે જરૂર છે. તે પણ તાંબર વહીવટદારની પરવાનગી તે તેમણે માગવી જ જોઈએ. હવે દિગંબર અ પ્રણીઓએ આ મુદ્દાને પણ પ્રતિષ્ઠાને પ્રશ્ન બનાવ્યું છે. તેઓ કહે છે કે અમે પરવાનગી તે ન જ માગીએ. જે તે પરવાનગી માગે તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને આવી રજા આપવામાં કઈ વાંધો નથી. દિગંબર આગેવાને
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy