SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1025
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૬ : અંક ૪૭-૪૮ તા. ૨-૮-૯૪ : = ૧૧૫૩ આત્માઓ ૪ સંપૂર્ણ, શાશ્વત અને દુઃખના લેશ વિનાનું સુખ અનુભવી શકે છે, જ્યારે અંશે અંશે નિ:સંગ બનેલા આત્માઓ તે તે પ્રમાણમાં સુખ પામે છે. ૦ સત ને વિરોધ કરનારા તે સદા ય હોય છે જ, માટે એથી મૂંઝાવાને કશું જ કારણ નથી એવાઓની સાથે કદી જ સમાધાન થયાં નથી અને થાય પણ નહિ. કારણ કે-સત્યના કે વિરોધી સાથે સમાધાન શાનું? સત્યને વિરોધ અને સમાધાન, એ બેને મેળ જ નથી. ખરેખર, જયાં સત્યને જ વિરોધ હોય છે, ત્યાં સમાધાનીને સંભવ જ નથી. કારણ કે ત્યાં તો સત્યને સમજાવનાર તરફ પણ વિરોધ જ છે. સત્યના વિરોધીએની દશા કેવી હોય છે? “સહુમાં સારા કહેવરાવવું છે !' આવા તુચ્છ હેતુની ખાતર શાસનના વિરોધીઓની પીઠ થાબડવી, એના જે ભયંકર ગુન્હ શ્રી જિનેટવરદેવના શાસનમાં બીજો એક પણ નથી. જે આજે આગમની નિશ્રા આઘી મૂકીને જમાનાની નિશ્રાને સ્વીકાર કરે છે અને આગમને આધીન દેશના દેવાને બદલે જમાનાને આધીન દેશના દઈ દહ્યા છે, તેઓ ખરે જ શ્રી જિનેશ્વરદેવના શાસનને નામે જીવવા છતાં, તે જ પરમતારક શાસનને ભયંકર દ્રોહ કરી રહ્યા છે અને એવાઓને ખુલી અગર તે છૂપી પુષ્ટિ આપી રહેલાઓ, એવા દ્રોહી એ જે દ્રોહ કરી રહ્યા છે, તેના કરતાં ય ભયંકર દ્રોહ આચરી રહ્યા છે. આવાઓથી સાવધ રહેવું અને અન્ય મેક્ષના અથાઓને સાવધ રાખવા, એ પ્રત્યેક પરોપકાર સિક આત્માની અનિવાર્ય ફરજ છે. એ પવિત્રમાં પવિત્ર ફરજની અવગણના કરનારાઓ, ખરે જ બહુલ સંસારી અથવા તે ગુરૂકમ આત્માઓ છે, એમાં કશી જ શકા નથી. જે આજે નિર્ભયતાથી, માનપાનાદિના ભેગે અને અમુક-વર્ગને બેફ વહેરી લઈને પણ તથા પોતાની થતી એ.ટી નિંદાદિકની પણ દરકાર કર્યા વિના, શાસ્ત્રજ્ઞા મુજબની પોતાની પવિત્રમાં પવિત્ર ફરજ બજાવી રહ્યા છે, તેવા પુણ્યાત્માએ તરફ ઘણાની દષ્ટિએ જોનારાઓ તેવા તારક આત્માઓ તરફ તિરસ્કારની વૃષ્ટિ વરસાવનારાઓ અને તેવા ઉપકાર રસિક આત્માઓ માટે એલફેલ બોલવાની ધૃષ્ટતા સેવનારાએ તે ખરે જ જે તુ દરિર નિરર્થવ જહાં, તે છે નાનો છે.'—આ પદને યાદ કરાવે છે. અને એવા સપુરૂષની નિંદા કરનારા પામરોની પીઠ થાબડનારાઓ જે કદાચ સાધુના વેષમાં હોય, તે પણ તેઓ ખરે જ સાધુના વેષમાં રહીને જૈનશાસન પ્રત્યે અજ્ઞાનતા ભરેલી શેતાનિયત ખેલનારા છે !! અને આખા શ્રી જેને સમાજને ધખે દેનાર હેઈ, નામ લેવાને પણ લાયક નથી !!! ૦ આ શ્રાવકકુળની પ્રાપ્તિની સાર્થકતા પણ બીજી જ વસ્તુઓની પ્રાપ્તિમાં કેટ
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy