SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ તિલક-મંજરી. ૫૧૩ પાવિત્ર્ય નષ્ટ થઈ જાય છે અને તેના પાતકથી કુલ, રાજ્ય અને રાષ્ટ્રને નાશ થાય છે !* રાજ એ ઉત્તર સાંભળી, બહુ કદ્ધ થયો અને પાસે પડેલી અંગારાની સગડીમાં, મૂર્ખતાને વશ થઈ તે પુસ્તક નાંખી દીધું ! રાજાના એ દુષ્ટ કૃત્યથી કવીશ્વર બહુ ખિન્ન થયે, પિતાના સ્થાને આવી દીધું નિશ્વાસો નાંખતે એક જૂના ખાટલામાં બેઠે. કવિને, સાક્ષાત સરસ્વતીને સમાન એક તિલકમંજરી નામની નવ વર્ષની સુંદર બાલા હતી, તેણે પિતાના પિતાને આવી રીતે કાર્યશન્ય અને ખિન્નમનસ્ક જોઇ તેનું કારણ પૂછ્યું. પુત્રાના અત્યાગ્રહને વશ થઈ કવિએ કથાના વિષયમાં બનેલ સમગ્ર વૃત્તાંત સંભળાવ્યો. સાંભળીને બાલા બોલી કે પિતાજી ! આપ ખેદ નહીં કરે, સ્નાન, પૂજન અને ભોજન કરી ; મહને તે કથા સંપૂર્ણ યાદ છે તેથી હું આપને ઉતરાવી દઈશ. કવિ આ વાત સાંભળી હર્ષિત થયો અને પિતાનું નિત્યનિયમ કરી, પુત્રીના મોઢેથી તે કથા ફરી લખી. અને પિતાની પુત્રીનું નામ ચિરસ્મરણ કરવા માટે તેનું નામ “તિલકમંજરી” રાખ્યું. આ વૃત્તાંત સમ્યકત્વ સપ્તતિકામાં આપેલું છે. પ્રભાવક ચારિત્રમાં કાંઈક જુદી રીતે લખેલું છે. તેને સાર આ પ્રમાણે છે – વૈદિક કથાઓના શ્રવણમાં ઉદાસીન થયેલા ભેજરાજાએ એક દિવસે ધનપાલને કહ્યું કે, હે વયસ્ય ! કોઈ જૈન કથા સંભળાવ. રોજાની ઈચ્છાથી કવિએ બાર હજાર ક વાળી સર્વગુણસંપન્ન તિલક મંજરી કથા બનાવી. રાજા સાંભળી ખુશ થયે અને બેલ્યો કે, કથાને પ્રારંભમાં જે હતુ કનઃ આવું મંગળ છે તે ઠેકાણે રાવ: uતુ આવુ મંગળ છે કર તથા બીજા આ ૪ ઠેકાણે નામ પરિવર્તન કર અધ્યાની જગ્યાએ ધારા, શક્રાવતારના સ્થાને મહાકાળ વૃષભના સ્થાને શંકર અને મેઘવાહનના ઠેકાણે મહારું નામસ્થાપન કર.” પછીની હકીક્ત ઉપરના પ્રમાણે જ છે. કેવલ, ઉપર જે કવિની પુત્રીનું નામ આપવામાં આવ્યું છે તે નામ આમાં નથી. સામાન્ય પુત્રી જ લખી છે. પુત્રીના મુખથી તે કથા લખતાં ત્રણ હજાર લોક સંખ્યા ન્યૂન થઈ એટલે અહિ વિશેષ ઉલ્લેખ છે. હે દેહમુય નિરકખર, લોહમઈ નારાય કિત્તિ ભણિ, ગૂજા હિ સમ કર્ય, તુવં ન ગઉસિ પાયાલ. - ભાવાર્થ-બે મુખવાળા ! નિરક્ષર અને લેહમતિવાળા હે નારાચ ! (ત્રાજવા !) અમે તે તને કેટલું કહિયે? તેં ચણોઠીની સાથે સુવર્ણ તેજું! તે કરતાં તું પાતાલમાં કેમ ન ગયું ?—(અહીં ત્રાજવાનાં બે છાબડાં એ રાજાને બોલવું કંઈક અને ચાલવું કંઇક એથી તેનાં બે મુખ, ત્રાજવું અને રાજા બંને નિરક્ષર એટલે ભૂખ, ત્રાંજવાને લોહ એટલે લોઢાની મતિ એટલે ડેડી હોય છે તે રાજાની લેહ-લભવાળી મતિ એટલે બુદ્ધિ અર્થાત કીતિને અત્યંત લોભ-સૂચવે છે)-તંત્રી ૧પ્રભાવક ચરિતકારની આ હકિક્ત સત્ય જણાય છે. કારણકે કવિ પણ કથાની પીઠિકામાં એમજ જણાવે છે. - રપ્રબંધ ચિંતામણિના મત પ્રમાણે, કથાને અર્ધભાગ તો કવિએ પૂર્વે કરેલા ખરડાને આધારે સ્મરણ કરીને લખ્યો અને ઉત્તરાર્ધ નવીન રચ્યો જણાય છે. (તિરુમંડી प्रथमा ददर्श लेखदर्शनासंस्मृत्यं ग्रन्थस्याध लेखयांचके तदुत्तरार्ध नूतनीकृत्य m: રમત:
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy