SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ તિલક-મંજરી, ૫૧૯ ક એ નિઃશંક છે કે સંસ્કૃત મહાકવિ શ્રી ધનપાલ એ ધારાનગરીના ભો જરાજાના સમયમાં બ્રાહ્મણ-શ્રાવક હતા, અને મુંજરાજાના સમયમાં પણ વિમાન હતા અને તેમના નાનાભાઈ શાભને જેને દીક્ષા લીધી હતી, કે જેની ચો વીસ જિન પર કરેલી, સ્તુતિઓ “શેભન રતુતિ' નામે સંપ્રતિ ઉચ્ચ કાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. આ સંબંધે વૃત્તાંત સંવત ૧૩૬૧ માં મેરૂતુંગ સૂરિએ રચેલ પ્રબંધ ચિંતા મણિ [ ભાષાંતરકાર રામચંદ્ર દીનાનાથ શાસ્ત્રી, બીજી આવૃત્તિ પૃ- ૧૧૦ થી ૧૨૧ સુધી), સં ૧૪૨૨ માં સુંદર તિલકાચાયની સમ્યક સપ્તતિકા (કે જે અપ્રસિદ્ધ છે), સં. ૧૮૩૩ ના જિનલાભ સૂરિકૃત આત્મ પ્રબોધ (ભાષાંતરકાર સ્વ. ઝવેરભાઈ ભાઈચંદશાહ પૃ. ૧૩૯-૧૪૮) કે જેના પરથી જેનધર્મ પ્રકાશના સં–૧૮૬૦ ના ચૈત્ર અને વૈશાખ માસના પુ. ૨૦ અંક ૧-૨ ધનપાલ એ નામની કથા આપવામાં આવી છે, અને સં. ૧૮૩૪ માં રચેલા વિજય લક્ષ્મી સૂરિકૃત ઉપદેશ પ્રાસાના સ્તંભ ૨ વ્યાખ્યાન ૨૩ ભાષાંતર ભાગ ૧ લો પૃ. ૧૮૧૨૯ ) માં આપેલ છે તે જોઈ જવાની વાચકને ભલામણ કરીએ છીએ. આ ચારે ગ્રંથમાં મુખ્ય સાર સરખો છે પરંતુ કેટલીક નાની હકિકતમાં મહત્વનો ફેરફાર એક બીજા વચ્ચે રહે છે કે જેમાં ઉંડા ઉતરી તેમનું પરિસ્ફોટન કરી નિર્ણય પર આવવું ઘટે છે. ધનપાલના તરીકે તિલકમંજરી સીવાય શ્રાદ્ધધર્મવિધિ, ઋષભ પંચાશિકા, ધનપાલ પંચાશિકા તે પૈકી આત્મપ્રબોધમાં ગણાવ્યા છે તિલકમંજરી નિર્ણયસાગર છાપખાનાએ છપાવી તેની કીમત રૂ ૨ રાખી છે, ઋષભ પંચાશિકા પણ કાવ્ય માલામાં નાની અવચૂણિ સહિત ઘણું કરી છપાયેલ છે તેમજ હમણું મુનિ કરવિજય મહારાજના કરેલા ગુજરાતી ભાષાંતર સહિત ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાતરફથી પ્રગટ થયેલ છે, પરંતુ શ્રાદ્ધ વિધિ પ્રકરણ એ પ્રગટ થયેલ નથી, તો તેની શોધ કરી સંશોધન પૂર્વક કવિના વિવેચનદષ્ટિપૂર્વક ચરિત્ર સાથે પ્રગટ કરવા હાલની ગ્રંથ પ્રકાશક સંસ્થાઓ ધ્યાન પરલેશે તે ઉપકાર થશે. આ સિવાય નિમ્મલનહેવિથી શરૂ થતા વીરસ્તવ, શોભન સ્તતિ પર રચેલી વૃતિ. સં, ૧૨૨૮ માં રચેલી પાયલચ્છી નામમાળા કે જે ગુજરાતીની મળ–જનની ભાષા અપભ્રંશમાં છે, એ પુસ્તકો ધનપાલ નામના કર્તાની સ્તુતિઓ તરીકે જૈન ગ્રંથાવલિમાં જણાવેલા છે તે તે પ્રકટ કરવા યોગ્ય છે. આ સિદ્ધ સારસ્વત ધનપાલ મહાકવિને સમય નિર્ણય કરવાની જરૂર છે, તે મુંજ અને ભેજના સમયમાં હતા એ નિઃશંક છે તે મુંજને સમય સ્મિથ સાહેબ સને ૯૭૪ થી ૯૭૫ મૂકે છે જ્યારે ભેજને સમય સને ૧૦૧૮ થી ૧૦૬૦ મૂકે છે તો સને ૯૭૪ થી ૧૬૦ ની અંદર (વિ, સં. ૧૦૩૦ થી ૧૧૧૧ ની અંદર) અચૂક ધનપાલ કવિ વિદ્યમાન હોવા જોઈએ. હવે ધનપાલ કવિએ વાદિવેતાલ શાંતિસૂરી પાસે પોતાની તિલક મંજરી શોધાવી એ પણ નિશ્ચિત જેવું પ્રભાવિક ચરિત પરથી લાગે છે. આ શાંતિ સરિ સં. ૧૦૮૬ માં સ્વર્ગવાસી થયા એમ વેબર જણાવે છે અને તે પીટર્સન અને ભાંડારકર સ્વીકારે છે તે પછી તિલકમંજરીની રચનાને કાળ સં. ૧૦૯૬ ની (સને ૧૦૪૦ પહેલાંના કોઈ વર્ષમાં હેવી જોઈએ એ નક્કી થાય છે. આ ધનપાળ કવિથી જુદાજ ધનપાળ આ લેખમાં જણાવેલા તિલકમંજરીપર સં ૧૨૬૧ માં સાર લખનાર છે, અને તેણેજ સં ૧૨૨૯ માં પાયલી નામમાળા વગેરે રચેલાં લાગે છે.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy