SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય શ્રી કહેતા હતા કે- -શ્રી ગુણદર્શી જે ધર્મ પામેલાને દાન કરવાનું મન ન થાય, શીલ પાળવાનું મન ન થાય, તપ કરવાનું મન ન થાય, ભાવના ભાવનાનું મન ન થાય તે ધર્મ પામેલો કહેવાય ? ધર્મ ન જોઈએ તેને ગુરુ ઉપર પ્રેમ થાય ? મુકિત ન જોઈએ તેને ભગવાન ઉપર પ્રેમ થાય? - આપણુ શ્રી અમૂર્દિએ સૂત્રમાં “અંકિંચિ, અપત્તિ અં” વગેરે જે પદ લખ્યા છે તે દુનિયાના લેકેને “ગુલામીખત લાગે તેવું છે. આ તેને જ ગમે, જેને અર્થકામ ભંડા લાગતા હોય, મુકિત જ મેળવવા જેવી લાગતી હોય. વંદન ઈ છે તે સાધુ નહિ. તમે વંદન કરે તે સાધુ આ આઘા ખાતે જમા કરે. ૦ અમે રોજ વ્યાખ્યાન કરીને તેમાં જેમ નિર્જરોને હેતુ છે તેમ તમે બધા સમજી જાવ તે પણ હેતુ છે. ઘણાને અમે સંભળાવ્યું હોય અને કર્મોદયે કેક વાર અમે પણ જમાનાના ચકકરમાં આવીએ તે, આમાંના કેક અમને પડતા બચાવે તે પણ હેતુ છે. ૦ શાત્રે કહ્યું છે કે, આ સાધવાચાર તે વિનય છે. ૦ સુદેવ-સુગુરુ-સુધર્મ તવને માનવાના છે. તે આત્મામાં રહેલા છે. તેને પ્રગટ કરવા માટે માનવાના છે. ૦ દેવ-ગુરુ-ધર્મ તરવને પ્રગટ કરવું હોય તે તેને પિતાના આત્માની કેટલી બધી ચિંતા હોય? તમે કે'ક જગ્યાએ પૈસા મૂકવા હોય તો તેની પેઢી ધીકતી ચાલે તેની ચિંતા કરે ને ? દેવતાવ જગતમાં જીવંત રહે, ગુરુતત્ત્વ જગતમાં જીવંત રહે તે જ ધર્મમાં ધર્મતત્વ પેદા થાય. આવી ભકિત જગ્યા પછી શાસ્ત્રની વાત ગુલામી નહિ લાગે, પણું કર્તવ્ય લાગશે. • આપણે તે ભગવાનને સર્વત્ર, સર્વદશી, ત્રિકાલવેરા માનનારા છીએ. તેમની આજ્ઞાથી વિધ વિચારાય તે પણ તેમની આશાતના છે. ૦ ભગવાન તારનારા છે, શ્રી ગણધર ભગવતે તારનાર છે. દ્વાદશાંગી તારનારી છે. આજ્ઞા મુજબ જીવનારો ચતુર્વિધ શ્રી સંઘ તારનારો છે. ૦. “જે આદમી દેવ-ગુરુ-ધર્મને તેનું બધું જ દેવ-ગુરુ-ધર્મનું જ.” આ વાત હયામાં ઉતરે તે જ સાચે ભકિતભાવ જાગે. આજે સાચે ભકિતભાવ દેખાતો નથી માટે સાચી ભકિત થતી નથી પણ વિટંબના થાય છે. અનાદરથી સારામાં સારું જમાડે તે પણ તેને ઘેર જમવા જવાનું મન થાય?
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy