SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ - વર્ષ-૫ અંક- ૧-૨ ૫ચમ વર્ષારંભ વિશેષાંક : MAX : ૯૧ શાસ્ત્ર મુજપ્ત શુદ્ધ પ્રરૂપણા કરવી તે સહેલી ચીજ નથી. શાસ્ત્ર ચુસ્તતા, સિદ્ધાંત નિષ્ઠતા, શાસનના અવિહડ રાગ આત્મસાત્ થયેા હાય જે પેાતાની જાતને ભૂલે, ‘જાતની પ્રભાવના કરત. ય શાસનની પ્રભાવના, રક્ષા અને આરાધના જ જેમના જીવનમત્ર હાય, પાસેના રૃ. ખસી જશે તેની ચિંતા ન હોય, લોકોને ‘રાજી' કરવાનું મન ન હોય, લેકેને ગમે કે ન ગમે પણ શાસ્ત્રે જેમ કહ્યું તેમ જ યથા ખેલતા હાય, લેાકાને આવતા રાખવા ડાહ્મથી આઘાપાછા ખસવાનુ` મન ન હોય. તેવા જ આત્મા શુદ્ધ પ્રરૂપક બની શકે? આ ગુણ પૂજ્યશ્રીના જીવનમાં યથા પણે જોવા મળતા હતા. આખુ જગત જે સુખની પાછળ પાછળ પાગલ બન્યું છે, તે સુખને મેળવવા, ભાગવવા અને સાચવવા જે કરવુ' પડે તે કરે છે—બીજાને પણ કરવા પ્રેરે છે. અને પેાતાના જ પાકથી, પેાતાની ભૂલેાના પરિણામે આવતુ. જે દુ:ખ, તે દુ:ખને કાઢવા જે ધમપછાડા કરે છે, દીનતા દાખવે છે. તેવા જગતમાં રહી, જગતને જરા ય ન ગમતી એવી વાત— “મા દુનિયાનું પુણ્યથી મળતું એવું સુખ ખરાબમાં ખરાબ છે, મેળવવા જેવુ નથી, ભાગવવા જેવું નથી, સાચવવા જેવુ' નથી; મળે તેા રાજી થવા જેવું નથી. કેમ કે, અગ્નિ બાવળના હાય કે ચંદનનેા હોય પણ બાળે, ખાળે ને ખાળે જ. તેના જેવુ' આ દુનિયાનું સુખ છે માટે છેાડી દેવા જેવું છે, છેડયા પછી સામે ય જોવા જેવુ નથી. કદાચ છે।ડવાની તાકાત ન હોય અને તે સુખની સાથે રહેવુ પડે તેા, ખાઇએ અગ્નિના ઉપયાગ કરવા પડે તે જેવી રીતે કરે તેવી રીતે સાચવી-સભાળીને રહેવા જેવુ છે, અને મારાં જ પાપથી આવતું દુઃખ-મે' કરેલી ભૂલેાના પરિણામ રૂપ લેણદાર જેવુ' છે માટે જેથી વેઠવા જેવુ' છે. મારાથી ન વેઠાય તે ય વેઠવાના અભ્યાસ કરવા જ જોઈએ” આ વાત રાજ કરવા છતાં ય શ્રોતાજનાને નવીને નવી જ લાગતી હતી અને સાંભળવી–આચરવી ગમતી હતી. તે પૂજયશ્રીની અપ્રતિમ દેશનાલબ્ધિની સિદ્ધિ હતી. ગમે તે કારણ હોય પણ આજના ધમી ગણાતા વને ધર્મની બાબતમાં અજ્ઞાન રહેવું ગમે છે. તેથી તે ‘સારા દેખાવા’ મથે છે અને બધે ‘હાજી હાજી' કહેતા ફરે છે. તે જ કારણે જેને જેમ ફાવે તેમ મનકલ્પિત સિધ્ધાન્તા રચી મૂકે છે. શેખચલ્લીના તરગા પ્રચારી શકે છે. શાસ્ત્રીય સપ્ત્યાના અપલાપ કરી શકે છે, ‘સફેદ જૂઠાણા’એના ગોબસ પ્રચારમાં આવી જઈને, જે ધર્મને અન તજ્ઞાનીઓએ મેાક્ષને માટે જ ઉપદેશ્યા છે તે ધર્મ સ'સાર માટે ય કરાય'ની વાતને સાહજિકતાથી સ્વીકારી લે છે. મેાક્ષની મશ્કરી થઇ રહી હોય તાય આપણે શુ ?’ માટાની વાતા માટા જાણે એમ વિચારી સત્યને સમજવા અને ગ્રહણ કરવાને બદલે સાવ નિષ્ક્રિય રહે છે. અને જે કાઈ સાચુ'
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy