SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧ છે આત્મ વિકાસ પામે છે. આ જે શ્રી જૈન શાસનની પાયાની વાતે છે તેની શ્રદ્ધા વિના જીવ સાચી રીતે ધર્મને આરાધી શકતો નથી. 4 “ધારણાત્ ધર્મ' અર્થાત –આત્માને સંસારમાંથી-ગતિના ખાડામાંથી પડતા બચાવે ? છે તેનું નામ ધર્મ છે આ ધર્મશબ્દની શાસ્ત્ર સંમત ચુપત્તિ છે. તે ધર્મ બહુ જ સૂક્ષમ બુદ્ધિથી ! સમજવાની જરૂર છે. બાકી સખના અથી જીવે ધર્મના નામે પણ અધમની આચરણ છે e કરી પોતાના હાથે જ પોતાની દુર્ગતિ ખરીદે છે. અને આ પાંચમાં આરામા તે ભગવાનના સાધુવેષમાં રહેલા પણ ઘણા છ માન-પાનાદિ એષણાઓ અને પિતાના સ્વાર્થ ખાતર, કે ભલા-ભેળા જીવોને એવી રીતે ઠગે છે કે બિચારા કસાઈખાને ગયેલા જાનવરની જેમ સદગતિમાંથી સીધા જ દુર્ગતિના દરિયામાં ફેંકાઈ જાય છે. માટે જ સહસ્ત્રાવધાની સુવિહિતશિરોમણિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રી મુનિસુંદર 8 | સૂરીશ્વરજી મહારાજાએ શ્રી અધ્યાત્મકપદ્રુમમાં શ્રી વીરભગવાન આગળ પોકાર કર્યો છે ? છે કે-“હે વીર! જ્યાં “રક્ષક જ ભક્ષક બને” “વાડ જ ચીભડાં ગળે' ત્યાં કેનું શરણું ? સ્વીકારવું ! જેઓને આપે શાસનના રક્ષક તરીકે સ્થાપેલા હતા તેઓ જ શાસનને નાશ થાય તેવી પેરવી કરી રહ્યા છે તે પિકાર કેની આગળ કરે ?” { આ વાત આજે તે પ્રત્યક્ષ અનુભવાઈ રહી છે. પિતાના સ્વાર્થની સગડી ઉપર સિધાન્તની ખીચડી પકાવનારાને તો નથી પણ સિદ્ધાન્તની અવિહડ રક્ષા કરનારાઓ પણ જ્યારે તેમાં અંજાઈ જાય છે અને પછી બેટી પ્રણાલિકાઓને સામને કરવાને છે બદલે, માનપાન અને ખોટી વાહ વાહ ખાતર જાણે-અજાણે તેમાં ખેંચાઈને મૂક સંમતિ પણ આપી દે છે ત્યારે શ્રદ્ધાસંપન આત્માઓ પણ આઘાત અને આશ્ચર્ય અનુભવે છે. ખરેખર તે સિદ્ધાન્તને અવિહડ રાગ જીવને સિદ્ધાન્ત વિરૂદ્ધ આચરણ કરવા દેતું જ એ નથી અને કદાચ સમય–સંજોગો પ્રમાણે ભવિષ્યમાં કાંઈ સારાની આશાએ, અનિવાર્યપણે છે કે ઇવાર પણ સત્ય-સિધાન્ત વિરૂધ નિર્ણય કરવું પડે તે પણ હૈયામાં રહેલું છે. સિદ્ધાન્ત પ્રેમ-સિધાન્ત નિષ્ઠા જંપીને બેઠવા દેતા નથી અને સત્ય માર્ગો પુન: લાગ્યા વિના પણ રહેતા નથી. સિદ્ધાન્તની વફાદારીને ગુણ પણ જે આવી જાય કાં તે ગુણને પણ પામવાનું મન થાય, કદાચ તે ગુણ ન પામી શકાય તે પોતાની નિર્બળતા અને નિર્માલ્યતાની હું યામાં ખટક પણ રહ્યા કરે છે તે જીવ પણ આરાધક કેટિને ગણાય છે. અને અવસર છે આવે સામા પુરે પણ તરીને શહીદીને વેરીને સિધાન્તની સૂરાવલિનું સુરમ્ય સંગીત ગુંજતું કરી જાય છે. બાકી મેઢેથી મેટા ઢોલની જેમ સિધાન્તની વાત કરનારા અવસર આવે પવન પ્રમાણે પીઠ ફેરવવામાં લેશ પણ નાનમ કે સંકેચ અનુભવતા છે
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy