SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1026
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫૪ ૪ : શ્રી જૈનશાસન (અઠવાડિક). લાકે એ માની લીધી છે. અન્યથા જયાં કેવળ ત્યાગનાં જ વહેણ વહેવાં જે ઈએ અને જ્યાં આવીને શ્રાવકે કેવલ ત્યાગ સરિતામાં ઝીલવા ઈચ છે, ત્યાંથી અર્થ-કામના ઉપદેશ સાંભળવાની એક કુરણ સરખી ય કેમ થાય? અને આવી પાટે એ બેસીને ત્યાગ માગને બદલે એને નાશ થાય એ અર્થ-કામને ઉપદેશ પણ કેમ અપાય ? ૦ જાતની પ્રભાવનાને ભૂલ્યા વિના કદી પણ શાસનની પ્રભાવના કરી શકાતી જ નથી. શાસનની પ્રભાવનાના નામે જાતની પ્રભાવનામાં મચી પડવું, એ પ્રશાસન પ્રત્યેની ભયંકરમાં ભયંકર અને ન માફ કરી શકાય તેવી “નિમકહરામી છે.” શાસનના પ્રતાપે મેળવેલી મેટાઈ અને નામનાને ઉપયોગ જાતની પ્રભાવનામાં કરે, એના જેવી ભયંકર નફટાઈ’ બીજી એક પણ નથી. જે શાસનના વેગે ઊંચું સ્થાન મેળવ્યું હોય તે જ શાસનના દ્રોહીઓને, એ દ્રોહીઓ તરફથી માન-પાનાદિ પિતાની જાતને જ મળે એ માટે તેમને પંપાળવા કે પિષવા, એ પણ પ્રભુશાસનને ભયંકરમાં ભયંકર ‘દ્રોહ કરવા જેવું છે. અને પ્રભુશાસનના મર્મને અમે જાણીએ છીએ, એ દા કરવા છતાં ઉઘાડી રીતિએ સાચા અને બેટા તરીકે ઓળખાઈ શકે તેવા પક્ષેની વચ્ચે પણ માધ્યસ્થ કે તટસ્થ રહેવાને દંભ કે આડંબર કરે, એ ભદ્રિક જનતાના ધર્મ ધનને લુંટાવી દેવાને નીચમાં નીચ બંધ આદરી વિશ્વાસઘાતનું ભયંકર પાપ આચરવા જેવું છે. (૧૫) : સનસનતા સવાલો જડબાતોડ જવાબો ઃ (૧) પ્ર૦: ધર્મ નિરાશ સ ભાવે કરે છે ? ઉ૦ : નિરાશસભાવે જ ધર્મ કરવાનું છે. પણ નિરાશસભાવે ધર્મ કેણ કરે ? મુકિતની જ ઈચ્છા હોય છે. અર્થ અને કામનો ભુખે તે આશંસાએ જ ધર્મ કરે. આમાં દષ્ટાન્ત જેવું હોય તે આજને ધમી ગણાતા માટે ભાગ મળે ને ? (૨) પ્રહ : ધર્મ આપે તે લાભ થાય ને ? ઉ૦ ધર્મ યોગ્ય જીવને આપવાનું છે, અયોગ્યને ધર્મ આપે તે નુકશાન થાય. “તું લે તું લે....' કહી ધર્મ વળગાડે અને તે શરમથી લે અને બહાર જઈ ચૂકી છે તે તેનું પાપ ધર્મ આપનારને લાગે. ધર્મ લીલામ કરવાની ચીજ છે? પ્ર : આ રીતે આપે તે કઈ પામી જાય ને? ઉ૦ઃ ઘણુ મરે તેનું શું ? એકને જીવાડવા સેને મારી નંખાય ? પ્ર. તે તે મરેલાં જ હતા. ઉ૦ઃ તે મરેલાં ન હતા પણ માંદા હતા. ધર્મ પમાડીને સાજા કરવાને બદલે આવી રીતે ધર્મ વળગાડીને માર્યા.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy