SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ -: આજ્ઞાની આધીનતા એ જ સાચી પ્રજ્ઞાશીલતા : —મુ. શ્રી પ્રશાન્તદ્દન વિ. અનંત ઉપકારી શ્રી અરિહ'ત પરમાત્માએ ભવ્યાત્માઓના ઉદ્ધારને માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપ માક્ષમાગ રૂપ ધર્માંતી ની સ્થાપના કરી છે. તેની જે આત્માએ ભગવાન શ્રી જિનેશ્ર્વર દેવાની પરમ તારક આજ્ઞા મુજબ આરાધના કરે છે તે અલ્પ કાળમાં જ જન્મ-જરા-મરણાદિ સઘળાં ય દુ:ખાના સ્થાન રૂપ આ સાંસારથી મુકત થઈ, અનંત સુખના ધામ સ્વરૂપ મેાક્ષને પામે છે. જેઓના ચે જગતના સઘળાય જીવાનુ` એકાંતે હિત અને કલ્યાણુ જ વસ્તુ' છે અને જેના ચેાગે જેએ શ્રી તીર્થંકર નામ કર્મીની નિકાચના કરે છે તે પરમ તારક શ્રી જિનેશ્વરદેવા કયારે ય એવી આજ્ઞા કરે જ નહિ કે જે અશકય અને અસ’ભાવ્ય હોય. ‘આજ્ઞાની આરાધનામાં જ કલ્યાણ છે અને આજ્ઞાની વિરાધનામાં અકલ્યાણુ જ છે ? આથી જ કલિકાલ સન પૂ. આ. શ્રી હેમચ' સૂરીશ્વરજી મહારાજાએ શ્રી વીતરાગ દેવની સ્તવના કરતાં કહ્યું છે કે“ હે ભગવન્ ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન એ જ શ્રેષ્ઠ છે. કારણ કે આરાધેલી આજ્ઞા મેાક્ષને માટે થાય છે અને વિરાધેલી આજ્ઞા સૌંસારને માટે થાય છે. ” હું અને ઉપાદેયના વિષયભૂત તેની આજ્ઞા સ`કાલને માટે એક સરખી જ છે. આશ્રવનાં જેટલાં સ્થાને તે બધા હૈય-ત્યાગ કરવા લાયક જ છે અને સંવરનાં જેટલાં કારણા તે બધા ઉપાય-ગ્રહણ કરવા સેવવા લાયક જ છે. કેમ કે આશ્રવ એ સૌંસારનું જ કારણ છે અને સ`વર એ જ માક્ષનુ કારણ છે. આ જ. શ્રી જૈનશાસનું રહસ્ય પરમાથ છે. ભિન્ન ભિન્ન રીતે આ વાતને વિસ્તાર પૂર્ણાંક સમજાવાઈ છે. આ રીતે ભગવાનની આજ્ઞાનું આરાધન કરીને આજ સુધીમાં અનતા આત્માએ મેાક્ષમાં ગયા છે, જાય છે અને જવાના છે. ભગવાનની આજ્ઞાની આરાધના કરીને પ્રાણીએ કમરૂપી પિંજરમાંથી મુકત થાય છે. પાંજરામાંથી મુકત ૫...ખી જેવા આનંદ અનુભવે તેના કરતાં પણ અનતા આનંદકર્માના ખ'ધનાથી સુકત આત્મા કરે છે. . આવા - ભગવાન શ્રી જિનેશ્ર્વર દેવાની આજ્ઞા જ એકાંત કલ્યાણકારી છે, હિતકારી છે, સઘળાં ય દુ:ખ-દ્વંદ્વો-કલેશાના નાશ કરનારી છે, આત્મિક સુખની જનની છે પ્રકારની હૈયામાં શ્રદ્ધા જન્મ્યા વિના આત્મા ઉપર અનુરાગ થવા શકય જ નથી. અને અનુરાગ ન જન્મે તે પ્રીતિ તા કયાંથી થાય ? તે મુજખ કરવાના ઉલ્લાસ પણ કઈ રીતના જન્મે ? હેય-ઉપાદેયની વિવેકબુદ્ધિ પણ કેવી રીતે પેદા થાય ?
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy