________________
વર્ષ ૪ અંક ૧૮૫૧૯) સંયમ અનુમોદન મહત્સવ વિશેષાંક :
૫૩૧ તેઓના વફાદાર અનુયાયી દ્વારા થયેલ આઇકા-સુધારક બેરિસ્ટરોએ તે જમાનામાં વિધવા વિવાહને ઠરાવ અમદાવાદમાં કરવાનું નકકી કર્યો. નવું કરવાની ધુન પાછળ કેટલું નુકશાન થાય તે વિચારવાની બુદ્ધિ બહુ ઓછામાં હોય છે. પાછું સુધારકે એ એવું કર્યું કે સભા રાત્રે રાખી જેથી કઈ સાધુ ભગવંત ત્યાં આવી શકે નહિ. પૂ.શ્રીએ વફાદાર માણસને તૈયાર કરી તે મીટીંગમાં મોકલ્યા તે સમયના શ્રી જિન શાસનના અત્યંત અનુરાગી સુશ્રાવક ચીમનભાઈ કડીઆ વિગેરે તે મિટીંગમાં પહોંચી ગયા. એક જણાએ પ્રસ્તાવ મુક્યો. આજની સભાનું પ્રમુખ સ્થાન શ્રી ચીમનલાલ કડિયાને હું આવું છું. બીજા ભાઈએ કહ્યું આજની સભાનું પ્રમુખ સ્થાન મેતલાલ ગીરધરલાલ કાપડીયાને આપું છું. આમ કરતાં કરતાં સભામાં ગરમી આવી ગઈ. કેઈએ ખુરસી લીધી. ત્યાં મીટીંગ બંધ રહી. ચીમનભાઈ કડિયાએ મેતલાલ ગીરધરલાલને કહ્યુંઃ ચાલે મારા ઘરે. બીજા દિવસે જમતી વખતે ચીમનભાઈએ કહ્યું. આવા ઠરાવ કરવા એના કરતાં આ ચપ્પ પેટમાં બેસીને મરી જવું વધુ સારું છે. તમને આવા ઠરાવ કરતાં શરમ નથી આવતી. આવા અખાડા કરવા ખબરદાર હવે આવ્યા તો ! ત્યાર પછી આવા ઠરાવ કરવા અમદાવાદ કેઈ આવ્યું નહી.
પૂ.શ્રી રાધનપુરમાં હતા. તેઓશ્રીના પ્રવચનથી એક હરિજન જેનું નામ ઉગરચંદ હતું. તે ધર્મ પામ્યા. પૂશ્રીની વાણીથી એ પ્રભાવિત થયો હતે કે સૌએ મર્યાદા જાળવવી જોઈએ. તેથી તે બહારથી દર્શન કરતા હતા. પૂ. શ્રી પિતે તેને પરચફખાણ આપતા હતા.
પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.ના
૭૯ વર્ષના સુદીર્ઘ સંયમ જીવનની અનુમોદનાથે * ભવ્યાતિભવ્ય મહાપૂજા ઉદ્ઘાટન પ્રસંગનું ગીત
( રાગ-સે બુલે તુમ ) સંભવ તારા દર્શન કરવા હું આવ્યું છું, વિનવું ભાવ ધરી, આ ઉમંગભરી. સં. તું ત્રિભુવન તારણ દેવ, હું ચાહું તુજ પદ સેવ,
તુજ વિણ નાવિ કે આધાર, પ્રભુ મુજને પાર ઉતાર. સં. ચાહે નયના તુજને, કે જે દર્શન મુજને, કિમ આવું હું તમ પાસ, પ્રભુ પૂર મારી આશ સં. તું ભવજલ તારણહાર, તુજ નામે ક્રોડ કલ્યાણ, પ્રભાતે નિત સમરૂ, હૈયે તુજ ધ્યાન ધરૂ. સં. કરી મહાપૂજા આજે શ્રી સંભવ જિન સામ્રાજ, રામચંદ્રસૂરિરાયા, નયવર્ધન ગુણ ગાયા. સં. સંવત વીશ સુડતાલીશે, ભાદ્રવદ અષ્ટમીએ, પ્રભાકરસૂરિનિશ્રામાં, ગાયે મંગલ ગુણગાન, સં.