SearchBrowseAboutContactDonate
Page Preview
Page 981
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદશ્રીજી કહેતા હતા કે -શ્રી ગુણરાગી આજે તમને બધાને પણ ઘર-બાર, પૈસા-ટકા, કુટુંબ-પરિવારાદિ સારા લાગે છે અને સાધુપણું મેળવવા જેવું પણ નથી લાગતું એટલું જ નહિ પણ તેવું મન નથી થતું તેનું દુઃખ પણ નથી થતું–તેથી કહેવું પડે કે- ભૂતકાળમાં જે ધર્મ કરેલો તે મેલો કરેલો ! ૦ જે જીવે દુનિયાના કોઈ પણ પદાર્થોની ઇચ્છા વિના, નિરાશસભાવે કે મોક્ષને માટે જે ધર્મ કરે તેથી તેમને જે પુણ્ય બંધાય તે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તે પુણ્યના ઉદયકાળમાં જીવના સંસ્કાર પણ સારા રહે, શુભભાવે પણ જીવતા રહે. જ્યારે દુનિયાના પદાર્થોની ઈચ્છાથી, આ લોકના કે પરલોકના સુખ માટે જે ધર્મ કરે તેથી જે પુણ્ય બંધાય તે પાપાનુબંધી બંધાય. તેના ઉદયકાળમાં જીવને અત્યંત સંકિલષ્ટ પરિણામ રહે. ૦ સાધુ પણ વિરાગી ન હોય, મોજમજા કરતા હોય તે તેની પણ ગતિ ભૂંડી છે ! લેક સાશ કહે તેથી સારા નહિ. સારા થવું હોય તે હયું સુધારવું પડે. આજે બધાને સારો દેખાવું છે, કહેવરાવવું છે પણ સારા થવું છે ખરું ? સારો કેણ ? ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવે, આજ્ઞા મુજબ ન જીયાય તેનું દુખ અનુભવે અને ક્યારે પૂરેપૂરી આજ્ઞા પામવા શકિતમાન થાઉ તેવી ભાવના ભાવે તે. આજ્ઞા મુજબ જીવનાર ભગવાન શ્રી સંધ તે મેક્ષમાર્ગને મુસાફર છે. પોતાના ધર્મમાં સ્થિર રહેવું અને બીજાને ધર્મમાં સ્થિર રાખવા તે જ ઊંચામાં ઊંચી દયા છે. ૦ શ્રી અરિહંત પરમાત્માને, બીજા કેઈની ય સાથે સરખાવાય નહિ, આવું જે સમજે તે બધા શ્રી અરિહંત પરણમાને ઓળખનારા છે, બીજા નહિ. સહકાર અને આભાર ૧૫૧] સ્વ. પૂ. તપાગચ્છાધિપતિ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના આજ્ઞ વત્તિની પ્રવૃત્તિની પરમતપસ્વી પૂ. સા. શ્રી દેવેન્દ્રશ્રીજી મ.ના શિષ્યા પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી અમદશિતાશ્રીજી મ. ના એકાન્તરે પ૦૦ આયંબિલ તપશ્ચર્યાની પૂર્ણાહુતિની અનુમોદનાર્થે; પૂ સા.શ્રી અનંતદશિતા શ્રીજી મ.ની પ્રેરણાથી ફતેહદ જગજીવનદાસ મુંબઈવાળા તરફથી. અશોકભાઇ કાંતિલાલ પટવાની પ્રેરણાથી ૪૦૦ પ્રેમજીભાઈ અરજણભાઈ છેડા, ગરે ગાંવ, મુંબઈ ૩૦૧ શ્રી આદેશ્વર વે. મૂ જૈન સંઘ શ્રી નગર ગેરેગાવ પૂ. મુનિરાજ શ્રી નયવર્ધન વિજયજી મ.ના ઉપદેશથી મુંબઈ. ૨૫૧] શ્રી નંબકલાલ જે. શાહ, વાલકેશ્વર મુંબઈ. ૦
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy