SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) આજે ગરીબ છે પણ જે સંતોષી છે તે સારા , શ્રીમતે અતિલોભી ખરાબ છે છે. ધર્મ ન સમજે તેને ખાતા-પીતાય નથી આવડતું. સુખ ભોગવતા ય નથી આવડતું. કે દુખ ભોગવતા ય નથી આવડતું તે બધા દુર્ગતિમાં જવાના છે. તમે દુર્ગતિમાં જાવ ! તે ગમતું નથી માટે સમજાવીએ છીએ. તમે બે વાર ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરતા હોય તે ખબર પડત કે ઘણું છે ૨ પાપી છીએ. બે વાર પ્રતિક્રમણ કરવું જોઈએ તેમ ત્રિકાળ પૂજા પણ કરવી જોઈએ ? તેમ ભગવાને કહ્યું છે. પ્રાતઃકાળની પૂજા વિના મોમાં પણ ન મૂકાય, મધ્યાહ્નની પૂબ ! વિના ઊની રસેઈ ન જમાય અને સાંજની પૂજા કર્યા વિના સૂઈ ન જવાય. ભગવાનની છે. પૂજા તમારે તમારા દ્રવ્યથી કરવાની છે. દ્રવ્યપૂજા પણ લક્ષમીની મમતા ઉતારવા કરવાની છે છે. તમારે ખાવા-પીવાદિન ખર્ચે કેટલે? અને પૂજાનો ખર્ચો કેટલે ? સભા - પૂજા માટે વ્યવસ્થા હોય છે. { ઉ૦- “અમારે ઘેર આવીને રોજ જમી જશે તેમ કંઈ કહે તે તમે જાવ ખરા? - આજે તે તમારે સગો ભાણીયે કે ભત્રીજે મેં જનના ટાઈમે તમારે ઘેર ને 8 આવે. કદાચ આવે તે કહે કે- ખાવા માટે આવ્યા છે ! તમારે ૬૨ આડતિય આવે ને છે પ્રેમથી જમાડે અને સાધર્મિક આવે તે બહુજ વિચાર કરવાની જરૂર છે. આના ઉપરથી 8 ખ્યાલ આવે કે તમને ઘમ ગમે છે કે સંસાર ? તમારે ઢાળ ધર્મ ઉપર છે કે સંસાર ઉપર આ સંસાર તે પાપ વગર ચાલે જ નહિ. સંસારમાં તે પાપ કરવું જ પડે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જે દશ મિટા શ્રાવકો થયા છે. તેમની વાત શાસ્ત્રમાં લખી છે. તે બધા પહેલા જેન ન હતા. બધા મહા શ્રીમંત હતા. તેમની સ્ત્રીઓ પણ કરોડો સૌનેયા લઈને આવી હતી. ભગવાનની એક જ દેશના સાંભળી અને ભગવાનને કહ્યું કે-“આપની વાત સાચી છે. આપ કહો છો તે જ અર્થ છે, તે જ પરમાર્થ છે બાકી બધું અનર્થ-ખોટું છે. સાધુ જ થવા જેવું છે. પણ હમણું સાધુ થવાની શકિત નથી. તેવી શકિત આવે માટે બીજો ધર્મ બતાવે.” તે પછી ભગવાને શ્રાવક ધર્મ સમજાવ્યો અને તે બધાએ લીધે. તે બધા જેવા સુખી હતા. જે પરિવાર હિતે તેમાંનું કશું તમારી પાસે નથી. તેમને જે નિયમ લીધા તમારું માથું કામ ન કરે. તેમને તે સંસાર ખરાબ સમજાઈ ગયે તમને સમજાયો? આ સંસાર ખરાબ જ છે. સંસારનું સુખ તે જ મોટામાં મેટે રોગ છે. ગમે તેટલું સુખ મળે તે એ જ લાગે. તમને કેટલા પૈસા મળે તે શાંતિ થાય? કેટલા પૈસા મળે તે વેપાર બંધ કરા? } સભા :- અમારા કરતા બીજા પાસે વધારે ન હોય તે સંતોષ થાય.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy