________________
૫૧૨
શ્રી જૈન . ક. હેરલ્ડ.
अक्षुण्णोऽपि विविक्तसूक्तिरचने यः सर्व विद्याब्धिना
श्रीमुंजेन सरस्वतीति सदसि क्षोणीभृता व्याहतः ॥" તા-પર્ય એ છે કે પોતાના પિતાના ચરણ કમળની સેવાથી વિદ્યાલવ પામેલે અને સર્વ વિદ્યાના સમુદ્રરૂપ એવા મુંજરાજાએ સભાની અંદર જેને “એવા મહત્ત્વસુચક ઉપનામથી બોલાવેલ છે એવા વિપ્ર ધનપાલે મહું આ કથા રચી છે. આવી રીતે લંબાણ પૂર્વક કથાની પીઠિકા પૂર્ણ કરવામાં આવી છે અને પછી “રિત રતાનિસ્ત તાલુકા ' ઇત્યાદિ રમણીય ગધ દ્વારા પ્રભાવ પૂર્ણ કથા પ્રારંભ કરવામાં આવે છે.
તિલકમંજરીની ઉત્પત્તિ બીજે પારા સંબંધમાં જૈન ઇતિહાસ લેખકે જણાવે છે કે – ભેજરાજાએ કેટલા દિવસો સુધી ધનપાલ કવિને પિતાની સભામાં અનુપસ્થિત જોઈ, એક દિવસે તેનું કારણ પુછતા, કવિએ જણાવ્યું કે, હું આજકાલ એક તિલભંજરી નામની કથા રચું છું. (આ ઠેકાણે સંધ્યવસતિ' ના લેખકે “'ભરતરાજ કથા’નું તથા કપરા પ્રાર” માં “યુગાદિચરિત’ નું નામ આપેલ છે.) તે કાર્યની અંદર વ્યગ્ર મનવાળો હેવાથી, નિયમિત સમયે, આપની સભામાં હાજર થઈ શકતો નથી. રાજા એ વાત સાં. ભળી, પિતાને તે કથા સંભળાવવા કવિને અભિપ્રાય જણાવ્યો. કવીશ્વરની સમ્મતિથી રાજા નિરંતર પાછલી રાત્રીએ તે કથા સાંભળ. (તે સમય બહુ રમણીય હેવાથી જ રાજા તેમ કરતો હતો નહિ કે કાર્યને અભાવને લીધે એમ સમ્યકત્વ સંમતિક આકાર કહે છે. ) સાંભળતી વખતે કથાના પુસ્તકની નીચે, રાજા સુવર્ણ પાત્ર એવા આશયથી મૂકતો કે, રખે કથામૃત વ્યર્થ નહી વહી જાય ! સંપૂર્ણ કથા સાંભળી રાજા અતિ આનંદિત થશે. કથાની સર્વોત્કૃષ્ટતાએ રાજાના મનને બહુ આકળ્યું. આ કથાની સાથે મહારું નામ અંકિત થાય તે યાવચંદ્ર દિવાકરી સુધી હારો યશ આર્યાવર્તની પવિત્ર ભૂમિ ઉપર અખંડિત રહે, એવી અદ્ અભિલાષાને વશ થઈ રાજા કવિને કહેવા લાગે કે, કથાના નાયકના સ્થાને તે હારૂં નામ, અયોધ્યા નગરીના ઠેકાણે અવંતીનું નામ, અને શક્રાવતાર તીર્થની જગ્યાએ મહાકાળનું નામ દાખલ કરે તે, બહુ માન, બહુ ધન અને ઇચ્છિત વર પ્રદાન કરે ! રાજાની એ અનુચિત પ્રાર્થના સાંભળી ધનપાળ બોલ્યો કે ઐત્રિયના હાથમાં રહેલો અને પવિત્ર જલથી ભરેલે પૂર્ણકુંભ જેમ મઘના એક બિંદુથી અપવિત્ર થઈ જાય છે તેમ ઉપર્યુક્ત નામના પરિવર્તનથી સંપૂર્ણ કથાનું
१. 'सो जंपइ भूवालव पारद्धा अस्थि भरहराय कहा । ૨. “goeત શ્રાવણ-મથાSજુના ગુનાિિરત વચને ?
ઉક્ત લેખકોએ આ નામાન્તરે શા કારણથી આપ્યાં હશે તે સમજાતું નથી ! (જ્યારે પ્રબંધ ચિંતામણીમાં તે “તિલકમંજરી’ નું જ નામ આપ્યું છે. -તંત્રી. )
૩. “ સમયે બળી નર અમારા જગામા ૪ઉપદેશ પ્રાસાદમાં ધન પાળે જે ઉત્તર આપે તે ગાથા આ પ્રમાણે મૂકેલી છે