SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ તિલક-મ’જરી. પપ સુપ્રસિદ્ધ ધારાધીશ્વર વિધાવિલાસી ભાજ નૃપતિની સભાના મુકુટ સમાન અને સિહસારસ્વત ઉપાધિ ધારણ કરનાર મહાકવિ ધનપાલે તિલકમાંજરીની રચના કરી છે. પીડિ કામાં કવિ વદે છે કે— 'निःशेषवाङ्मयविदोऽपि जिनागमोक्ताः श्रोतुं कथाः समुपजातकुतूहलस्य । तस्यावदात चरितस्य विनोद हेतो राज्ञः स्फुटाद्भुतरसा रचिता कथेयम् ॥ ,, અર્થાત્ “ સર્વ શાસ્ત્રાને નાતે હોવા છતાં પણ જૈનશાસ્ત્રામાં વર્ણવેલી કથા સાંભળવા માટે ઉત્પન્ન થયેલા કુતૂહલવાળા અને નિર્મલ ચારિતવાળા તે (ભાજ) રાજાના વિનાદ માટે સ્ક્રુટ અદ્ભુત રસવાળી મે આ કથા-તિલકમ જરી રચી છે. ” ભેાજરાજા સંસ્કૃત સાહિત્યના અત્યંત પ્રેમી હતા. તે સ્વયં સારા કવિ હતા. તેની સભામાં આર્યાંવના બધા ભાગામાંથી કવિએ અને વિદ્યાનેા આવતા અને પોતાનું પાંડિત્ય પ્રદર્શિત `કરી રાજા અને સભાજનાનું ચિત્ત આકર્ષતા. રાજા પણ યાગ્ય પુરૂષોની યાગ્યતાને બહુ જ આદરસત્કાર કરતા. દાન અને સન્માન આપી વિદ્યાનાના મનનું રંજન કરતા. તેના આશ્રય હેઠળ સખ્યાબંધ પડિતા રહેતા અને સાહિત્યની સેવા કરી યશેારાશિ મેળવતા. મહાકવિ ધનપળ તેની પરિષને વિન્માન્ય પ્રમુખ અને રાજાને પ્રગાઢ મિત્ર હતા. બાલ્યાવ સ્થાય જ ભાજ અને ધનપાલ પરસ્પર પરમ સ્નેહીઓ હતા. કારણ કે મુજરાજની રિષા પણ રાજમાન્ય વિદ્વાન્ ધનપાલજ પ્રમુખ હતા. ધનપાલના પાંડિત્ય ઉપર સુ'જરાજ અતિ મુગ્ધ થઇ તેને ‘સત્ત્તાઁ ' નુ મહત્વ સૂચક વિરૂદ આપ્યુ હતું. આવી રીતે ધનપાલ, ધારાનગરીના મુજ અને ભાજ બન્ને પ્રખ્યાત નૃપતિને બહુ માન્ય હતા. ધનપાલ પ્રથમ વૈદિક ધર્માવલંખી હતા પરંતુ પાછળથી પોતાના બધુ શાભનમુનિના સંસર્ગથી જૈનધર્મીના સ્વીકાર કરી, મહેદ્રસૂરિ પાસે જૈન-ગાપત્ય દીક્ષા અંગીકાર કરી હતી. ધનપાલના ધર્મ પરિવર્તનથી રાજા ભાજને બહુજ વિસ્મય થયા, તે વારંવાર ધનપાલની સાથે જૈનધર્મના વિષયમાં બહુ વિવાદ કરતા પરંતુ ધનપાલની દૃઢતા અને વિદ્વત્તા આગળ રાજા નિરૂત્તર થતા. વખતના વહેવા સાથે રાજાને! આગ્રહ મંદ થયા અને જૈન સાહિત્ય તરક. સચિ ધરાવવા લાગ્યા. ધનપાલ પોતાના ગુરૂશ્રી મહેદ્રસૂરિ પાસે સ્યાદ્વાદ સિદ્ધાન્તના વિશેષ અભ્યાસ કરી જૈનદર્શનનેા પારષ્ટા-તત્ત્વજ્ઞ થયા. ભાજરાજા સ્વયં વિદ્વાન અને તત્ત્વજ્ઞ હોવાથી સ્વ-ધર્મના—વૈદિક દનના તત્ત્વામાં તે બહુ નિષ્ણાત હતા, પરંતુ જૈનધર્મના વિશેષ પરિચયના અભાવે સ્યાદ સિદ્ધાન્તના વિષયમાં, તે વિશેષ જાણકાર ન હતા. ધનપાલના સંસર્ગથી તેની ઇચ્છા જૈન-દર્શનના સ્વરૂપને જાણવાની થઇ, અને તે ઇચ્છા પૂર્ણ કરવા માટે, કશ્વર આગળ વિચાર પ્રદર્શિત કર્યાં ધનપાલે, જૈન સિદ્ધાન્તાક્ત વિચારા અને સંસ્કારાને પ્રતિપાદન કરનારી તિલકમંજરી જેવી અદ્વિતીય અને અદ્દભુત કથા રચી, રાજાની અને પ્રજાની તાત્કાલિકી પ્રીતિ અને પૂજા સપાદન કરી. તથા ભાવિ જૈન પ્રજા અને સંસ્કૃત સાહિત્યના રસિકાના અપૂર્વ પ્રેમભાવ પ્રાપ્ત કરી પેાતાના નામ અને કામને અખંડ યશના ભાગી બનાવ્યા છે!
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy