________________
પ૧૪.
શ્રી જૈન
. કે. હેરડ,
- પ્રભાવક અરિતમાં એ પણ લખ્યું છે કે, કવિએ જ્યારે કથા રચીને તૈયાર કરી ત્યારે પિતાના ગુરૂ શ્રી મહેંદ્ર સૂરિને વિજ્ઞપ્તિ તરીકે આ કથાને કોણ શોધશે? ગુરૂ મહારાજે વિચારીને જવાબ મળ્યો કે વાદિવેતાલ શાંતિસરી આ કથાને શુદ્ધ કરવા સમર્થ છે. શાતિસૂરિ તે વખતે પાટણ વિરાજમાન હતા તેથી કવિ ધારાથી પાટણ આવ્યો અને અનેક વિજ્ઞપ્તિ કરી સૂરીશ્વરને ધારા નગરીમાં લઈ ગયો. ત્યાં સૂરીશ્વરે તિલકમંજરીનું સંશોધન કર્યું પ્રભાવક ચરિતકાર કહે છે કે, શાંતિસૂરિએ આ કથાનું સંશોધન ઉસૂત્ર પ્રપણાની અપેક્ષાથી કર્યું છે, અર્થાત કથામાં કે જેન-શાસ્ત્ર વિરુદ્ધ વર્ણન ન આવી જાય તે દષ્ટિથી સંશોધન કરવામાં આવ્યું છે નહિ કે શબ્દ અને સાહિત્યની દા એ, કારણ કે, તે વિષયમાં તે સિદ્ધસારસ્વતની કૃતિમાં દેશ હેય જ ક્યાંથી !
" अशोधयदिमां चासावुत्सूत्राणां प्ररूपणात् ।
शद्धसाहित्यदोषास्तु सिद्धसारस्वतेषु किम ॥" તિલકમંજરી ટીકાઓ વગેરે.
પાઠક, આવી રીતે તિલકમંજરીની રચના આદિના વિષયમાં કાંઈક જણાવી, હવે તેના ઉપર ટીકા-ટિપ્પણ થયેલા છે કે કેમ? તે સંબંધમાં દષ્ટિપાત કરી, ધારવા કરતાં વધી ગએલા આ લેખને સમાપ્ત કરી રજા લઈશ!
ઘણા ખરા ભંડારો તથા જૂની નવી ટીપે જોઈ પરંતુ તિલકમંજરી ઉપર વિસ્તૃત વૃત્તિ કે સંક્ષિપ્ત અવસૂરિ ઇત્યાદિમાંથી કોઈ પણ ઉપલબ્ધ થયું નથી. આશ્ચર્ય છે કે જ્યારે પરધર્મનાં કાવ્યો-ઉપર અનેક જૈન વિદ્વાનોએ વ્યાખ્યા, ટીકા ટિપ્પણુ આદિ બનાવી તે કાવ્યોના પઠન પાઠનના પ્રચારમાં વૃદ્ધિ કરી છે ત્યારે સ્વધર્મના એક સર્વોત્તમ કાવ્ય-રત્ન તરફ કેમ ઉપેક્ષા રહી છે તે સમજાતું નથી ! કાદંબરી જેવી વિજાતીય કૃતિઓ ઉપર ભાચંદ્ર અને સિદ્ધિચંદ્ર જેવા પ્રખર જૈન વિદ્વાનેની વિસ્તૃત વ્યાખ્યાઓ વિદ્યમાન હોય. અને તિલકમંજરી જેવી સંપૂર્ણ જૈન સાહિત્યમાં શેખરાયમાન એવી અદ્દભુત કૃતિ સંક્ષિપ્ત અવચૂરિથી પણ વંચિત રહે! જાતીય-સાહિત્ય તરફ તેમની એ બેદરકારી બહુજ ખેદ કરનારી છે. જે કાવ્યનાં વાકયો ઉપર વિસ્તૃત વિવેચને જોઈએ તેના બદલે વિષમપદો ઉપર પણ જોઈએ તે “વિવેક' નથી!
એક નેંધ ઉપરથી જણાય છે કે મહેપાધ્યાય શ્રીમદ્ ધર્મ સાગર ગણિના પ્રશિષ્ય પંડિત પદ્મસાગરગણિએ તિલકમંજરીની વૃતિ બતાવેલી છે પરંતુ દુર્ભાગ્યવશ તેનું પણ
કે સુરતમાં ગોપીપુરામાં આવેલા શ્રી મોહનલાલજીના ભંડારમાં રજા જાળ, વઢી નું પુસ્તક છે. તેની અંત તેની પ્રતના લેખકે પિતાની પ્રશસ્તિ લખી છે તેમાં પદ્મસાગરના કરેલાં પુસ્તકોની નૈધ છે તેની અંદર તિલકમંજરીની વૃત્તિને પણ ઉલ્લેખ છે. પાઠકની જાણ માટે તે પ્રશસ્તિ ટાંકવામાં આવે છે.
"महोपाध्यायश्री धर्मसागरगणि पंडित पर्षत्पुरुहूतप्रतिमपंडितश्री बिमलसागरगणिपदपद्मोपासनप्रारप्रधानभ्रमरायमाण श्रीतिलकमंजरीवृत्ती १ प्रमाणप्रकाश २ नयप्रकाश ३ युक्तिप्रकाश ४ तर्कग्रन्थत्रयसूत्रवृत्ति । श्रीउत्तराध्ययनकथा ॥ शीलप्रकाश ६ धर्मपरीक्षा ७ यशोधरचरित प्रमुखग्रंथसूत्रणा सूत्रधार पंडितश्रीपद्मવાણિતત શિષ્ય ગુઢ રાજળવિવાવાળ... શેતુરાજરાશિ शिष्यगणि रूपसागरेण लिपिकृतं । जयतारणनगरे गुरुवासरे सं. १७३७ वर्षे श्रावण शुदी १३ दिने शुभवासरे श्रीरस्तु ।"