SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ .: શ્રી જૈન શાસન (અઠવાડિક) ત. ૧૧-૮-૯૨ છે છે ત્યારે મને ભાસ થયો આ શું તું બેલે છે? ત્યારે હું મકકમ થઈ ગયે ગમે તેમ છેઆના માટે જે થાય તે કરી છુટવું બીજા ભાઈઓ અગ્રેસર બન્યા. બોરીવલી કોર્ટમાં છે કેસ કર્યો જેનું પરિણામ સુંદર આવ્યું આ પણ પૂજ્યશ્રીની દિવ્ય કૃપા ! પૂજ્ય શ્રી મને રાધનપુરી તરીકે સંબોધતા જ્યારે પૂ. શ્રીને મળું ત્યારે કહે શું છે છે નવીન. પૂજ્યશ્રીની મારા ઉપરની કરૂણાદિવ્યકૃપા પરંતુ આજે પૂજયશ્રીનાં ગુણાનુવાદ કરતાં એમ થાય છે હું આવા પૂજ્ય ગુરૂને પામે છતાં સંયમ વગર રહી ગયે. હવે છે તે પૂજય એવી દિવ્ય કૃપા વર્ષાવે કે સંસાર છોડું સંયમ લવ અને મોક્ષે જવ ? એજ એકની એક ભાવના ? ૦ પાપ થઈ જવું, એ એક વાત છે અને પાપની રસિકતા, એ બીજી વાત છે. 8 પાપને આચારનારા સૌ કઈ “પાપથી દુ:ખ”—એ વાતને માનનારા નથી એમ ન કહેવાય. પાપથી દુઃખ—એમ હદય પૂર્વક માનનારાઓ પણ, પાપથી નિવૃત્ત થયેલ ન હોય એ { શકય છે. કારણ કે ચારિત્ર મેહનીયનો ઉદય સુવિવેકી અને સમ્યજ્ઞાની એવા પણ 8 આત્માને, સંયમી બનતાં અટકાવે છે. એવા આત્માઓ ભલે એ કારણે સંયમ–સાધક કે ન પણ બની શકે, પરંતુ તેઓ સંયમ સાધનાની અભિલાષાથી પર હોતા નથી અને એ કારણે સંયમશીલ બનવાને માટેના શકય ઉપાય આચરવામાં પણ કાળાવાળા હોય છે. વાત એટલી જ છે કે- “પાપથી દુ:ખ—એમ હદયપૂર્વક માનનારમાં, પાપરસિકતા જ ન હોવી જોઈએ પણ પાપભીરુતા હેવી જોઇએ. પાપથી બચવાની ભાવના ! હેવી જોઈએ અને થઈ જતા પાપ માટે પણ પશ્ચાત્તાપ આદિ હોવો જોઇએ 8 તે સોને નથી ગમતું, પણ દુઃખનું કારણ તે ઘણાને ખૂબ જ ગમે છે. ઉપ8 કારીએ ફરમાવે છે કે- દુ:ખના કારણુ પ્રત્યે અરુચિવાળા બને દુઃખથી ડરવાને ૨ છે બદલે, દુઃખના કારણુથી ડરો. પાપનાં અને પાપ નિવારણનાં વાસ્તવિક છે કારણોના અભ્યાસી બને અને ઉપકારી મહાપુરુની આજ્ઞા મુજબ પાપથી છે 5 મુક્ત બનવાને માટે સુપ્રયત્નશીલ બને. –શ્રાદ્ધગુણ દશન-૨ ૦ શાસ્ત્રમુજબ શુદ્ધ પ્રરૂપણા દ્વારા, શાસ્ત્રીય સત્ય અને સિધાન્તને ઝંડે, * પ્રાણના ભોગે પણ અણનમ રાખનારા શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ. ૦ અનેકના ઉજજડ અને વેરાન જીવન બાગને, શ્રી જિનવાણીના શીતલપણાથી છે નવપલ્લવિત કરનાર શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ ! ૦ સારણ, વારણા, ચણા અને પડિયા દ્વારા ગચ્છની રક્ષા અને વૃદ્ધિને E કરનારા, શ્રી જિન શાસનના “રાજા” સમાન શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy