SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) આણુ-એ-ધમ્મ વિશેષાંક દુનિયામાં પણ દેખાય છે કે જેનાથી આપણને લાભ થવાને છે, સ્વાર્થની સિદ્ધિ છે થવાની છે તે તેના કહ્યા મુજબ જ બધા કરે છે. તે આત્માનું કલ્યાણ કરવું હોય તે 8 કલ્યાણુકર માર્ગ બતાવનારાના કહ્યા મુજબ જ કરવું જોઈએ તે વાત સ્વીકારવામાં શા માટે આનાકાની કરાય છે તે સમજી શકાતું નથી. રેગી, રેગથી મુકત થવા ડોકટરનું છે શરણ સ્વીકારે છે. ડેકટરના કહ્યા મુજબ પથ્ય પાણી કરે છે; કાયદામાં ફસાયે વકીલના શરણે જાય છે, વ્યાપારાદિમાં મૂંઝાયેલ અનુભવીના ચરણે પકડે છે- તેમની જ સલાહ મુજબ ચાલી માગ મેળવે છે, તેમાં પિતાનું ડહાપણ જરાપણ ડહોળો નથી, માત્ર ધર્મની જ વાત આવે તો તે આપણી મરજી મુજબ કરાય તેમાં શું વાંધો ? તેવા છે. અનેક અવળચંડાઈના પ્રશ્નો ઉભા કરે છે તે આજ્ઞા પ્રત્યેની અપ્રીતિ-અરૂચિ બતાવે છે ! છે એટલું જ નહિ ખુદ શ્રી તીર્થંકર પરમાત્મા ઉપર અવિશ્વાસ સૂચિત થાય છે. હું આજ્ઞા જ મારા માટે આધાર છે, શરણ છે, રક્ષણ કરનારી છે, અજ્ઞાનમાં અટ- ૨ વાતા મને સાચે પથ બતાવનારી છે, મારા મેહની મૂછને દુર કરનારી છે, અનાચારથી આઘા રાખી, સદાચારોના સન્મથે પ્રયાણ કરાવનારી છે. આજ્ઞાની આધીનતા સ્વીકારનારાની પ્રજ્ઞા જ ખરેખર અનેકના કલ્યાણની કેડી બને છે બાકી મરજી મુજબ કરનારાની મતિ તે અનેકને સંસારની ગર્તામાં પાડનારી બને છે. આજ્ઞાની આધીનતા સ્વીકાર્યા વિના ક્યારે પણ આત્માને વિસ્તાર શક્ય જ નથી. દુન્યવી સુખ માટે કેની કેની આધીનતા નથી સ્વીકારી? કેના તેના પગ નથી ચાટયા? કે કેને કેને અજીજી નથી કરી ? તે આત્માના સ્વરૂપને વાસ્તવિક ખ્યાલ આવ્યા પછી સ્વરૂપ દશાને પામવા માટે આજ્ઞા જ કપેલડી જેવી છે, સ્વભાવમાં રમણતા કરવા અને પરભાનું વિરેચન કરવા માટે છે 1 આજ્ઞા જ અમેધ ઔષધી છે, સાચું છવજીવન જીવવા માટે સંજીવની પણ આજ્ઞા જ છે. આસાની આધીનતા એ જ સાચી સ્વતંત્રતાનો રાજમાર્ગ છે. આજ્ઞા ઉપર આવે અવિહડ રાગ પ્રગટયા વિના, સાચું બહુમાન થયા વિના { આજ્ઞા મુજબની પ્રવૃત્તિ શકય જ નથી. એકની એક ક્રિયા હયાના સદ્દભાવ-બહુમાન[ પૂર્વક કરવામાં કે હીયાના ભાવ વિના કરવામાં સૂર્ય અને આગિયા જેટલું અંતર છે. છેમાતા અને પત્ની બંને સ્ત્રીત્વથી સમાન હોવા છતાં બંનેના ભાવમાં આભજમીનનું 1 અંતર છે. માતા ઉપર ભકિતભાવ હોય છે અને પત્ની ઉપર પ્રતિભાવ હોય છે. જે પરભાવ માત્રને રાગ ઘટયા વિના વિવેક દષ્ટિ ઉત્પન્ન થવી બહુ જ મૂશ્કેલ છે. કેમ કે, પરભાને રાગ જ આત્માની વિવેક દષ્ટિને લેપ કરનાર છે. જ્યાં વિવેક રૂપી છે સૂર્ય ઝળહળતું ન હોય ત્યાં મિથ્યાત્વરૂપી અંધકાર મજેથી લહેર કરે છે. કહ્યું છે કે“મિથ્યાવ સમાન કેઈ શત્રુ નથી, મિથ્યાત્વ સમાન કે વિષ નથી, મિથ્યાત્વ સમાન
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy