SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૦ શ્રી જૈન કવે. કે. હેરલ્ડ. આ લેખના લેખક મુનિવર્યને આ મહાકવિના ધનપાલના સમયપરત્વે કંઈ લખવાની વિનતિ કરતાં તે જે લખે છે તે ઉપયોગી હોવાથી અમે અત્ર નેંધીએ છીએ – ધનપાલનું ઐતિહાસિક દૃષ્ટિએ ઈતિવૃત્ત લખવા પ્રથમ વિચાર હતું પરંતુ પ્રસ્તુત લેખના લંબાણના લીધે તેમજ સમયના અભાવના લીધે તુરતમાં તેમ કરવા અશક્ત છું. ધનપાલના જીવનની સાથે બીજી પણ કેટલીક ઉપયોગી વસ્તુઓ વિચારવા જેવી હોવાથી અવસરે તે સંબંધમાં પૃથકજ લખવા વિચાર છે. શું હે આ વિષયના પ્રસ્તુત લેખમાં કોઈ ઠેકાણે નોટ લખી નથી? કદાચ ભૂલમાં રહી ગઈ લાગે છે. નહી તે એ વિચાર મારા મનમાં પ્રથમ જ આવે છે. ધનપાલના જીવન સાથે તેના સમકાલીન ભારતીય વિદ્વાનોને પરિચય, જેનસમાજની સામાજિક અને સાહિત્ય વિષયક પરિસ્થિતિ, કવિના કરેલાં બીજાં ગ્રંથ, તેમની અંદર કવિની અંકાએલી વિચારાકૃતિઓ ઈત્યાદિ વિષયો પણ ચર્ચવા જેવા છે. - કવીશ્વરે અપભ્રંશ ભાષામાં શ્રત પંડ્યાની કથા બનાવેલી છે. સાહિત્યની દૃષ્ટિએ તે પુસ્તક પણ તિલકમંજરી સમાનજ વિવેચનીય છે. કાલના ગાલમાં ગર્વ થતા અપાર એવા અપભ્રંશ ભાષાસાહિત્યમાં આ એક જ સ્તંભ જીર્ણ અવસ્થામાં પણ આપણી દષ્ટિને આકર્ષે છે. એની ડગમગતી અવસ્થાને ટેકો આપી, સ્મારક કરી, પૃથ્વીના પેટમાં જતાં અટકાવવું જોઈએ. આ સિવાય રા. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ M. A. એ તિલકમંજરીમાંના કવિઓ એ મથાળાથી, જૈન એડવોકેટ જાન્યુઆરી ૧૯૧૪ ના તથા તે પછીના અંકમાં પ્રગટ કરાવેલો લેખ જોઈ જવા વાંચકોને ભલામણ કરીએ. -તંત્રી. . હરિભદ્રસૂરીને સમય. સુરતથી આનંદ સાગર શ્રી ભાવનગર સુશ્રાવક મોતીચંદ ગીરધરાગ્ય ધર્મલાભ. ૧ સૂત્રો પુસ્તકારૂઢ થયાં પહેલાં જે આગમ ન હોય તે તમારી ઔદ્યોગિકતાની વધારા પણની કલ્પના સત્ય ઠરે અને તેઓ તેથી ઘણું પછીના વખતના થાય. જોકે શ્રી હરિભદ્ર સૂરિજી પુસ્તકારૂઢના કાલ પછી ૬૦-૬૨ વર્ષે કાલ કરેલો હોવાથી તેટલી પિતાની જીંદગીમાં તેઓ સૂત્રો ઉપર વિવેચન કરવાની તેટલી ઔગિકતા કરે તેમાં 'નવાઈ નથી કારણકે કરેલા વિવેચનને માટે ૬૦-૬૨ વર્ષને વખત કાંઈ ઓછો કહેવાય નહિ. અને તેટલા વખતમાં તેટલા વિવેચનને અસંભવ કહી શકાય જ નહિ. તમો યાદ રાખો કે સાધુઓની જીંદગીને મુખ્ય આધાર સૂત્ર ઉપર જ રહેલો છે. અનુકરણ કરનાર સમકાલીન જ હોય એવો નિર્ણય નથી અને જે એમ માનીયે તો હરિભદ્ર સૂરિ સિદ્ધર્ષિ, દેવેંદ્ર સૂરિ અને યશોવિજયજી અનુક્રમે સમરાત્યિ કથા, ઉપમિતિ પ્રપંચ કથા, લઘુપમિતિ અને વૈરાગ્ય કલ્પલતામાં સરખા ઉપનય કરનાર
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy