________________
કથિdળી
ખમા સૌ મને, ખમાવું સહુને
"अप्पाहिएण नरेण खमापहाणेण होयव्वं !" આત્મહિતના ઈરછુક મનુષ્ય ક્ષમાશીલ બનવું જોઈએ.
થામાં એ જ ઉત્તમકેટિને ધર્મ છે. માટે જ કહ્યું છે કે, “ઉવસમ સાર ખુ સામણું” માટે જ સાધુઓને “ભામાશ્રમણ કહેવાય છે. જગતમાં પણ કહેવાય છે કે
વેર વેરથી શમતું નથી” સઘળા ય સુખનું મૂલ ક્ષમા છે અને સઘળા ય દુઃખનું મૂલ ક્રોધ છે. સઘળા ય ગુણોનું મૂલ વિનય છે અને સઘળા ય અનર્થોનું મૂલ માન છે. આવું જાણનાર-સમજનારા અને બીજાને સમજાવનાર આત્મા ખરા અવસરે જ ક્ષમાને દેશવટે કે તે તે કે કહેવાય ! શ્રી જૈનશાસનમાં પરપદેશે પાંડિત્યમ ! નથી પણ જીવનમાં જીવી પછી ઉપદેશની વાત છે કેમ કે “આચારો મૂલ ધર્મ કર્યું છે. ખરેખર ક્ષમાશીલ મનુષ્ય બધાને પ્રિય બને છે અને વાત વાતમાં બધાને ઉતારી પાડનાર, ગુરુસો કરનાર, પોતાની જ મોટાઈમાં રાચનારને તે બધા દૂરથી જે નવ ગજના નમસ્કાર કરે છે તે પણ દાઢમાં ન રાખે માટે. સ્વાનુભવ સિદ્ધ વાત છતાં ય હજી ગુસ્સા ઉપર ગુસ્સો કેમ આવતું નથી અને ક્ષમાને આચરવાનું મન થતું નથી તે એક અજાયબી નથી તે શું છે ?
ક્ષમા ધર્મના ગુણગાન ગાતાં મહાપુરૂષે ફરમાવે છે કે-જેમ જગતની સઘળી - ય સ્ત્રીઓમાં પરમતારક શ્રી જિનેશ્વરદેવની માતા શ્રેષ્ઠ છે, સઘળી ય લતાઓમાં કલ્પલતા શ્રેષ્ઠ છે તેમ સઘળા ય ધર્મોમાં કામા એ જ શ્રેષ્ઠ ધર્મ છે” એક માત્ર ક્ષમાધમનું આસેવન કરીને આજ સુધીમાં અનંતાનંત આત્માઓ પરમપદને પામ્યા છે. આ જાણ્યા પછી પરમપદ એ જ એક માત્ર જેનું ધ્યેય છે તેવા આત્મા કયારે પણ ફામાધર્મથી દૂર રહે ખરે ! માટે જ કહ્યું પણ છે કે
“જઈ ખમસિ દેસવંતે તા. તુહ ખંતીએ હેઈ અવયા અહુ ન ખમસિ તે તુહ અવિ, સયા અખંતીઈ વાવા”
આત્મન ! જે તુ દેષિત અપરાધીને પણ હયા પૂર્વક ખમાવીશ-માફી આપીશ તે તારામાં ક્ષમાધમને આવવાને અવકાશ છે. અને જો તું પણ ક્ષમાધર્મને દાખવીશ નહિ તે સદા અક્ષમાનો વ્યાપાર તને પ્રાપ્ત થશે અર્થાત્ વાત વાતમાં ધાદિ કષાયે તને હેરાન પરેશાન કરેશાન કરશે.