SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ–૪ અક-૨૪ તા. ૨૮-૧-૯૨ : કલ્પ પ્રયોગ કરવા જ પડે છે, તેા સર્વોચ્ચ સુખ પ્રાપ્તિ માટે જે સ્થાન પ્રાપ્ત કરવું છે, તે માટે તેની સાધના માટે તે તે ક્ષેત્રાનાં તજજ્ઞાએ-સર્વજ્ઞાએ બતાવેલ પ્રેકટીકલ્સ–પ્રયાગ કરવાની શુ' આપણને આવશ્યકતા નથી ? રોટલી બનાવવાનું શીખ્યા પછી તે બનાવવાની ક્રિયા જયાં સુધી આપણે કરીશું નહી, ત્યાં સુધી રોટલી બનશે નહી. શેટલી હાથ પર બનતી નથી. તેને બનાવવા માટે બધા ચેાગ્ય સાધન સામગ્રીના ઉપયાગ કરવા પડે, ત્યારે જ રોટલી બની શકે રોટલી આપણી પાસે તૈયાર થઇ આવી ગઇ છે, પણ તેને ખાવાની ક્રિયા, તેને મેઢામાં મુકી ચાવવાની ક્રિયા આપણે નહી કરીશું. ત્યાં સુધી આપણે તેને પેટમાં નહી ઉતારી શકીએ અને આપણી ભુખની તૃપ્તિ નહીં થાય. આપણું શરીર પણ તે સિવાય જીવતું નહી' રહી શકે, સારાંશ દરેક વાતની સફળતા પ્રાપ્ત કરવા માટે તેના પર ક્રિયા-પ્રક્રિયાની આવશ્યકતા હાય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં જે ઉચ્ચત્તમ મેાક્ષના ધ્યેય પ્રાપ્ત કરવા છે. તે ક્ષેત્રનાં એક માત્ર તજજ્ઞ સર્વજ્ઞ ભગવાન છે. તેમણે મેક્ષના ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણને આગમ રુપી સંપૂર્ણ જ્ઞાન પણ આપેલ છે. અને તે જ્ઞાનના ઉપયાગ જીવનમાં કરવા માટે નિયમ, ક્રિયાઓ પણ બતાવેલ છે. આ અને તેને સાધવાની ક્રિયાએ ભગવાને આગમ દ્વારા આપણને આપેલ છે, પણ આપણી પાસે મેાજુદ છે. : ૫૩૯ બધુ જ્ઞાન જે આજે ભગવાન મહાવીર દેવે સજ્ઞતા પ્રાપ્ત કર્યાં પછી ઇન્દ્રો દ્વારા રચાયેલ સમવસરણમાં ગૌતમસ્વામીજી ગણુધરે ‘ભગવન્ ક તત્ત્વ” એવુ ત્રણ વખત ભગવાનને વિનમ્ર ભાવથી હાથ જોડીને પુછ્યું, ભગવાને કહ્યુ` ‘ઉપન્નેઇ વા’, ‘વિગમે ઇ વા', ‘વે ઇ વા” આ ત્રણ માતૃકા પદ ભગવાને ગણધરાને તેમનાં ત્રણ વખતનાં પ્રશ્નના જવાબમાં કહ્યા. આ ત્રિપદી સાંભળતા જ ગણધર ભગવાને આ ત્રણે તત્ત્વોને વિસ્તાર રૂપથી સૂત્ર બદ્ધ કર્યા. તેને જ આપણે ‘દ્વાદશાંગી કહીએ છીએ. આ દ્વારશાંગીની રચના થઇ તે દિવસે એટલે વૈશાખ સુદ ૧૧ ના દિવસે ભગવાન મહાવીર સ્વામીએ વર્તમાનકાળના તીની સ્થાપના કરી હતી. પૂજય ગણધર ભગવંતે રચેલ આ દ્વાદશાંગી પર ભગવાને મહાર છાપ લગાવી તેને પ્રમાણિત જાહેર કરી. આવા પ્રમાણિત ગભીર અર્થાવાળા આગમ ગ્રંથ-સૂત્ર મહાન ચૌદપૂર્વી ભદ્રબાહુ સ્વામીજીએ ભાવીકાળના અલ્પબુદ્ધિવાળા આત્માઓને સમજણ પડે તે માટે કેટલાંક આગમાની નિયુક્તિઓ રચેલ છે, અને બીજા અનેક મહાન જ્ઞાની આચાર્ય ભગવાએ નિયુક્તિ ભાષ્ય, ચૂણી અને ટીકાઓ રચેલ છે. જેથી મૂળ આગમાના અથ સારી રીતે યાગ્ય આત્મા સમજી શકે. આ આગમ વિશે એના પ્રામાણિકતાના વિશે કોઇને શંકા કરવાની જરૂર નથી હા, ભગવાનનાં નિર્વાણ પછી મતિ મંદતાથી આગમ ગ્રંથાના જ્ઞાનાભ્યાસ આછે થતા ગયા. પૂના જ્ઞાનમાં પણ એછપ આવતી ગઈ. પણ મૂળાગમા અવ્યાબાધ રહ્યા. પૂર્વધરાએ પૂના જ્ઞાનના
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy