SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧ અંક ૪૫ : તા. ૧૩-૭-૯૩ * : ૧૩૭૭ પિતાના નામની આગળ પાછળ થોકબંધ અલંકારિક વિશેષ છપાવવાની આતુરતા વધતી ચાલી છે.. ધમ પ્રિયના શબ્દો અને પત્ર લેખકના શબ્દોને કઈ સંબંધ નથી. લેખક સદભાવથી વિનંતિ કરે છે. તેમાં સદ્દભાવ બતાવેત તે ચાલત પરંતુ ધર્મપ્રિય તે સાધુઓને જ ટેવ છે. તેમ લખીને મૂળ લેખકને નામે સાધુઓને જ ઉતારી પાડવાની વાતમાં આવી જાય છે તે તેમની કુતરાની પૂછડી વાંકી તે ટેવ જ કારણ રૂપ છે. આ જ કાત્રીમાં ગોળને ખોળ ન બને તે જરૂરી છે , હકિકત એ છે કે કંકેત્રીઓ લખવા છપાવવામાં જાતની મહત્તા જે સાધુને આવી જાય તે તે સાધુને માટે ડુબવાનું કારણ બને છે. શ્રાવકો કે છે જે પ્રભુ ભક્તિ આદિ કરે તેમાં અનુમોદક અને તે પ્રસંગમાં ભાવલાસ વધે તે માટે હાજરી આદિ હેય છે ગૃહસ્થ ધનાદિકને વ્યય કરે તેનાથી જે સાધુ પોતાની મહત્તા માને તે ગૃહસ્થી આબરૂ પિતાને નામે ચડાવવાનું પાપ લાગે. કંકે ત્રીઓમાં પણ પ્રભુજીના ફટ ગુરુ આદિના ફેટા મુકવા તે દેવગુરુની ભયંકર આશાતના છે કેમકે તે ફાડીને ફેંકાઈ જવાનાં છે અને આટલું પણ સાધુઓ ન સમજે તે માનવા જેવું છે. ગૃહસ્થ કહે તે પણ સાધુઓએ ના પાડવી જોઈએ. આશાતના થશે તે કહેવું જોઈએ. બહુ તે સારે કાગળ કે મુદ્રણ કરે તેમ થાય પણ ફેંકાઈ જવાની કેરીઓમાં દેવ ગુરુના ફેટા ચેકબંધ મુકવા તે તે સાધુ મહાત્માઓ માટે પણ કલંક અને આશાતના ડગર વગરના છે તેમ કહેવાય. ને વળી સંઘને પ્રતિષ્ઠા આદિ કે ઉત્સવ હોય તે તે પત્રિકાઓ છપાવે અને મહેમાન આવે તેની વ્યવસ્થા કરી હોય તે રીતે પત્રિકાઓ-આમંત્રણ મોકલે. તેને બદલે માત્ર સાધુ મહાત્માએ જ પત્રિકા મેકલે પોતાની ઓળખાણ પીછાણ કે ભકત વર્ગમાં મોકલે તે તે સાધુની મહત્તા કે કીર્તિ બની જાય અને તે સાધુ માટે દૂષણ બની જાય. માત્ર જાણ કરવા તે ચાલુ કાગળમાં પણ લખાણ જાય. આવી કિંમતી કંકેત્રિીઓ કરીને મોકલવી તે અહનું ઉદાહરણ બની જાય. જે સાધુ કંકેત્રીએ એકલે અને તે બધા મહેમાન આવી જાય સંઘમાં વ્યવસ્થા ન હોય અને સાધુની જ જવાબદારી આવી પડે અને પછી મહેમાનને ગઠવવા સંઘમાંથી કઈ દાદ ન દે અને દેવાદેડી અને ગભરામણ સાધુને જ થઈ પડે. આવી વણમાગી પીડા ઉભી કરીને અને સંયમને માટે પણ અહં કીતિ કે મોટાઈની જાહેરાત કરીને હાની શા માટે પહોંચાડવી જોઈએ. સાધુઓને આ : રીતે કંકેત્રિીએ મોકલવાના મનોરથ શા માટે થાય? આવું થયા પછી દૈનિક કે બીજા સામાયિકોમાં મોટા મોટા લખાણ કરીને મેકલવા
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy