SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વધર્મનાં વિપ્લવ સમયે મુડદાની શાંતા સેવવાની અને સ્વજાતના રક્ષણની તુચ્છ છે ઈરછા રાખવી તે પંડિતાઈ નથી પણ પાંડિત્યનું લીલામ છે. પ્રામાણિક ધર્મને કરેલ છે સ્વીકાર અને તેની નિર્દોષ સિદિધ માટે, અવધક તને પ્રતિકાર અને નિવારણ કરી છે સદ્દધર્મમાં સૌને સુસ્થિત બનાવવા એ જ સાચી પંડિતાઈ છે જેનું દર્શન આ પુણ્ય છે પુરુષમાં આબેહૂબ થતું હતું. સ્વાદવાદ એટલે ફેરફુદડીવાદ નથી કે સકલ દશમાં સમભાવ કેળવ એમ પણ છે હું નથી. પરંતુ સ્યાદવાદ એટલે સ્વદર્શનના અભિમત વિશુધ તને શ્રદ્ધાપૂર્વક માનવા { તે છે. તથા પ્રામાણિક સ્વાભિમત દર્શનને ઉત્કર્ષ બતાવ અને ઈતર દશનનું ખંડન છે હ કરવું તે સંકુચિત સાંપ્રદાયિક જડતા નથી પરંતુ જગતમાં સમાગને અખલિત { પ્રવાહ વહેતે રહે એવી પવિત્ર ભાવનાનું પ્રતિક છે જે કામ આજીવન પૂજ્યશ્રીજી કરી રહયા હતા. Rા મિત્રભાવના કે સમન્વય દષ્ટિના બહાને લોકોત્તર દર્શનને ય લૌકિક દર્શનની જ સમકક્ષમાં સ્થાપવાની ભાવના વિવેક શૂન્યતા છે. એટલે રાજા અને રંક વચ્ચે જે અંતર છે તેથી પણ અગાધ અંતર લોકોત્તર અને ઈતર દશન વચ્ચે છે તેથી જ લોકેત્તર એવા જેનદર્શનની મહત્તા આંકવી કે અંકાવવી એ ક્ષુદ્ર મનોવૃત્તિ નથી. પણ સાચી પૃથક્કરણ છે શક્તિ છે. જેને આ પુણ્ય પુરુષમાં સૌને સાક્ષાત્કાર થતે હતે. હું સમદર્શિતાના એઠાં નીચે અને સંકુચિતતાના લેબાશ નીચે ઉદાર અને ઉદાત્ત ભાવનાને દાવો કરી મૂળ તર ઉપર જ કુઠાર ઘા કરી, શ્રી જૈન શાસનના વાસ્તવિક છે તનું ઉમૂલન કરનાઓને મક્કમ પ્રતિકાર કરી સન્માનું સંરક્ષણ કરનારાઓમાં ! અગ્રેસર આ એક વિશ્વવિખ્યાત વિભૂતિ હતી. છે જેઓની પ્રશાન્ત મૂર્તિનું દર્શન સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત જીવોને પરમ છે શાન્તિને અનુભવ કરાવતું હતું, જેના હૈયામાં સઘળા ય જીવને શાસન રસી બનાવવાની અને ઝટ મુક્તિએ પહોંચાડવાની અનુપમ તમન્ના-ભાવના વહી રહી હતી, 8 જેઓનાં નયનો નેહથી નીતરતાં હતાં જેઓના હેતાળ હાથના વાત્સલ્ય વારિધિથી સીંચાયેલા છો પાપ પંકથી મુકાતા હતા. અને જેઓના ચરણેનું શરણ આ ભાવવૃક્ષને ૪ નાશ કરનારું અને જેઓના શ્રીમુખેથી શ્રી જિનવાણીનું શ્રવણ પણ ભવOાથાને વ્યથિત છે. કરનારું હતું. જે પૂજય શ્રી ૯૬ વર્ષની અતિ બૂઝ વયે પણ અપ્રમત્તતાનો અને આદર્શ છે છે આપી રહ્યા હતા, અનુપમ નિર્મલ સંયમ જીવનના ૭૯ મા વર્ષમાં પ્રવેશી સાધુતાની 8 સુમધુર સૌરભ રેલાવી રહ્યા હતા, આચાર્યપદ પર્યાયના ૫૬ માં વર્ષમાં પદાર્પણ છે ઈ કરી જખમદારી વફાદારીને મહામંત્ર ભાવિ આચાર્યોને આપી રહ્યા હતા તે પુણ્ય 1 પુરૂષની પાવન સ્મૃતિ જ હવે આપણા માટે શેષ રહી છે.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy